શું BJP 360ના નંબર ગેમમાંથી પસાર થઇ જશે? સંસદમાં બદલાયેલા ગણિતથી બિલો પાસ થઈ જશે?

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન પછી દેશની રાજકીય પરિસ્થિતિ બદલાવા લાગી છે. TMCના 20 સાંસદો એક નવા પક્ષમાં જોડાયા છે, અને શિવસેના-ઉદ્ધવ જૂથના સાંસદો બળવો કરી રહ્યા હોવાની અફવાઓ છે. જ્યારે, DMK સાંસદો પણ NDAને ટેકો આપી શકે છે. તેમના અલગ પક્ષો અને વિચારધારાઓ પણ અલગ હોવા છતાં, જો આ સાંસદો NDAને ટેકો આપે છે, તો શું BJP સરકાર આ 3 બિલો પસાર કરી શકે છે જે હજુ સુધી પસાર થયા નથી? તો ચાલો જોઈ લઈએ કે આ રાજકીય પરિસ્થિતિઓ બદલાવાથી શું અસર થવાની છે.

NDA-Majority1
thenewsmill.com

એવું માનવામાં આવે છે કે, સરકાર ચોમાસા સત્રમાં સીમાંકન, મહિલા અનામત અને UCC બિલ સંબંધિત બંધારણ સુધારા બિલ પસાર કરવાનો પ્રયાસ કરી શકે છે. આ અગાઉ, સમર્થનના અભાવે આ બિલો એપ્રિલમાં રજૂ થઈ શક્યા ન હતા. પરંતુ જે રીતે, વર્તમાનની રાજકીય પરિસ્થિતિમાં ફેરફારો થઇ રહેલા છે, તે ફેરફારો સૂચવે છે કે, સરકાર જરૂરી સમર્થન મતોની સંખ્યા પ્રાપ્ત કરવાની નજીક પહોંચી ગઈ છે.

એક કે બે મહિનામાં, આખા દેશનો રાજકીય માહોલ બદલાઈ ગયો છે. તૃણમૂલ કોંગ્રેસના 20 સાંસદો બળવો કરીને NCPIમાં જોડાયા છે, અને આ સાંસદો હવે NDAને ટેકો આપવાની તૈયારી કરી રહ્યા છે. એટલું જ નહીં, જ્યારે તમિલનાડુમાં સત્તા બદલાઈ ગઈ, ત્યારે કોંગ્રેસે DMKનો ત્યાગ કર્યો હતો, જેના કારણે એવી અટકળો શરૂ થઈ ગઈ કે DMKના સાંસદો પણ NDAને ટેકો આપી શકે છે. જોકે, હજુ સુધી એ નિશ્ચિત નથી કે સ્ટાલિનની પાર્ટી બિલને ટેકો આપશે કે નહીં.

NDA-Majority2
livemint.com

જો DMKએ સમર્થન આપી પણ દીધું, તો પણ બે તૃતીયાંશ બહુમતી માટે હજુ બીજા વધારે 14 સાંસદોના સમર્થનની જરૂર પડશે, જેનાથી સવાલ એ ઉભો થાય છે કે, તે 14 સાંસદો કોણ હશે. હકીકતમાં તાજેતરમાં, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ દાવો કર્યો હતો કે, AAPના લોકસભા સાંસદો પણ ગઠબંધનમાં જોડાઈ શકે છે; AAP પાસે કુલ 3 લોકસભા સાંસદો છે. જ્યારે, ઉત્તર પ્રદેશના DyCM કેશવ પ્રસાદ મૌર્યએ પણ દાવો કર્યો હતો કે, સમાજવાદી પાર્ટી (SP) વિભાજીત થઈ શકે છે અને તેના સાંસદો NDAને ટેકો આપી શકે છે. SP પાસે 37 સાંસદો છે. આવી સ્થિતિમાં, જો પાર્ટી 10-20 સાંસદોને પણ તોડવામાં સફળ થાય છે, તો પાર્ટી બહુમતીના આંકડાથી પણ આગળ નીકળી જશે.

About The Author

Related Posts

Top News

આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

નિઃસંતાન યુગલો માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય થઇ ગયો છે, પરંતુ હવે તેનો ઉપયોગ દુર્લભ...
National 
આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

અમેરિકા વિદેશી નાગરિકો અંગે અભૂતપૂર્વ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે 200,000 થી વધુ વિદેશી નાગરિકોના બિઝનેસ...
World 
અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવામાં આવેલી એકલવ્ય આદર્શ રહેણાંક શાળા (જામલી)ના સેંકડો વિદ્યાર્થીઓએ તેમની ગંભીર સમસ્યાઓ સામે બળવો પોકાર્યો છે. શાળામાં...
Education 
'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાન અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સૂચનાઓ બહાર પાડી છે. કોર્ટે જણાવ્યું હતું...
National 
બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.