સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે

(ઉત્કર્ષ પટેલ)

સમયની વાત અને સમયને સમજી લઈને ચાલીએને તો વાત અનેરી. સમય અને સફડતાના તાલમેલને સમજવા માટે ઉદાહરણ રૂપ આપણા ભારત દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અને સૌ ગુજરાતીઓના પોતીકા એવા અમિત શાહના શબ્દો સમજીએ...

"...મિત્રો સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, ક્યારેય નથી હોતો. તમારે મોટા માણસ બનવું હોય તો એક વાત યાદ રાખજો... સમય ક્યારેય આપણા અનુકૂળ નથી હોતો એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે પછી અનુકૂળતા જ અનુકૂળતા. અને જે જીવનમાં લક્ષ્ય નક્કી ના કરે અને એ લક્ષ્યની પાછળ ચિત્તથી ચોંટી ના પડે એ ક્યારેય મોટા ના થઈ શકે, મોટા થવું હોય તો લક્ષ્ય પણ મોટું રાખવું..."

Amit Shah
tv9hindi.com

કેટલી સચોટ વાત છે!! જો આટલું આપણે સમજી જઈને તો જીવનના ઉંમરના કોઈ પણ પડાવે આપ હોવ અને નવી શરૂઆત કરો તો ચોક્કસ સફળતા મળે જ.

થોડો પ્રયત્ન કરી જોવો, સમય સંજોગોથી ક્યારેય હારશો નહીં અને લક્ષ્ય કાર્યસિદ્ધિ માટે મંડ્યા જ રહો તો સમય બદલાશે, ધાર્યું કાર્ય પાર પડશે. બસ આત્મવિશ્વાસ અને ધગસ રાખજો.

દેશભક્તની વાત ટાંકીને સમયની સમજ લઇએ છીએ તો અમિતભાઈ શાહની સાથે આપણે આપણા દેશ અને વિશ્વના પ્રથમ હરોળના બીજા બે રત્નોને પણ સમજીએ,

એક નરેન્દ્ર મોદી જેમણે રાત દિવસ જોયા વિના દેશ માટે જીવન સમર્પણ કર્યું અને આજે દેશના વડાપ્રધાન પદેથી પોતાના જીવનની એક એક મિનિટ દેશ માટે સમર્પિત કરી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં આપણા ભારતનો દરેક ક્ષેત્રે ડંકો વાગી રહ્યો છે, જેનો વિશ્વભરમાં રહેલા ગુજરાતી હોય કે ભારતીય ગર્વ લઈ શકે છે.

Saugat-e-Modi
news1india.in

બીજા પરમ શ્રદ્ધેય ડોક્ટર પ્રવીણ તોગડિયા જેઓ ઉચ્ચ કક્ષાના કેન્સર ડોક્ટર હોવા છતાં બધું ત્યાગ કરી હિન્દુ ધર્મ રક્ષાર્થે જીવન સમર્પિત કર્યું અને આજે પણ સમગ્ર દેશ અને વિશ્વમાં હિંદુત્વનું જાગરણ કરવાનું કાર્ય અવિરત ચાલુ રાખ્યું છે.

ઉપરોક્ત ત્રણેવ વ્યક્તિત્વ મારા જીવનના આદર્શ વ્યક્તિત્વો પૈકીના હોય અને દેશમાટે પૂર્ણભાવથી સમર્પિત હોવાથી પૂર્ણ વિશ્વાસ સાથે એમના જીવનની સફળ કાર્ય શૈલીથી હું આપને એજ સમજાવવા માંગુ છું કે...

સાચી ભાવનાથી સમયની પ્રતિકુળતાથી વિચલિત થયા વિના સારા લક્ષ્યને વળગી રહીએ તો ઈશ્વર અને સમાજ ચોક્કસથી આપણને સાથ આપે જ છે અને ધ્યેય કાર્યસિદ્ધિ જરૂરથી પ્રાપ્ત થાય જ છે.

1737018792Pravin-Togadia3

કોઈકને મારી વાતથી ગમો અણગમો હોઈ શકે પરંતુ દીર્ઘદૃષ્ટિ અને નિર્દોષ ભાવે વિચારશો તો સૌ સમજી સકશો કો આપણી વચ્ચે આવા મહાન વ્યક્તિત્વો છે કે જેમના જીવનથી આપણે ઘણું શીખી શકીએ અને જીવનપથ પર લક્ષ્યસિદ્ધિ પામી શકીએ.

અગત્યનું:

બસ ત્યારે... મંડી પડો પોત પોતાના લક્ષ્ય પાછળ અને સમયને અનુકૂળ બનાવી દો.

અને હા શુદ્ઘ હેતુ સાથે વડીલોના આશીર્વાદ અને ભગવાનની ભક્તિને સાથે રાખજો.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)

About The Author

Related Posts

Top News

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામમાં એક નવું નામ ઉમેરાયું છે અને આ નામ રેસમાં અત્યારે સૌથી આગળ હોવાનું માનવામાં આવી...
Politics 
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ

ટ્રેનમાં મુસાફરી કરવાની પોતાની એક અલગ મજા હોય છે. બારી પાસેની સીટ હોય અને ગરમાગરમ ચા, તો પછી ટ્રેનની...
Business 
વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ

કઈ કંપનીઓ સૌથી વધુ ડિવિડન્ડ આપે છે?

શેરબજારમાં ભારે ઘટાડાના સમયગાળા દરમિયાન પણ કેટલીક કંપનીઓ શાનદાર ડિવિડન્ડ આપે છે. કેટલીક કંપનીઓ તો તેમના શેરધારકોને બેંકના વ્યાજ કરતાં...
Business 
કઈ કંપનીઓ સૌથી વધુ ડિવિડન્ડ આપે છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 22-05-2025 દિવસ: ગુરુવાર મેષ: માનસિક સ્વાસ્થ્ય ખુબ સારું રહેશે. નોકરી ધંધામાં સારા સમાચાર મળે. માતા પિતાનું આરોગ્ય જળવાઈ તથા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.