ભારતના આ ગામમાં છે કાળી કૂતરીનું મંદિર, લોકો કુતિયા મહારાનીમાં ની જય બોલાવે છે

ભારતમાં લોકો દ્વારા અલગ-અલગ પ્રાણીઓની પણ પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોવાના જણાવવામાં આવે છે એટલે લોકો ગાયની પૂજા કરે છે, આ ઉપરાંત હાથીને ભગવાન ગણેશનું સ્વરૂપ સમજી લોકો હાથીની પૂજા કરે છે અને વાનરને હનુમાનજીનું સ્વરૂપ સમજી લોકો તેની પણ પૂજા કરે છે. ત્યારે આજે એક એવા ગામની વાત કરવી છે કે, એ ગામમાં લોકો કૂતરીની પૂજા કરે છે. ગામમાં લોકોએ કૂતરી દેવીનું મંદિર પણ બનાવ્યું છે અને ગામના લોકોએ મંદીએને કૂતરી દેવીના મંદિરનું બિરુદ આપ્યું છે.

કૂતરીનું મંદિર ઉત્તર પ્રદેશના બુદેલખંડ પ્રદેશના ઝાંસી જિલ્લામાં આવેલા રેવન અને કાકવારા ગામની વચ્ચેના રસ્તા પર આવેલું છે. આ મંદિરમાં એક કાળી કૂતરીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને મંદિરની બહાર એક લોખંડની ગ્રીલ લગાવવામાં આવી છે. જેથી કોઈપણ લોકો મંદિરમાં રહેલી કૂતરીની મૂર્તિને નુકસાન ન પહોંચાડી શકે. ગામના લોકોએ મંદિર પર જય કુતિયા મહારાણી મા લખ્યું છે અને લોકો કૂતરીના મંદિરની આગળથી પસાર થાય છે, ત્યારે તેઓ મંદિર સામે નમન પણ કરે છે.

આ મંદિર બનાવવા પાછળ એક કહાની પણ છુપાયેલી છે. મંદિરમાં જે કાળી કૂતરીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. તે કૂતરી રેવન અને કાકવારા ગામમાં જ્યારે તહેવારો ઉજવતા હતા ત્યારે બંને ગામોમાં જમવા જતી હતી. કોઈપણ કાર્યક્રમ ગામમાં હોય એટલે કૂતરી જમવા પહોંચી જતી હતી. એક દિવસ રેવન ગામમાંથી રમતુલાનો અવાજ સંભળાયો અને કૂતરીને ભૂખ લાગી હોવાથી, તે જમવા માટે દોડીને રેવન ગામમાં પહોંચી હતી પરંતુ તે પહોંચી ત્યારે ગામના તમામ લોકોએ જમી લીધું હતું અને ત્યારબાદ કાકવારા ગામમાંથી રમતુલાનો અવાજ સંભળાતા ભુખી કૂતરી દોડીને કાકવારા ગામે ગઈ હતી પરંતુ ત્યાંથી પણ તેને ખોરાક ન મળી શક્યો અને ભૂખ્યા પેટે આમથી તેમ દોડાદોડી કરતા કૂતરીનું મોત નીપજ્યું હતું.

કૂતરીના મોતના સમાચાર લોકોને મળતા બંને ગામના લોકોને એકઠા ગયા અને ગામ લોકોએ દુઃખી થઈને કૂતરીનું જે જગ્યા પર મોત નીપજયું હતું. તે જગ્યા પર કૂતરીની દફનવિધિ કરી હતી. એવું પણ કહેવામાં આવે છે કે, જે જગ્યા પર કૂતરીની દફનવિધિ કરવામાં આવી હતી તે, જગ્યા થોડા સમયમાં પથ્થર બની ગઈ હતી એટલે ગામના લોકોએ આ ઘટનાને ચમત્કાર સમજીને. તે જગ્યા પર કૂતરીનું એક મંદિર બનાવી દીધું અને તે મંદિરમાં કાળી કૂતરીની પ્રતિમાની સ્થાપના કરી. હજુ પણ ગામની મહિલાઓ પ્રતિદિન કૂતરીને પાણી ચઢાવવા અને પ્રાર્થના કરવા માટે આવે છે. આ ઉપરાંત જે કોઈ વ્યક્તિ આ મંદિરની બાજુમાંથી પસાર થાય ત્યાંરે કૂતરીને નમન કરે છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.