બિહારમાં ટ્રાયલ દરમિયાન જ રોપ-વે તૂટી પડ્યો... 13 કરોડ રૂપિયાના ખર્ચે 6 વર્ષમાં બન્યો હતો

બિહારના રોહતાસ જિલ્લામાં કૈમુરની ટેકરીઓ પર સ્થિત ઐતિહાસિક રોહતાસગઢના કિલ્લા સુધી પહોંચવા માટે બનાવવામાં આવેલો રોપ-વે ટ્રાયલ દરમિયાન તૂટી પડ્યો હતો. આ અકસ્માત રોહતાસના અકબરપુર વિસ્તારમાં થયો હતો, જ્યાં રોપ-વેનું પરીક્ષણ ચાલી રહ્યું હતું. ટ્રાયલ દરમિયાન, અચાનક ઘણા પિલર ઉખાડી ગયા અને મુસાફરોને બેસાડવાની કેબિન અને સ્વિંગ તૂટીને નીચે પડ્યું. જોત જોતામાં આખું માળખું જમીન પર આવી ગયું.

rohtas4
jansatta.com

સદનસીબે ટ્રાયલ દરમિયાન કેબિનમાં કોઈ નહોતું, જેના કારણે કોઈ જાનહાનિ ટળી ગઈ. જો કેબિનમાં લોકો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી, જેના કારણે કામદારો અને અધિકારીઓ આઘાતમાં સારી પડ્યા હતા.

અહેવાલો અનુસાર, રોપ-વેનું ટ્રાયલ એન્જિનિયરો અને ટેક્નિકલ નિષ્ણાતોની હાજરીમાં ચાલી રહ્યું હતું. ખાલી કેબિન અકબરપુરથી રોહતાસગઢ કિલ્લા તરફ મોકલવામાં આવી રહી હતી, તે થોડા અંતરે પહોંચી હતી, ત્યારે જ અચાનક રોપ-વેનો એક પિલર તૂટી પડ્યો. એક બાદ એક ઘણા પિલર જમીન પર પડી ગયા. થોડી જ ક્ષણોમાં, મશીનરી અને કેબિન સહિત સમગ્ર રોપ-વે સિસ્ટમ પૂરી રીતે ધરાશાયી થઈ ગઈ. લોખંડના માળખાના પડવાના જોરદાર અવાજથી નજીકના લોકો ગભરાઈ ગયા હતા. જોકે, એકમાત્ર રાહતની વાત એ હતી કે કેબિન ખાલી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે રોપ-વેનું નિર્માણ છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યું હતું અને તેનો ખર્ચ લગભગ 13.65 કરોડ હતો. મુખ્યમંત્રી નીતિશ કુમારે 2019માં તેનો શિલાન્યાસ કર્યો હતો. નવા વર્ષના દિવસે તેના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી હતી. સ્થાનિક લોકોને આશા હતી કે રોપ-વેના ઉદ્ઘાટનથી રોહતાસગઢ કિલ્લા સુધી પહોંચવું સરળ થઈ જશે, અને લગભગ 70 કિલોમીટરનો વળાંકવાળો માર્ગ થોડી મિનિટોમાં પૂર્ણ થઈ જશે. જોકે, તેના ટ્રાયલ દરમિયાન રોપ-વેની ધરાશાયી થઈ જતા લોકોની આશાઓ પર પાણી ફરી ગયું છે અને વિસ્તારમાં નિરાશાનો માહોલ છે.

About The Author

Top News

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

US-ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં થયેલા વિસ્ફોટોએ ફરી એકવાર પશ્ચિમ એશિયાને યુદ્ધમાં ધકેલી દીધું છે. આ સંયુક્ત હુમલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો...
World 
અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

રાજસ્થાનના ગામડાઓમાં ઘણી બધી સંખ્યામાં ગાયોને ચરાવવાની દાયકાઓ જૂની પરંપરા પાછી આવશે. સ્વચ્છતા અને ગૌરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, પંચાયતી...
National 
અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા. એક રહસ્યમય સ્પિનર, બીજો વિસ્ફોટક ઓપનર. પરંતુ વરુણ અને અભિષેકે વેસ્ટ ઇન્ડીઝ સામે T20...
Sports 
વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.