આ રેલવે સ્ટેશન પર ટિકિટ મહારાષ્ટ્રમાં મળે છે જ્યારે ટ્રેન ગુજરાતમાં ઊભી રહે છે

On

ભારતીય રેલવે સાથે સંકળાયેલું એક રસપ્રદ તથ્ય છે, જેના વિશે ઘણા ઓછાં લોકો જાણે છે. આ સ્ટોરી એક એવા રેલવે સ્ટેશનની છે, જેને ભારતનું સૌથી અનોખુ રેલવે સ્ટેશન માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે, તેનો અડધો હિસ્સો ગુજરાતમાં આવેલો છે તો અડધો હિસ્સો મહારાષ્ટ્રમાં છે. તો ચાલો જાણીએ આ બે રાજ્યોમાં વહેંચાયેલા આ સ્ટેશન વિશે કેટલીક ખાસ વાતો, જેને જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો.

આ સ્ટેશનનું નામ છે નવાપુર રેલવે સ્ટેશન. તે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમાને એક સાથે ટચ કરનારું એકમાત્ર રેલવે સ્ટેશન છે. સ્ટેશન પર એક બેન્ચ એવી પણ છે, જેનો અડધો હિસ્સો મહારાષ્ટ્રમાં તો અડધો હિસ્સો ગુજરાતમાં છે. આ બેન્ચ પર બેસનારા લોકોએ એ ધ્યાન રાખવાનું હોય છે કે, તે કયા રાજ્યમાં બેઠા છે.

આ સ્ટેશનની સૌથી ખાસ વાત એ છે કે, અહીં ટિકિટ બારી મહારાષ્ટ્રમાં આવેલી છે, જ્યારે સ્ટેશન માસ્ટર ગુજરાતમાં બેસે છે. એટલું જ નહીં, આ સ્ટેશન પર ચાર અલગ-અલગ ભાષાઓ હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠીમાં અનાઉન્સમેન્ટ થાય છે, જેથી મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યોમાંથી આવતા યાત્રીઓ તેને સમજી શકે. આ ઉપરાંત, અહીં સૂચનાઓ પણ ચાર ભાષાઓમાં લખવામાં આવે છે.

ટિકિટ બારી ઉપરાંત, રેલવે પોલીસ સ્ટેશન અને કેટરિંગ મહારાષ્ટ્રના નંદૂરબાર જિલ્લાના નવાપુરમાં આવેલું છે, જ્યારે વેઈટિંગ રૂમથી લઈને પાણીની ટાંકી અને શૌચાલય ગુજરાતના તાપી જિલ્લાના ઉચ્છલમાં આવેલું છે.

બે રાજ્યોમાં વહેંચાયેલા હોવાના કારણે નવાપુર રેલવે સ્ટેશન પર અડધો કાયદો ગુજરાતનો તો અડધો મહારાષ્ટ્રનો ચાલે છે. જેમ કે, ગુજરાતમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે, તો મહારાષ્ટ્રમાં પાન મસાલા અને ગુટકા પર એવામાં જો કોઈ વ્યક્તિ ગુજરાતવાળા હિસ્સામાં ગુટખા વેચે તો વાંધો નથી, પરંતુ જો તે ભૂલથી મહારાષ્ટ્રની સીમામાં ચાલ્યો જાય તો તે ગુનેગાર બની જાય છે.

નવાપુર રેલવે સ્ટેશનની કુલ લંબાઈ 800 મીટર છે. તેનો 300 મીટરનો હિસ્સો મહારાષ્ટ્રમાં અને 500 મીટરનો હિસ્સો ગુજરાતમાં પડે છે. અહીંની સૌથી રસપ્રદ વાત એ છે કે, સ્ટેશન પર આવનારી ગાડીઓનો એક હિસ્સો ગુજરાતમાં તો બીજો હિસ્સો મહારાષ્ટ્રમાં હોય છે.

નવાપુર રેલવે સ્ટેશનના બે રાજ્યોમાં વહેંચાયેલા હોવા પાછળ એક સ્ટોરી છે. જ્યારે આ સ્ટેશન બન્યું હતું, ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગલા નહોતા પડ્યા. તે સમયે નવાપુર સ્ટેશન સંયુક્ત મુંબઈ પ્રાંતમાં પડતો હતો, પરંતુ 1 મે, 1961ના રોજ જ્યારે મુંબઈ પ્રાંતની વહેંચણી થઈ તો તે બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં વહેંચાઈ ગયું. આ ભાગલામાં નવાપુર સ્ટેશન બે રાજ્યોની વચ્ચે આવી ગયું અને ત્યારથી તેની એક અલગ ઓળખ છે.

જોકે, નવાપુર કોઈ પહેલું રેલવે સ્ટેશન નથી, જે બે રાજ્યોની સરહદ સાથે જોડાયેલું છે. આ ઉપરાંત, ભવાની મંડી દેશનું એવું બીજી રેલવે સ્ટેશન છે, જે રાજસ્થાન અને મધ્ય પ્રદેશ બે રાજ્યોની સીમામાં વહેંચાયેલું છે.

Related Posts

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.