બાંગ્લાદેશમાં જે થયું તે ભારત માટે ચેતવણી... CJP પ્રદર્શન અંગે તસ્લીમા નસરીનનો સરકારને સંદેશ

નિર્વાસિત બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીન લગભગ 19 વર્ષ પછી કોલકાતા પહોંચ્યા હતા. રવિવાર, 2 ઓગસ્ટના રોજ તેમણે દિલ્હીના જંતર-મંતર પર આયોજિત 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) વિરોધ પ્રદર્શન પર પોતાના વિચારો શેર કર્યા. તેમણે આ વિરોધ પ્રદર્શનને બાંગ્લાદેશમાં 2024ના વિદ્યાર્થી આંદોલન સાથે જોડ્યું. તસ્લીમા નસરીનએ જણાવ્યું કે CJP વિરોધ પ્રદર્શન અને બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળનું આંદોલન એક જેવા છે. તેમણે ભારતીયોને બાંગ્લાદેશમાં બનેલી ઘટનાઓમાંથી શીખવાની સલાહ આપી.

કોલકાતામાં એક પત્રકાર પરિષદને સંબોધતા, તસ્લીમા નસરીને ટિપ્પણી કરી કે બાંગ્લાદેશની પરિસ્થિતિને ચેતવણી તરીકે જોવી જોઈએ. બાંગ્લાદેશમાં 2024ના વિદ્યાર્થી આંદોલન સત્તા વિરોધી પ્રદર્શનમાં પરિવર્તિત થઈ ગયું હતું. તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાને બાંગ્લાદેશ છોડીને ભારતમાં આશ્રય લેવાની ફરજ પડી હતી. ત્યારબાદ, બાંગ્લાદેશમાં મુહમ્મદ યૂનુસના નેતૃત્વમાં એક વચગાળાની સરકારની રચના થઈ.

taslima-nasreen
theprint.in

એક દિવસ પહેલા, 1 ઓગસ્ટના રોજ કોલકાતાના રવિન્દ્ર ભવનમાં તસ્લીમા નસરીનનો સન્માન સમારોહ યોજાયો હતો. કેટલાક વ્યક્તિઓના કારણે આ કાર્યક્રમમાં થોડો સમય વિક્ષેપ પડ્યો હતો.

તસ્લીમા નસરીને શું કહ્યું?

ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, રવિવારે તસ્લીમા નસરીને ભારતમાં વિદ્યાર્થી આંદોલન અને બાંગ્લાદેશમાં બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતા  કહ્યું કે, મને લાગ્યું કે અહીં જે થયું (CJP વિરોધ પ્રદર્શન) તે જુલાઈ 2024માં બાંગ્લાદેશમાં થયેલા વિદ્યાર્થી આંદોલન જેવું જ છે. લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશમાં આનું પરિણામ સારું આવ્યું નથી. જેહાદીઓએ ત્યાં સત્તા કબજે કરી લીધી છે.

તસ્લીમા નસરીન ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પક્ષ બાંગ્લાદેશ અવામી લીગના ટીકાકાર છે. આમ છતા તેમણે સ્વીકાર્યું કે આજના બાંગ્લાદેશમાં, જમાત-એ-ઈસ્લામીને બદલે અવામી લીગે જ મુખ્ય વિપક્ષી પક્ષ હોવું જોઈએ. તેમણે એવી પણ માંગ કરી હતી કે હાલમાં ભારતમાં નિર્વાસિત જીવન વિતાવી રહેલા શેખ હસીનાને સુરક્ષિત રીતે બાંગ્લાદેશ પાછા ફરવાની મંજૂરી આપવામાં આવે.

taslima-nasreen3
ndtv.com

તસ્લીમાએ જણાવ્યું હતું કે, શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવતા હતા. પરંતુ, તેમનો દાવો છે કે મુહમ્મદ યૂનુસની વચગાળાની સરકાર દરમિયાન હિન્દુઓ પર અત્યાચાર નોંધપાત્ર રીતે વધ્યા છે. તેમણે આ માટે શિક્ષણનો અભાવ અને ધાર્મિક સંસ્થાઓના વધતા પ્રભાવને જવાબદાર ગણાવ્યો હતો.

