30 લાખ મતદારોને મતાધિકારથી વંચિત રખાયા: અભિષેક બેનર્જીના ગંભીર આક્ષેપો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ એક વિગતવાર નિવેદન જારી કરીને ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકશાહી સંસ્થાઓ સાથે સમજૂતી કરવામાં આવી હતી.

અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું કે અમે અત્યંત મુશ્કેલ ચૂંટણી લડી છે. તેમણે દાવો કર્યો કે લગભગ 30 લાખ સાચા મતદારોને મતદાર યાદીમાંથી કથિત રીતે બહાર કરી દેવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભારતનું ચૂંટણી પંચ (ECI) અને અનેક સરકારી એજન્સીઓનું વલણ અત્યંત પક્ષપાતી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. જે લોકશાહી સંસ્થાઓએ નિષ્પક્ષ રીતે કામ કરવાનું હોય છે, તે પ્રભાવિત જણાય છે, જેના કારણે બંગાળમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા સામે ગંભીર ચિંતા ઉભી થઈ છે.

abhishekbanerjee

મતગણતરી પ્રક્રિયા અંગે શંકા વ્યક્ત કરતા બેનર્જીએ કહ્યું કે EVM ની અવરજવર અને તેને સંભાળવાની રીત સામે અનેક પ્રશ્નો ઉઠ્યા છે. કંટ્રોલ યુનિટ (Control Units) માં વિસંગતતાના અહેવાલો પણ ચિંતાજનક છે. તેમણે માંગ કરી છે કે મતગણતરી કેન્દ્રોના CCTV ફૂટેજ જાહેર કરવામાં આવે અને VVPAT સ્લિપની પારદર્શક ગણતરી કરવામાં આવે જેથી સત્ય જનતાની સામે આવે.

ચૂંટણી પછીની હિંસા અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે પક્ષની ઓફિસો પર હુમલા અને કાર્યકરોને ધમકાવવાની ઘટનાઓ લોકશાહીમાં અસ્વીકાર્ય છે. અભિષેકના મતે, જમીની સ્તરે લડત આપનારા TMC કાર્યકરોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને સુરક્ષાના અભાવે ઘણાએ ઘર છોડવા મજબૂર થવું પડ્યું છે. કોઈપણ રાજકીય કાર્યકરે પોતાની વિચારધારા અને પોતાની સુરક્ષા વચ્ચે પસંદગી ન કરવી પડવી જોઈએ.

abhishekbanerjee.jpg3

મમતા બેનર્જીના નેતૃત્વમાં લડત ચાલુ રાખવાની જાહેરાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે તૃણમૂલ કોંગ્રેસ દિલ્હી (સંસદ) અને પશ્ચિમ બંગાળ બંને જગ્યાએ બાંધછોડ વગરનો મજબૂત વિરોધ પક્ષ બનીને રહેશે. તેમણે કાર્યકરોને એકજુઠ રહેવા અપીલ કરી છે અને જે કાર્યકરો હિંસાનો ભોગ બન્યા છે તેમને સીધો સંપર્ક કરવા અથવા સોશિયલ મીડિયા પર વિગતો શેર કરવા જણાવ્યું છે.

અભિષેક બેનર્જીએ ખાતરી આપી છે કે તેઓ દરેક કાર્યકરની સુરક્ષા માટે કાયદાકીય અને લોકશાહી રીતે લડત આપશે અને સુનિશ્ચિત કરશે કે સરકારો હવે પશ્ચિમ બંગાળની જનતાના હિતમાં કામ કરે.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.