દિગ્વિજય સિંહ રાજ્યસભા છોડ્યા પછી કોંગ્રેસ પાસેથી શું ઇચ્છે છે?

પહેલા, તેમણે લાલકૃષ્ણ અડવાણીની સામે જમીન પર બેઠેલા PM નરેન્દ્ર મોદીનો ફોટો શેર કર્યો, પછી કોંગ્રેસની બેઠકમાં સંગઠનાત્મક નબળાઈ અને સ્લીપર સેલની સક્રિયતા વિશે વાત કરી. હવે સવાલ એ ઉભો થાય છે કે, છેલ્લા 11 વર્ષથી મૌન રહેલા દિગ્વિજય સિંહે અચાનક કોંગ્રેસની દુર્દશા વિશે કેમ વાત કરી? જ્યારે તેમનો રાજ્યસભાનો કાર્યકાળ થોડા મહિનામાં જ પૂરો થઈ રહ્યો છે, ત્યારે તેમને અચાનક સંગઠન કેમ યાદ આવ્યું? તેઓ કોના પર ગુસ્સે હતા, કે પછી કોઈ અન્ય હેતુ છે?

Digvijaya Singh
economictimes.indiatimes.com

વરિષ્ઠ પત્રકાર પ્રમોદ જોશી કહે છે કે, તેમના મનમાં શું છે તે તો ફક્ત દિગ્વિજય સિંહ જ જાણે, પરંતુ તેઓ સમયાંતરે આવા નિવેદનો આપતા રહેતા હોય છે. હમણાં તેઓ સંગઠન વિશે વાત કરી રહ્યા છે, જ્યારે થોડા વર્ષો પહેલા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસને એક મોટી સર્જરીની જરૂર છે. હકીકતમાં, તેઓ પોતાનું મહત્વ જાળવી રાખવા માટે આ કહી રહ્યા છે. સમય જુઓ. તેમનો રાજ્યસભાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. કદાચ તેઓ કંઈક બીજું ઇચ્છતા હશે. આમ પણ તેઓ લોકસભાની ચૂંટણી હારી ગયા છે. હવે, કોંગ્રેસ પાર્ટીમાં તેમનું તે સ્થાન પણ નથી રહ્યું.

પ્રમોદ જોશી સ્પષ્ટપણે કહે છે કે, પ્રથમ, દિગ્વિજય સિંહનો હવે જનતામાં મજબૂત ટેકો નથી. તેઓ એક સમયે રાહુલ ગાંધીના રાજકીય માર્ગદર્શક તરીકે જાણીતા હતા અને પોતાને પ્રગતિશીલ માને છે. જોકે, મધ્યપ્રદેશના CM તરીકેના તેમના કાર્યકાળ પછી જ કોંગ્રેસ પાર્ટીનું પતન શરૂ થયું. બીજું, 2008ના મુંબઈ હુમલા દરમિયાન, તેમણે આ હુમલા માટે RSSને દોષી ઠેરવ્યું. આ સંદર્ભમાં, તેઓ સમયાંતરે સનસનાટીભર્યા નિવેદનો આપતા રહ્યા છે.

Digvijaya Singh
ndtv.com

આ સમયે તેમનો હેતુ કોંગ્રેસ પાર્ટીમાં પોતાનું મહત્વ જાળવી રાખવાનો પણ હોઈ શકે છે. આ પ્રકારનું અલગ નિવેદન આપવાનું આ એક મુખ્ય કારણ હોઈ શકે છે. આમ પણ પાર્ટીમાં તેમનું કોઈ મહત્વનું સ્થાન રહ્યું નથી. તેમની સ્થિતિ હવે પહેલા જેવી નથી રહી, પરંતુ તેઓ ચોક્કસપણે તેમનું મહત્વ જાળવી રાખવા માંગે છે. હાલમાં, કોંગ્રેસ પાર્ટીમાં અનિશ્ચિતતાનો સમયગાળો ચાલી રહ્યો છે. એક વર્ગ ઇચ્છે છે કે પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીનું સ્થાન લે. તેમનું હવે કોંગ્રેસ પાર્ટીમાં બહુ મહત્વ નથી, અને પાર્ટી પણ તેમને તે રીતે જ જુએ છે. તેઓ રાહુલ કે પ્રિયંકા કેમ્પમાં પોતાને ટકાવી રાખવા માંગે છે.

