..જ્યારે લાલુ યાદવને પૂછવામાં આવ્યું કે, 'શું રાહુલ ગાંધી PM બનશે? આ જવાબ મળ્યો

On

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આજે બિહારમાં છે. બિહારના પૂર્વ DyCM તેજસ્વી યાદવે રાહુલ ગાંધી સાથે મંચ શેર કર્યો અને સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું. આ દરમિયાન પૂર્વ CM અને RJD ચીફ લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. જ્યારે પત્રકારોએ લાલુ યાદવને પૂછ્યું કે, શું રાહુલ ગાંધી PM બનશે તો તેમણે તરત જ જવાબ આપ્યો. RJD ચીફે કહ્યું કે, રાહુલ ગાંધીમાં કોઈ ખામી નથી. અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ બિહારની રાજનીતિમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી, જ્યારે CM નીતિશ કુમાર મહાગઠબંધન છોડીને NDAમાં સામેલ થયા હતા. આવી સ્થિતિમાં, આ પ્રથમ વખત છે જ્યારે તેજસ્વી અને રાહુલ એક જ મંચ પર દેખાયા.

પટનામાં પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં લાલુ યાદવે સ્પષ્ટપણે કહ્યું ન હતું કે રાહુલ ગાંધી PM બનશે કે નહીં, પરંતુ ચોક્કસ કહ્યું કે 'કોઈ કમી નથી, એમનામાં કોઈ કમી થોડી છે'. આ પહેલા જૂન 2023માં ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં લાલુ યાદવે રાહુલ ગાંધીને લગ્ન કરવાની સલાહ આપી હતી. લાલુએ રાહુલને કહ્યું હતું કે, તમારી માતા કહેતી હતી કે, તે મારી વાત સાંભળતો નથી. તમે લગ્ન કરાવી દો.

અહીં તમને જણાવી દઈએ કે, બિહારના સાસારામમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે વાતચીત કરી હતી. બિહારના પૂર્વ DyCM અને RJD નેતા તેજસ્વી યાદવે પણ આ યાત્રામાં ભાગ લીધો હતો. તેજસ્વીએ રાહુલ ગાંધીને કારમાં બેસાડ્યા પણ હતા અને જાતે ડ્રાઈવ કરી હતી.

તેજસ્વી યાદવે કહ્યું, આજે રાહુલ ગાંધી આવ્યા છે, અમે તેમનું સ્વાગત કરીએ છીએ. તેઓ દેશને એક કરવા માટે દેશભરમાં ફરી રહ્યા છે, આ ખૂબ જ મહત્વપૂર્ણ છે... અમે પહેલા પણ કહ્યું હતું કે, PM મોદી જૂઠાણાની ફેક્ટરી છે, તેઓ જૂઠાણાના જથ્થાબંધ વેપારી, ઉત્પાદક અને વિતરક છે. CM નીતીશ કુમારની ટીકા કરતા તેજસ્વીએ કહ્યું કે, તમે બધા સારી રીતે જાણો છો કે, આપણા CM કેવા છે, તેઓ કોઈની વાત સાંભળવા માંગતા નથી. તેમ છતાં અમારી સરકાર મહાગઠબંધનની સરકાર હતી અને અમે એક મોટા ધ્યેય સાથે એક થવા માંગતા હતા, અમારે તે શક્તિઓને રોકવાની છે જેઓ દેશમાં ઝેર વાવવાનું કામ કરે છે. તેથી, આ વખતે ગમે તે ભોગે, ગમે તેટલું સહન કરવું પડે, ગમે તેટલું બલિદાન આપવું પડે, અમે CM નીતિશજી સાથે આવી ગયા, જેથી 2024માં BJPનો પરાજય થાય. અમે BJPને સત્તા પરથી હટાવવાનું કામ કરીશું અને અમે થાકેલા CMની નિમણૂક કરી હતી. તેઓ કહેતા હતા કે 'હું મરી જઈશ, પણ BJPમાં નહીં જઈશ'. અમે તો ભોળા લોકો છીએ.

Related Posts

Top News

મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની...
National 
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો...
National 
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ ખુબ મોટી સંખ્યામાં રહે છે. જેના કારણે હિન્દુ તહેવારો નિમિત્તે ત્યાંથી વીડિયો આવતા રહે...
World 
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી....
National 
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.