પોતાના લગ્નમાં જ ન પહોંચી શકી દુલ્હન, થયું લાખો રૂપિયાનું નુકસાન

ફ્લાઈટ કેન્સલ થાવના લીધે એક દુલ્હન પોતાના જ લગ્નમાં પહોંચી શકી ન હતી. મહિલાએ પોતાના વૈવાહિક સ્થળ પર પહોંચવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા પરંતુ તેની દરેક કોશિશ નિષ્ફળ રહી હતી. જ્યારે મહિલાનો થનારો પતિ તેના પરિવાર સાથે 3200 કિમી દૂર વેડિંગ વેન્યુ પર પહોંચીને તેની રાહ જોઈ રહ્યો હતો. આ ઘટનાને લીધે કપલને આશરે 57 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. અસલમાં સેન્ટ લુઈસની રહેનારી કેટી ડેમકોના ડેસ્ટીનેશન વેડિંગ માટે બેલિઝે દેશ જવાનું હતું. 

પરંતુ છેલ્લા સમય પર સાઉથવેસ્ટ એરલાઈન્સે તેની ફ્લાઈટ કેન્સલ કરી દીધી હતી. આ દરમિયાન સાઉથ વેસ્ટ એરલાઈન્સે કેટીને ઓપ્શનલ ફ્લાઈટ પણ આપી ન હતી. એરલાઈન્સ કંપનીના આ ઝોલના કારણે મહિલા પોતાના લગ્નમાં સમયસર પહોંચી શકી ન હતી. કપલે બેલિઝેમાં 30 ડિસેબ્મરના ડેસ્ટીનેશલ વેડિંગ પ્લાન કરી હતી. 27 ડિસેમ્બરના જ્યારે કેટી પોતાના પરિવારના લોકો અને મિત્રો સાથે એરપોર્ટ પહોંચી તો ખબર પડી કે તેની ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ છે.

જ્યારે કેટીનો થનારો પતિ માઈકલ પોતાના પરિવાર સાથે ફ્લાઈટ પકડીને બેલિઝે પહોંચી ગયો હતો. કેટીના મિત્રો લગ્નમાં સામેલ થવા માટે 28 ડિસેમ્બરના પહોંચવાના હતા. તેવામાં તેમણે પોતાની ટિકીટ આપવાની પણ વાત કરી હતી. પરંતુ એરલાઈન્સ કંપનીએ બુકિંગ બદલવામાં પણ પોતાની અસમર્થતા બતાવી હતી. કેટીએ CNN સાથે વાતચીતમાં કહ્યું કે તેની સાથે જ્યારે આવું થયુંતો તે રડવા લાગી હતી.

ટ્રાવેલ એજન્ટ પણ તેના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી શક્યો ન હતો. કેટીએ કહ્યું કે મારા અને માઈકલના પરિવાર માટે ઘણો ખાસ દિવસ હતો. પરંતુ તે સંપૂર્ણ રીતે ખરાબ થઈ ગયો હતો. કપલે ડેસ્ટીનેશન વેડિંગ માટે બેલિઝેમાં વિક્ટોરિયા હાઉસનું બુકિંગ કરાવ્યું હતું. આ રિઝોર્ટે પણ રીફંડની રકમ આપવાની ના પાડી દીધી હતી. આ કારણથી કપલને 58 લાખ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું, જ્યારે કેટરિંગ, ફોટોગ્રાફી, ફુલોની સજાવટ માટે પણ કપલે પૈસા આપી રાખ્યા હતા. કપલને તેમાં પણ નુકસાન થયું હતું.

કેટીએ કહ્યું કે પૈસાનું નુકસાન તો થયું જ પરંતુ સૌથી વધારે નુકસાન એક્સાઈટમેન્ટ અને ઈમોસન્સનું થયું છે. આ દિવસ માટે મારા મિત્રો અને પરિવારે પોતાનો સમય કાઢ્યો હતો, પરંતુ બધુ ખરાબ થઈ ગયું. કેટીએ દાવો કર્યો છે કે આ ઘટના પછી સાઉથવેસ્ટ એરલાઈન્સ કંપનીએ તેની માફી પણ માંગી નથી. એક ફાર્માસુટીકલ રિપ્રેઝન્ટેટીવ કેટીએ કહ્યું કે એરલાઈન કંપનીના આ વ્યવહારથી તે હેરાન છે કારણ કે તે મોટેભાગે આ એરલાઈનમાં જ સફર કરે છે. જ્યારે ડેઈલમેલના સવાલ પર સાઉથવેસ્ટ એરલાઈને કહ્યું હતું કે ગયા અઠવાડિયાની અસુવિધા માટે તે માફી માંગે છે. અમે અમારા ગ્રાહકોને સતત સપોર્ટ કરતા રહીશું. જો ગ્રાહકોને કોઈ મુશ્કેલી છે તો અમારી વેબસાઈટ પર જઈને અમારો સંપર્ક કરી શકે છે.       

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.