..જ્યારે લાલુ યાદવને પૂછવામાં આવ્યું કે, 'શું રાહુલ ગાંધી PM બનશે? આ જવાબ મળ્યો

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આજે બિહારમાં છે. બિહારના પૂર્વ DyCM તેજસ્વી યાદવે રાહુલ ગાંધી સાથે મંચ શેર કર્યો અને સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું. આ દરમિયાન પૂર્વ CM અને RJD ચીફ લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. જ્યારે પત્રકારોએ લાલુ યાદવને પૂછ્યું કે, શું રાહુલ ગાંધી PM બનશે તો તેમણે તરત જ જવાબ આપ્યો. RJD ચીફે કહ્યું કે, રાહુલ ગાંધીમાં કોઈ ખામી નથી. અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ બિહારની રાજનીતિમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી, જ્યારે CM નીતિશ કુમાર મહાગઠબંધન છોડીને NDAમાં સામેલ થયા હતા. આવી સ્થિતિમાં, આ પ્રથમ વખત છે જ્યારે તેજસ્વી અને રાહુલ એક જ મંચ પર દેખાયા.

પટનામાં પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં લાલુ યાદવે સ્પષ્ટપણે કહ્યું ન હતું કે રાહુલ ગાંધી PM બનશે કે નહીં, પરંતુ ચોક્કસ કહ્યું કે 'કોઈ કમી નથી, એમનામાં કોઈ કમી થોડી છે'. આ પહેલા જૂન 2023માં ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં લાલુ યાદવે રાહુલ ગાંધીને લગ્ન કરવાની સલાહ આપી હતી. લાલુએ રાહુલને કહ્યું હતું કે, તમારી માતા કહેતી હતી કે, તે મારી વાત સાંભળતો નથી. તમે લગ્ન કરાવી દો.

અહીં તમને જણાવી દઈએ કે, બિહારના સાસારામમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે વાતચીત કરી હતી. બિહારના પૂર્વ DyCM અને RJD નેતા તેજસ્વી યાદવે પણ આ યાત્રામાં ભાગ લીધો હતો. તેજસ્વીએ રાહુલ ગાંધીને કારમાં બેસાડ્યા પણ હતા અને જાતે ડ્રાઈવ કરી હતી.

તેજસ્વી યાદવે કહ્યું, આજે રાહુલ ગાંધી આવ્યા છે, અમે તેમનું સ્વાગત કરીએ છીએ. તેઓ દેશને એક કરવા માટે દેશભરમાં ફરી રહ્યા છે, આ ખૂબ જ મહત્વપૂર્ણ છે... અમે પહેલા પણ કહ્યું હતું કે, PM મોદી જૂઠાણાની ફેક્ટરી છે, તેઓ જૂઠાણાના જથ્થાબંધ વેપારી, ઉત્પાદક અને વિતરક છે. CM નીતીશ કુમારની ટીકા કરતા તેજસ્વીએ કહ્યું કે, તમે બધા સારી રીતે જાણો છો કે, આપણા CM કેવા છે, તેઓ કોઈની વાત સાંભળવા માંગતા નથી. તેમ છતાં અમારી સરકાર મહાગઠબંધનની સરકાર હતી અને અમે એક મોટા ધ્યેય સાથે એક થવા માંગતા હતા, અમારે તે શક્તિઓને રોકવાની છે જેઓ દેશમાં ઝેર વાવવાનું કામ કરે છે. તેથી, આ વખતે ગમે તે ભોગે, ગમે તેટલું સહન કરવું પડે, ગમે તેટલું બલિદાન આપવું પડે, અમે CM નીતિશજી સાથે આવી ગયા, જેથી 2024માં BJPનો પરાજય થાય. અમે BJPને સત્તા પરથી હટાવવાનું કામ કરીશું અને અમે થાકેલા CMની નિમણૂક કરી હતી. તેઓ કહેતા હતા કે 'હું મરી જઈશ, પણ BJPમાં નહીં જઈશ'. અમે તો ભોળા લોકો છીએ.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.