હા, આંતરિક ચર્ચાઓ એવી છે કે, દિગ્વિજય સિંહની નારાજગીના બે મુખ્ય કારણો હોઈ શકે છે. પહેલું, તેઓ KC વેણુગોપાલની કાર્યશૈલીથી નાખુશ છે. બીજું, મધ્યપ્રદેશના રાજકારણમાં તેમને વધુ મહત્વ આપવામાં નથી આવી રહ્યું. તેમનો રાજ્યસભાનો કાર્યકાળ થોડા મહિનામાં પૂરો થઈ રહ્યો છે, તેથી શક્ય છે કે, તેઓ જૂના દબાણની રાજનીતિનો ઉપયોગ કરી રહ્યા હોય.

Digvijaya Singh
dynamitenews.com

દિગ્વિજય કહે છે કે, BJP-RSS સાથે સ્પર્ધા કરવા માટે, આપણું સંગઠન વોર્ડ સ્તરે મજબૂત હોવું જોઈએ. આ સાથે સંગઠનનું વિકેન્દ્રીકરણ પણ થવું જોઈએ. તેઓ એમ કહેવા માંગતા હતા કે, કોઈ એક વ્યક્તિ પાસે બધી સત્તા ન હોવી જોઈએ. હાલમાં, મહાસચિવ KC વેણુગોપાલ સંગઠનમાં એકમાત્ર સત્તાધારી છે, તેથી સંદર્ભ સીધો તેમના તરફ હતો. વેણુગોપાલ રાહુલની નજીક છે. કેટલાક હવે આને દિગ્વિજય વિરુદ્ધ વેણુગોપાલ વચ્ચેનો ઝઘડો પણ કહી રહ્યા છે. એવી ચર્ચા છે કે તે દિવસે બંને વચ્ચે દલીલ પણ થઈ હતી. સત્ય ગમે તે હોય, કોંગ્રેસ હાઇકમાન્ડ તેમને વધારે મહત્વ આપી રહ્યું નથી. દિગ્વિજયે હવે આગળ વિચારવું પડશે.

About The Author

Related Posts

Top News

શું તમે પણ ફ્લાઇટમાં પાવર બેંક લઈ જાવ છો? તો આ સમાચાર તમારા માટે છે

એમિરેટ્સ એરલાઇન્સે ફ્લાઇટમાં પાવર બેંકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણયે બધાને હેરાન કરી દીધા છે કારણ કે...
National 
શું તમે પણ ફ્લાઇટમાં પાવર બેંક લઈ જાવ છો? તો આ સમાચાર તમારા માટે છે

જાણી જોઇને ઉધાર ચૂકવી રહ્યા નથી 1629 વિલફૂલ ડિફોલ્ટર, લોન 162000Cr…, સરકારનો ખુલાસો

બેન્કો પાસેથી લોન લીધી... કારોબાર કર્યો... પૈસા પણ બનાવ્યા, પરંતુ ચૂકવવાનું મન નથી. હાં દેશની તમામ સરકારી બેન્કોના આવા...
Business 
જાણી જોઇને ઉધાર ચૂકવી રહ્યા નથી 1629 વિલફૂલ ડિફોલ્ટર, લોન 162000Cr…, સરકારનો ખુલાસો

શું ભારત કરતા કેનેડામાં મધ્યમ વર્ગના લોકોનું જીવન સારું છે? ત્યાં રહેતા એક ભારતવાસીએ આ કારણો શેર કર્યા

કેનેડામાં રહેતા એક ભારતીય યુવાનનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહ્યો છે. યુવકનો દાવો છે કે, ...
World 
શું ભારત કરતા કેનેડામાં મધ્યમ વર્ગના લોકોનું જીવન સારું છે? ત્યાં રહેતા એક ભારતવાસીએ આ કારણો શેર કર્યા

કયા રાજ્યના CM પર છે સૌથી વધુ ક્રિમિનલ કેસ, કોણ છે સૌથી અમીર મુખ્યમંત્રી? જાણીને રહી જશો હેરાન

ચૂંટણી અધિકાર સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના તાજેતરના રિપોર્ટ મુજબ, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સામે સૌથી વધુ...
National 
કયા રાજ્યના CM પર છે સૌથી વધુ ક્રિમિનલ કેસ, કોણ છે સૌથી અમીર મુખ્યમંત્રી? જાણીને રહી જશો હેરાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.