આ મહિલાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નામ પર કર્યુ પોતાનું ચાર માળનું મકાન

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું લોકસભા સભ્ય પદ રદ્દ થયા બાદ તેમને સરકારી બંગલો ખાલી કરવાની પણ નોટિસ આપવામાં આવી ચુકી છે. ત્યારબાદ કોંગ્રેસના નેતા અને કાર્યકર્તા મારું ઘર રાહુલ ગાંધીનું ઘર ના નામથી કેમ્પેન ચલાવી રહ્યા છે. દરમિયાન, દિલ્હીમાં રહેતી રાજકુમારી ગુપ્તાએ મંગોલપુરીમાં આવેલું પોતાનું ચાર માળનું મકાન રાહુલ ગાંધીના નામ પર કરી દીધુ છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાનું સભ્ય પદ રદ્દ થયા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 12 તુગલક લેનનું પોતાનું સરકારી આવાસ 22 એપ્રિલ સુધીમાં ખાલી કરવું પડશે. 27 માર્ચના રોજ લોકસભાની હાઉસિંગ કમિટીએ તેમને એક નોટિસ મોકલીને 22 એપ્રિલ સુધી પોતાના આ સરકારી આવાસને ખાલી કરવા માટે કહ્યું છે.

રાહુલ ગાંધીને આપવામાં આવેલી નોટિસમાં એ કહેવામાં આવ્યું છે કે, લોકસભા સચિવાલયે 24 માર્ચ, 2023ના રોજ એક નોટિફિકેશન જાહેર કરી 23 માર્ચ, 2023ના રોજ તેમના લોકસભાના સભ્ય પદને રદ્દ કરી દેવામાં આવ્યું છે. આથી, 17મી લોકસભાના સાંસદ તરીકે તેમને અલોટ કરવામાં આવેલા 12 તુગલક લેનના સરકારી આવાસમાં તેઓ હવે વધુમાં વધુ એક મહિના માટે એટલે કે 22 એપ્રિલ, 2023 સુધી જ રહી શકે છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, તેમને અલોટ કરવામાં આવેલું આ સરકારી આવાસનું આવંટન 23 એપ્રિલ, 2023ના રોજ રદ્દ કરી દેવામાં આવ્યું છે. તેનો તાત્પર્ય એકદમ સ્પષ્ટ છે કે, રાહુલ ગાંધીએ 22 એપ્રિલ, 2023 સુધીમાં પોતાનું સરકારી આવાસ ખાલી કરવું પડશે.

જણાવી દઈએ કે, 24 માર્ચના રોજ રાહુલ ગાંધીનું સભ્ય પદ લોકસભા સચિવાલયે અયોગ્ય જાહેર કરી દીધુ હતું. રાહુલ ગાંધીને ગુજરાતના સુરતની કોર્ટ તરફથી વર્ષ 2019ના મોદી ઉપનામ માનહાનિ કેસમાં દોષી જાહેર કર્યા અને તેમને બે વર્ષને જેલની સજા સંભળાવવાના કારણે લોકસભા સચિવાલયે આ નિર્ણય લીધો હતો.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને માનહાનિના એક મામલામાં સુરતની એક કોર્ટ દ્વારા બે વર્ષ કેદની સજા સંભળાવ્યા બાદ સંબંધિત નિર્ણયને પાર્ટી ઉપરી કોર્ટમાં ટૂંક સમયમાં જ પડકાર આપવાની તૈયારીમાં છે. પાર્ટીના ઉચ્ચ પદસ્થ સુત્રોનું કહેવુ છે કે, અપીલ દાખલ કરવામાં વિલંબ થઈ રહ્યો કારણ કે, નીચલી કોર્ટનો નિર્ણય ગુજરાતી ભાષામાં છે અને 170 પાનાનો છે, જેનું અંગ્રેજી ભાષામાં કાયદાકીય દ્રષ્ટિથી યોગ્યરીતે અનુવાદ કરવામાં ચારથી છ દિવસનો સમય લાગે છે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું, જલ્દી અપીલ દાખલ કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.