..જ્યારે લાલુ યાદવને પૂછવામાં આવ્યું કે, 'શું રાહુલ ગાંધી PM બનશે? આ જવાબ મળ્યો

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આજે બિહારમાં છે. બિહારના પૂર્વ DyCM તેજસ્વી યાદવે રાહુલ ગાંધી સાથે મંચ શેર કર્યો અને સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું. આ દરમિયાન પૂર્વ CM અને RJD ચીફ લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. જ્યારે પત્રકારોએ લાલુ યાદવને પૂછ્યું કે, શું રાહુલ ગાંધી PM બનશે તો તેમણે તરત જ જવાબ આપ્યો. RJD ચીફે કહ્યું કે, રાહુલ ગાંધીમાં કોઈ ખામી નથી. અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ બિહારની રાજનીતિમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી, જ્યારે CM નીતિશ કુમાર મહાગઠબંધન છોડીને NDAમાં સામેલ થયા હતા. આવી સ્થિતિમાં, આ પ્રથમ વખત છે જ્યારે તેજસ્વી અને રાહુલ એક જ મંચ પર દેખાયા.

પટનામાં પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં લાલુ યાદવે સ્પષ્ટપણે કહ્યું ન હતું કે રાહુલ ગાંધી PM બનશે કે નહીં, પરંતુ ચોક્કસ કહ્યું કે 'કોઈ કમી નથી, એમનામાં કોઈ કમી થોડી છે'. આ પહેલા જૂન 2023માં ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં લાલુ યાદવે રાહુલ ગાંધીને લગ્ન કરવાની સલાહ આપી હતી. લાલુએ રાહુલને કહ્યું હતું કે, તમારી માતા કહેતી હતી કે, તે મારી વાત સાંભળતો નથી. તમે લગ્ન કરાવી દો.

અહીં તમને જણાવી દઈએ કે, બિહારના સાસારામમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે વાતચીત કરી હતી. બિહારના પૂર્વ DyCM અને RJD નેતા તેજસ્વી યાદવે પણ આ યાત્રામાં ભાગ લીધો હતો. તેજસ્વીએ રાહુલ ગાંધીને કારમાં બેસાડ્યા પણ હતા અને જાતે ડ્રાઈવ કરી હતી.

તેજસ્વી યાદવે કહ્યું, આજે રાહુલ ગાંધી આવ્યા છે, અમે તેમનું સ્વાગત કરીએ છીએ. તેઓ દેશને એક કરવા માટે દેશભરમાં ફરી રહ્યા છે, આ ખૂબ જ મહત્વપૂર્ણ છે... અમે પહેલા પણ કહ્યું હતું કે, PM મોદી જૂઠાણાની ફેક્ટરી છે, તેઓ જૂઠાણાના જથ્થાબંધ વેપારી, ઉત્પાદક અને વિતરક છે. CM નીતીશ કુમારની ટીકા કરતા તેજસ્વીએ કહ્યું કે, તમે બધા સારી રીતે જાણો છો કે, આપણા CM કેવા છે, તેઓ કોઈની વાત સાંભળવા માંગતા નથી. તેમ છતાં અમારી સરકાર મહાગઠબંધનની સરકાર હતી અને અમે એક મોટા ધ્યેય સાથે એક થવા માંગતા હતા, અમારે તે શક્તિઓને રોકવાની છે જેઓ દેશમાં ઝેર વાવવાનું કામ કરે છે. તેથી, આ વખતે ગમે તે ભોગે, ગમે તેટલું સહન કરવું પડે, ગમે તેટલું બલિદાન આપવું પડે, અમે CM નીતિશજી સાથે આવી ગયા, જેથી 2024માં BJPનો પરાજય થાય. અમે BJPને સત્તા પરથી હટાવવાનું કામ કરીશું અને અમે થાકેલા CMની નિમણૂક કરી હતી. તેઓ કહેતા હતા કે 'હું મરી જઈશ, પણ BJPમાં નહીં જઈશ'. અમે તો ભોળા લોકો છીએ.

Related Posts

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.