30 લાખ મતદારોને મતાધિકારથી વંચિત રખાયા: અભિષેક બેનર્જીના ગંભીર આક્ષેપો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ એક વિગતવાર નિવેદન જારી કરીને ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકશાહી સંસ્થાઓ સાથે સમજૂતી કરવામાં આવી હતી.

અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું કે અમે અત્યંત મુશ્કેલ ચૂંટણી લડી છે. તેમણે દાવો કર્યો કે લગભગ 30 લાખ સાચા મતદારોને મતદાર યાદીમાંથી કથિત રીતે બહાર કરી દેવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભારતનું ચૂંટણી પંચ (ECI) અને અનેક સરકારી એજન્સીઓનું વલણ અત્યંત પક્ષપાતી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. જે લોકશાહી સંસ્થાઓએ નિષ્પક્ષ રીતે કામ કરવાનું હોય છે, તે પ્રભાવિત જણાય છે, જેના કારણે બંગાળમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા સામે ગંભીર ચિંતા ઉભી થઈ છે.

abhishekbanerjee

મતગણતરી પ્રક્રિયા અંગે શંકા વ્યક્ત કરતા બેનર્જીએ કહ્યું કે EVM ની અવરજવર અને તેને સંભાળવાની રીત સામે અનેક પ્રશ્નો ઉઠ્યા છે. કંટ્રોલ યુનિટ (Control Units) માં વિસંગતતાના અહેવાલો પણ ચિંતાજનક છે. તેમણે માંગ કરી છે કે મતગણતરી કેન્દ્રોના CCTV ફૂટેજ જાહેર કરવામાં આવે અને VVPAT સ્લિપની પારદર્શક ગણતરી કરવામાં આવે જેથી સત્ય જનતાની સામે આવે.

ચૂંટણી પછીની હિંસા અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે પક્ષની ઓફિસો પર હુમલા અને કાર્યકરોને ધમકાવવાની ઘટનાઓ લોકશાહીમાં અસ્વીકાર્ય છે. અભિષેકના મતે, જમીની સ્તરે લડત આપનારા TMC કાર્યકરોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને સુરક્ષાના અભાવે ઘણાએ ઘર છોડવા મજબૂર થવું પડ્યું છે. કોઈપણ રાજકીય કાર્યકરે પોતાની વિચારધારા અને પોતાની સુરક્ષા વચ્ચે પસંદગી ન કરવી પડવી જોઈએ.

abhishekbanerjee.jpg3

મમતા બેનર્જીના નેતૃત્વમાં લડત ચાલુ રાખવાની જાહેરાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે તૃણમૂલ કોંગ્રેસ દિલ્હી (સંસદ) અને પશ્ચિમ બંગાળ બંને જગ્યાએ બાંધછોડ વગરનો મજબૂત વિરોધ પક્ષ બનીને રહેશે. તેમણે કાર્યકરોને એકજુઠ રહેવા અપીલ કરી છે અને જે કાર્યકરો હિંસાનો ભોગ બન્યા છે તેમને સીધો સંપર્ક કરવા અથવા સોશિયલ મીડિયા પર વિગતો શેર કરવા જણાવ્યું છે.

અભિષેક બેનર્જીએ ખાતરી આપી છે કે તેઓ દરેક કાર્યકરની સુરક્ષા માટે કાયદાકીય અને લોકશાહી રીતે લડત આપશે અને સુનિશ્ચિત કરશે કે સરકારો હવે પશ્ચિમ બંગાળની જનતાના હિતમાં કામ કરે.

About The Author

Related Posts

Top News

ભારતીય બેટ્સમેનો વિદેશમાં કેમ નબળા પડી જાય છે? ગાવસ્કરે બતાવી ખરી હકીકત!

ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે T20 શ્રેણી 3-0 થી જીતી લીધી છે, પરંતુ હારનો મુદ્દો હજુ પણ વણઉકેલાયેલો છે. વિદેશમાં...
Sports 
ભારતીય બેટ્સમેનો વિદેશમાં કેમ નબળા પડી જાય છે? ગાવસ્કરે બતાવી ખરી હકીકત!

OpenAIનો AI એજન્ટ કાબુ બહાર જઈને પોતાની મેળે ઇન્ટરનેટ સુધી પહોંચી ગયો...

એક ઘટનાએ AIની દુનિયાના અગ્રણી ટેક નિષ્ણાતોમાં ચિંતા ઉભી કરી છે. ChatGPT બનાવનારી કંપની OpenAIએ સ્વીકાર્યું છે કે...
Tech and Auto 
OpenAIનો AI એજન્ટ કાબુ બહાર જઈને પોતાની મેળે ઇન્ટરનેટ સુધી પહોંચી ગયો...

શું સુરતમાં એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે? પૂર્વ કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ

સુરતમાં જાહેરાતના બોર્ડ, બિલ્ડરોના પ્રોજેક્ટ અને અન્ય વિકાસકાર્યોના નામે વર્ષો જૂના વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં...
Gujarat 
શું સુરતમાં એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે? પૂર્વ કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ

દિલ્હીમાં Gen-Z પછી, UPમાં Gen-Alpha રસ્તા પર ઉતર્યા; અધિકારીઓએ તાત્કાલિક મોટાભાગની માંગણીઓ માટે લેખિત બાંહેધરી આપી

દિલ્હીમાં જંતર-મંતર ખાતે Gen-Z પછી, ઉત્તર પ્રદેશમાં Gen-Alpha પણ રસ્તા પર ઉતરી આવ્યા. પૂર્વી ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં, વર્ગોનો...
National 
દિલ્હીમાં Gen-Z પછી, UPમાં Gen-Alpha રસ્તા પર ઉતર્યા; અધિકારીઓએ તાત્કાલિક મોટાભાગની માંગણીઓ માટે લેખિત બાંહેધરી આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.