હરિયાણા માટે રાહુલનો શું પ્લાન? 'દુશ્મન' સાથે હાથ મેળવીને BJPને હરાવવા તૈયાર!

હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને સોમવારે સાંજે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ મીટિંગમાં હાજર રહેલા રાહુલ ગાંધીએ જૂના 'દુશ્મન' સાથે ગઠબંધનની શક્યતાઓ પર હરિયાણા કોંગ્રેસના નેતાઓના મનમાં શું ચાલી રહ્યું છે તે જોવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીએ પૂછ્યું કે શું તેઓ ઈન્ડિયા એલાયન્સ પાર્ટી સાથે હરિયાણામાં ચૂંટણી લડી શકે છે?

રાહુલ ગાંધીએ CECની બેઠકમાં પૂછ્યું, 'શું હરિયાણાની ચૂંટણી એકલા હાથે લડવાથી કોંગ્રેસને નુકસાન નહીં થાય? શું કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધનની કોઈ શક્યતા છે?

તેના પર ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી ઘણી બધી સીટો માંગી રહી છે. ત્રણથી ચાર બેઠકો આપી શકાય એમ છે, પરંતુ તેમની ઈચ્છા મોટી છે, તેથી ગઠબંધન કરવું મુશ્કેલ છે. જો કે, રાહુલ ગાંધીએ તો પણ કહ્યું હતું કે, 'INDIA ગઠબંધનના મતોનું વિભાજન ન થાય તે માટે આપણે બધાએ સાથે મળીને પ્રયાસ કરવા જોઈએ. તમે લોકો જુઓ શું શક્ય છે.'

શું કોંગ્રેસ કુસ્તીબાજ વિનેશ ફોગટને હરિયાણા ચૂંટણીમાં ઉતારશે? આજે આ પ્રશ્ન પર ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. કોંગ્રેસ મહાસચિવ દીપક બાબરિયાના હવાલાથી મીડિયા સૂત્રોને આ માહિતી આપવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર, સૂત્રોએ જણાવ્યું કે CECની બેઠકમાં ચર્ચા કરાયેલા 49 નામોમાંથી 34ને મંજૂરી આપવામાં આવી છે. એવા અહેવાલ છે કે, કોંગ્રેસના 28 વર્તમાન ધારાસભ્યોમાંથી 22ની ટિકિટ ક્લિયર થઈ ગઈ છે. 5 વર્તમાન ધારાસભ્યોની ટિકિટની સમીક્ષા કરવા રાખવામાં આવી છે, જ્યારે છઠ્ઠા ધારાસભ્ય વરુણ મુલાના લોકસભા સાંસદ બન્યા છે.

કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગે લોકસભાના સાંસદ કુમારી સેલજા અને રાજ્યસભાના સાંસદ રણદીપ સુરજેવાલા અંગે અંતિમ નિર્ણય લેશે, જેઓ વિધાનસભાની ચૂંટણી લડવામાં રસ ધરાવતા હોવાનું કહેવાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને AAPએ હરિયાણા, ગુજરાત, ગોવા, દિલ્હી અને ચંદીગઢમાં સંયુક્ત રીતે લોકસભાની ચૂંટણી લડી હતી. જો કે, હરિયાણા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુમારી સેલજાએ ગયા મહિને વિધાનસભા ચૂંટણી માટે AAP સાથે ગઠબંધનની શક્યતાને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, તેમની પાર્ટી રાજ્યમાં મજબૂત ખેલાડી છે અને એકલા હાથે ચૂંટણી લડશે. આ વર્ષની શરૂઆતમાં, દિલ્હીના CM અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, તેમની પાર્ટી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં તમામ 90 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે.

હરિયાણામાં 90 વિધાનસભા બેઠકો છે, જેના માટે 5 ઓક્ટોબરે મતદાન થશે અને પરિણામ 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

About The Author

Top News

આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

નિઃસંતાન યુગલો માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય થઇ ગયો છે, પરંતુ હવે તેનો ઉપયોગ દુર્લભ...
National 
આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

અમેરિકા વિદેશી નાગરિકો અંગે અભૂતપૂર્વ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે 200,000 થી વધુ વિદેશી નાગરિકોના બિઝનેસ...
World 
અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવામાં આવેલી એકલવ્ય આદર્શ રહેણાંક શાળા (જામલી)ના સેંકડો વિદ્યાર્થીઓએ તેમની ગંભીર સમસ્યાઓ સામે બળવો પોકાર્યો છે. શાળામાં...
Education 
'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાન અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સૂચનાઓ બહાર પાડી છે. કોર્ટે જણાવ્યું હતું...
National 
બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.