નાયબ મામલતદાર અને રેવન્યૂ તલાટીઓની જિલ્લા ફેર બદલી, જુઓ લિસ્ટ

થોડા સમય અગાઉ સરકાર દ્વારા IPS અધિકારીઓ IAS અધિકારીઓની રાજ્ય સરકાર દ્વારા બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ ફરજ બજાવતા 145 જેટલા નાયબ મામલતદાર અને 207 જેટલા રેવન્યૂ તલાટીઓની જિલ્લા ફેરબદલીના આદેશ કરવામાં આવ્યા છે.

transfer
divyabhaskar.co.in

સરકારી હુકમમાં બદલી પામેલા કર્મચારીઓને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે. જે કર્મચારીઓના નામ આ યાદીમાં છે, તેમણે કોઈપણ જાતના વિલંબ કર્યા વગર નિર્ધારિત સમયમર્યાદામાં પોતાની નવી ફરજના સ્થળે હાજર થવાનું રહેશે. આ બાબતે હવે કોઈ પણ પ્રકારની બેદરકારી કે બહાનાબાજી ચલાવી લેવામાં આવશે નહીં.

transfer1
divyabhaskar.co.in

સરકારી હુકમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ફેરબદલીઓ વહીવટી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે અને સંબંધીત કર્મચારીઓને નિર્ધારિત સમયમર્યાદામાં નવા જિલ્લાઓમાં હાજર થવાનું રહેશે. સાથે જ ફેરબદલી પામનાર કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારની રજૂઆત કે અપીલ માન્ય રહેશે નહીં. એટલે કે, હવે બદલી રદ કરાવવા કે સ્થળ બદલવા માટેની કોઈ પણ અરજી કે ભલામણ ધ્યાને લેવાશે નહીં, તેથી કર્મચારીઓએ આદેશનું પાલન કરવું ફરજિયાત છે.

transfer2
divyabhaskar.co.in

આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સંબંધિત જિલ્લા કલેક્ટર (Collector) કચેરીઓને પણ કડક સૂચના આપી દેવામાં આવી છે.

transfer3
divyabhaskar.co.in

કલેક્ટરોએ બદલી થયેલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરવાની અને જે તે જિલ્લામાં નવા હાજર થતા કર્મચારીઓની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, જેથી પ્રજાલક્ષી મહેસૂલી કામગીરી અટકે નહીં. બદલી પામેલા તમામ કર્મચારીઓની વિગતવાર યાદી જે-તે જિલ્લા કલેક્ટર કચેરી અને મહેસૂલ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

કોણ છે ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિન, જેણે નશામાં 3 કાર ઉડાવી? આવો રહ્યો છે રેકોર્ડ

મંગળવારે વહેલી સવારે વડોદરા પોલીસે નશામાં અને બેદરકારીથી વાહન ચલાવવાના આરોપમાં પૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિનની ધરપકડ કરી હતી. પોલીસના...
Gujarat 
કોણ છે ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિન, જેણે નશામાં 3 કાર ઉડાવી? આવો રહ્યો છે રેકોર્ડ

સાયબર અવેરનેસ કાર્યક્રમમાં 5 પુસ્તકોનું વિમોચન

સુરત | ગુજરાત: સાઇબર ગુનાઓ અંગે સમાજમાં જાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે CAWACH Kendra, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર તથા SPB English...
Gujarat 
 સાયબર અવેરનેસ કાર્યક્રમમાં 5 પુસ્તકોનું વિમોચન

નશા વિરુદ્ધ સુરતમાં ઐતિહાસિક જનજાગૃતિ અભિયાન

સુરત. નશાના વધતા દૂષણ સામે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે સુરતમાં 26મી જાન્યુઆરી, સોમવારના રોજ એક ઐતિહાસિક જનજાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન...
Gujarat 
નશા વિરુદ્ધ સુરતમાં ઐતિહાસિક જનજાગૃતિ અભિયાન

K2 બ્યુટી બારના MOM'S TOUCH ઓર્ગેનિક સાબુનું નવું લક્ષ્ય #IPO અને વૈશ્વિક બજાર

સુરત (ગુજરાત) [ભારત], જાન્યુઆરી 27: વિશ્વ બજાર તરફ દ્રષ્ટિ ફેરવતી આ કંપનીના મૂળ ખૂબ જ ઊંડા અને મજબૂત છે. પિતામહ,...
Gujarat 
K2 બ્યુટી બારના MOM'S TOUCH ઓર્ગેનિક સાબુનું નવું લક્ષ્ય #IPO અને વૈશ્વિક બજાર

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.