નવા લાઈસન્સ માટે નહીં પડે મુશ્કેલી, ટ્રાન્સપોર્ટ વિભાગે લીધો મોટો નિર્ણય

જે લોકો પાસે લાઇસન્સ નથી અને તેઓ નવું લાઇસન્સ કઢાવવા ઈચ્છે તો તેમના માટે ખૂશીના સમાચાર છે. રાજ્યના સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર હવે કોઈ પણ જિલ્લાનો વ્યક્તિ કોઈ પણ RTOમાંથી લાઇસન્સ કાઢવી શકશે. તેને લાઇસન્સ કઢાવવા માટે મૂળ વતન ધક્કા નહીં ખાવા પડે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવતા લાઈસન્સ કઢાવવાની પ્રક્રિયામાં વેડફાટ થતો વાહન ચાલકોનો સમય બચશે અને વાહન ચાલકોને લાઈસન્સ કઢાવવા માટે ધક્કા નહીં ખાવા પડે. જો કે, પહેલા એવો નિયમ હતો કે, વાહન ચાલક મૂળ જે જિલ્લાનો હોય અને તેના પૂરાવાઓ જે જગ્યા પરના હોય તે જગ્યા જે RTOના હદ વિસ્તારમાં આવે ત્યાં વાહન ચાલકને લાઈસન્સ કઢાવવા માટે ધક્કાઓ ખાવા પડતા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા બે મહિના પહેલા એક આવો જ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં અરજદાર રાજ્યના કોઈ પણ જિલ્લાની RTO કચેરી પર લાઈસન્સ રીન્યુ કરાવવાની સાથેસાથે નામમાં પણ ફેરફાર કરાવી શકશે. જોકે, વાહન ચાલક પોતાની જન્મ તારીખ, લાઈસન્સ ઈશ્યૂ તારીખ અને લાઇસન્સ નંબર નહીં બદલાવી શકે. આ નિયમ લાગુ થવાથી વાહન ચાલકોને મોટી રાહત મળી હતી. કારણ કે, પહેલા વાહન ચાલકે લાઈસન્સ જે જિલ્લાની RTO કચેરીમાંથી લીધું હોય. તેને રીન્યુ કરાવવા માટે તે જ RTO કચેરી પર જવું પડતું હતું. જેના કારણે વાહન ચાલકોએ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. વાહન ચાલક જિલ્લો છોડીને અન્ય જિલ્લામાં રહેવા ગયો હોય તો પણ તેણે પહેલાના જિલ્લામાં જ લાઇસન્સ રીન્યુ કરાવવા માટે ધક્કા ખાવા પડતા હતા.

About The Author

Related Posts

Top News

દેશનો સૌથી મોટો IPO આવવા માટે તૈયાર, મુકેશ અંબાણીની મોટી જાહેરાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી AGMમાં ચેરમેન મુકેશ અંબાણીએ Jio IPO અંગે એક મોટી જાહેરાત કરી. બજાર નિષ્ણાતો અનુસાર આ...
Business 
દેશનો સૌથી મોટો IPO આવવા માટે તૈયાર, મુકેશ અંબાણીની મોટી જાહેરાત

માફીનો કોઈ પ્રશ્ન જ નથી: કર્ણાટકમાં ક્રોસ વોટિંગના ઝટકા બાદ ભાજપ એક્શનના મૂડમાં

કર્ણાટક વિધાન પરિષદની ચૂંટણીએ ભાજપની આગેવાની હેઠળના વિરોધ પક્ષોના ગઠબંધનમાં મોટો ભૂકંપ લાવી દીધો છે. સત્તાધારી કોંગ્રેસ પક્ષે 7 માંથી...
Politics 
માફીનો કોઈ પ્રશ્ન જ નથી: કર્ણાટકમાં ક્રોસ વોટિંગના ઝટકા બાદ ભાજપ એક્શનના મૂડમાં

આર્સેલરમિત્તલ કંપનીની 20મી વર્ષગાંઠ, એક્ઝિક્યુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલે ખાસ સંદેશ આપ્યો

આ વર્ષે 31 જુલાઈના રોજ આર્સેલરમિત્તલ કંપનીની 20મી વર્ષગાંઠ આવી રહી છે તે પહેલાં, 15 અને 16 જૂનના રોજ ન્યૂ...
Gujarat 
આર્સેલરમિત્તલ કંપનીની 20મી વર્ષગાંઠ, એક્ઝિક્યુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલે ખાસ સંદેશ આપ્યો

સુરતમાં નકલી કેશ કિંગ અને એરિયલ વોશિંગ પાઉડરનું નેટવર્ક ઝડપાયું, 3ની ધરપકડ

ડાયમંડ નગરી હવે નકલી વસ્તુઓની નગરી બની ગઇ હોય તેવો ભાસ થાય છે, કારણ કે અહીં નકલી વસ્તુઓ વારંવાર પકડાતી...
Gujarat 
સુરતમાં નકલી કેશ કિંગ અને એરિયલ વોશિંગ પાઉડરનું નેટવર્ક ઝડપાયું, 3ની ધરપકડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.