બાંગ્લાદેશી લેખિકાએ સામાજિક પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સરકારને ધર્મથી અલગ રાખવાની હિમાયત કરી હતી. આ ઉપરાંત, તેમણે મદરેસા શિક્ષણની ટીકા કરી હતી. આરોપ લગાવ્યો હતો કે તેનાથી સાંપ્રદાયિક માનસિકતાને પ્રોત્સાહન મળે છે. તેમણે બાંગ્લાદેશને બિનસાંપ્રદાયિક શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું.

પશ્ચિમ બંગાળની સત્તામાં વિવિધ પાર્ટીઓના શાસનકાળ દરમિયાન તેમના નિર્વાસન પર પ્રતિબિંબ પાડતા તસ્લીમા નસરીનએ કહ્યું કે, એક સરકારે મારા પર પ્રતિબંધો લાદ્યા, એક સરકારે મને બહાર કાઢી, અને એક સરકારે મને બોલાવી. તેમના નિવેદનમાં સ્પષ્ટપણે ડાબેરી મોરચા, તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપનો ઉલ્લેખ હતો. આ દરમિયાન, તેમણે કોલકાતાની મુલાકાત દરમિયાન સલામતીની ખાતરી આપવા બદલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને સુવેન્દુ અધિકારીનો પણ આભાર માન્યો.

About The Author

Related Posts

Top News

ભારત સહિત 60 દેશોમાંથી ટેરિફ દૂર કરવાની માંગણી સાથે USના 25 રાજ્યો ટ્રમ્પને કોર્ટમાં લઈ ગયા

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના પોતાના દેશના ન્યાયતંત્ર તરફથી અનેક વખતે ઝટકો લાગ્યો છે. US કોર્ટ દ્વારા તેમના ઘણા ટેરિફ...
World 
ભારત સહિત 60 દેશોમાંથી ટેરિફ દૂર કરવાની માંગણી સાથે USના 25 રાજ્યો ટ્રમ્પને કોર્ટમાં લઈ ગયા

આ વખતે પોલીસ કીર્તિ પટેલને મૂકવાની નથી લાગતી, લેન્ડ ગ્રેબિંગ કેસમાં જેલમાં પોલીસે ધરપકડ કરી

વિવાદો સાથે જૂનો નાતો ધરાવતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બદનક્ષી અને ખંડણી જેવા...
Gujarat 
આ વખતે પોલીસ કીર્તિ પટેલને મૂકવાની નથી લાગતી, લેન્ડ ગ્રેબિંગ કેસમાં જેલમાં પોલીસે ધરપકડ કરી

હિન્દુ-મુસ્લિમ મિત્રો સાથે લાવ્યા કાંવડ; 101 લીટર પાણીથી શિવલિંગ પર કર્યો અભિષેક

પવિત્ર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે રાજસ્થાનના સૈપઉ મહાદેવ મંદિરમાં સાંપ્રદાયિક સૌહાર્દનું એક અદ્ભુત ઉદાહરણ જોવા મળ્યું. 6 હિન્દુ અને મુસ્લિમ...
હિન્દુ-મુસ્લિમ મિત્રો સાથે લાવ્યા કાંવડ; 101 લીટર પાણીથી શિવલિંગ પર કર્યો અભિષેક

જંતર-મંતર પર અભિજીત દીપકે સાથે સ્ટેજ શેર કરનાર કોન્સ્ટેબલને ઉત્તરાખંડ પોલીસે નોકરીમાંથી કાઢી મુક્યો

ઉત્તરાખંડ પોલીસે શિસ્ત, પ્રામાણિકતા અને સેવા આચરણના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપસર પોતાના એક કોન્સ્ટેબલને નોકરીમાંથી બરતરફ કરી દીધો છે....
National 
જંતર-મંતર પર અભિજીત દીપકે સાથે સ્ટેજ શેર કરનાર કોન્સ્ટેબલને ઉત્તરાખંડ પોલીસે નોકરીમાંથી કાઢી મુક્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.