UPના રસ્તા પર સાંઢ રોજ એકનો જીવ લે છે, એ લોકો કહે છે નંદી છે: અખિલેશ યાદવ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુંખ્યંમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું. કટાક્ષ-કટાક્ષમાં અખિલેશ યાદવે પોતાની વાત કરી દીધી હતી.

એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં હાજર રહેલા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધ્યું. આ દરમિયાન અખિલેશ યાદવે કહ્યું કે UPમાં ટ્રાફિક પોલીસમાં નવી ભરતી થઈ છે, જે દરેક રસ્તા પર દેખાઈ રહી છે. આ નવી ભરતી છે જેના કારણે દરરોજ એક વ્યક્તિનું મોત થઇ રહ્યું છે. અખિલેશે કહ્યું કે એવો એક પણ દિવસ નથી જ્યારે ઉત્તર પ્રદેશમાં નવી ભરતીના કારણે ખેડૂત, ગરીબ વ્યક્તિ કે વેપારીનો જીવ ન ગયો હોય.

આ કાર્યક્રમમાં અખિલેશ યાદવ સાંઢના મુદ્દા પર નામ લીધા વગર બોલી રહ્યા હતા. તેમણે કહ્યુ કે, જેના કારણે દુર્ઘટનાઓ વધી રહી છે તેનું નામ હું બોલવા નહોતો માંગતો. અખિલેશે સાંઢના મુદ્દા પર રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, રસ્તા પર બેઠેલા સાંઢને એ લોકો નંદી કહે છે. અને હું કેવી રીતે બોલી શકુ કે એ નંદી દરરોજ એક વ્યક્તિનો જીવ લેશે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદલ સાંઢના મુદ્દા પર લગાતાર સરકારનો ઘેરાવ કરતા રહ્યા છે. તાજેતરમાં વિધાનસભામાં પણ અખિલેશે આ મુદ્દો ઉઠાવ્યો હતો. અખિલેશે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં કહ્યું હતું કે, જો તમારી કઇં ના થઇ શકે તેમ હોય તો, કમસે કેમ ‘સાંઢ સફારી’ જ બનાવી દો. તેમણે કહ્યું હતું કે, લાયન સફારીનું કામ તો સારી રીતે ન કરી શક્યા, તો તમે આના પર કામ કેમ નથી કરતા? શું તમારી પાસે બજેટનો અભાવ છે?

ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં અખિલેશ યાદવને સવાલ પુછવામાં આવ્યો હતો કે શું અખિલેશ લોકસભા ચૂંટણી લડવાના છે? જેના જવાબમાં અખિલેશે કહ્યુ હતું કે, હા, લડવી તો જોઇએ. ક્યાંથી ચૂંટણી લડીશ તે પાર્ટી નક્કી કરશે. વારણસી, કન્નોજ કે અન્ય કોઇ સીટ પરથી ચૂંટણી લડશે એ વિશે અખિલેશે કોઇ સ્પષ્ટતા કરી નથી. અખિલેશે મજાકમાં કહ્યું હતું કે, જ્યાંથી ભાજપ નેતા ચૂંટણી લડવાનું કહેશે ત્યાંથી હું ચૂંટણી લડી લઇશ. મતલબ કે અખિલેશ લોકસભાની ચૂંટણી લડવા તૈયાર છે.

2024ની ચૂંટણીને લઇને અખિલેશે ક્હયું કે ગઠબંધનના બધા નેતા તૈયાર છે. અમારી બેઠક પછી તમે 40 લોકોની મીટિંગ બોલાવી. ભાજપે એવી પાર્ટીઓને પણ બોલાવી હતી, જેનું કોઇ અસ્તિતત્વ જ નથી. અખિલેશે કહ્યું કે આ દુનિયાની સૌથી મોટી પાર્ટી છે જેને નાના પક્ષોની જરૂરત પડી ગઇ છે.

અખિલેશ યાદવે કહ્યું કે અમારી સાથે જેટલા પણ પક્ષો છે તે બધા તેમના રાજ્યાં તાકાતવર છે. સીટ એડજસ્ટમેન્ટ કોઇ મોટો મુદ્દો નથી. સંયોજકની પસંદગી કરવી પણ કોઇ મોટો મુદ્દો નથી. એ અમે કરી લઇશું. અત્યારે અમારા માટે સૌથી મોટો મુદ્દો કેન્દ્ર સરકારને હરાવવાનો છે. અમારો મુકાબલો માત્ર ભાજપ સામે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.