MP:મંત્રીએ સેલેરીની ના પાડી તો ઉમા ભારતીનો કટાક્ષ-296 કરોડવાળા 12 લાખ છોડે તો...

મધ્ય પ્રદેશમાં હાલમાં જ નવા મુખ્યમંત્રી મોહન યાદવે શપથ લીધા અને ખાતાઓની વહેંચણી પણ કરી દેવામાં આવી, જેમાં ચેતન્ય કુમાર કશ્યપને પણ કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે, જેઓ રતલામ સીટ પર ભાજપની ટિકિટ પર ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા. ચૈતન્ય કુમારની હાલમાં એ કારણે ચર્ચામાં છે કે તેઓ ધારાસભ્ય તરીકે સેલેરી કે પેન્શન નહીં લે. પરંતુ આને લઈને પૂર્વ CM અને ભાજપના નેતા ઉમા ભારતીને કંઈ ખાસ ફરક પડતો હોય એમ લાગતું નથી. કારણ કે આ મુદ્દે ઉમા ભારતીએ ચૈતન્ય કુમાર પર કટાક્ષ કર્યો છે.

ઉમા ભારતીએ ટ્વીટર પર આ અંગે લખ્યું હતું કે, હાલમાં મંત્રી બનેલા રતલામના એક સંપન્ન જૈન બિઝનેસમેન ચેતન કાશ્યપે પોતાની સંપત્તિ 296 કરોડ જાહેર કરી છે. થોડા દિવસ પહેલા છાપાઓમાં તેમના વખાણ થયા હતા કે, તેઓ ધારાસભ્યનું વેતન નથી લેતા, જે વાર્ષિક 12 લાખ રૂપિયા થાય છે. 296 કરોડ રૂપિયાવાળો વ્યક્તિ જો 12 લાખ છોડી દે તો આમાં કંઈ મોટી વાત છે?

તેમણે વધુમાં લખ્યું હતું કે, ચેતન કાશ્યપ સરકારને વેતન પાછું આપવાની જગ્યાએ તે રકમને અભાવગ્રસ્ત છોકરીઓની શિક્ષા પર ખર્ચ કરો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે યાદ રાખવું પડશે કે બધા ધારાસભ્યો મોટા બિઝનેસમેન નથી હોતા અને ન તો તેઓ રાજનીતિથી પોતાનો બિઝનેસ વધારે છે. એકવાર સાંસદ વરૂણ ગાંધીએ કહ્યું હતું કે, સાંસદોને સેલેરી અને પેન્શન ન લેવા જોઈએ. ગાંધી એવું કરી શકે છે, કારણ કે તેઓ હજારો કરોડની પૈતૃક સંપત્તિના માલિક છે. પોતાનું સર્વસ્વ ત્યાગીને રાજનીતિના માધ્યમથી જનસેવા કરનારા જનપ્રતિનિધિઓને સેલેરી અને પેન્શન જેવી સુવિધા સરકારથી મળવી જોઈએ.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.