દલિતો માટે અવાજ ઉઠાવનાર રાહુલ ગાંધી વિરુદ્ધ જ દલિત વિરોધી કેસ કરી હલ્દ્વાનીમાં FIR

ઉત્તરાખંડના હલ્દ્વાની પોલીસ સ્ટેશનમાં લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. અનુસૂચિત જાતિ સમુદાયના યુવક અમિત કુમારની ફરિયાદના આધારે દાખલ કરાયેલી FIRમાં રાહુલ ગાંધી પર અનુસૂચિત જાતિ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

રાહુલ ગાંધી સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 196 અને 299 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ની કલમ 3(1) પણ FIRમાં દાખલ કરવામાં આવી છે.

rahul gandhi
newindianexpress.com

આ મામલો હલ્દ્વાનીમાં કોંગ્રેસની રેલી પછી કરવામાં આવેલી શુદ્ધિકરણ યજ્ઞ અને આ અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી સાથે જોડાયેલો છે. રાહુલ ગાંધીએ આ શુદ્ધિકરણ પર સવાલ ઉઠાવ્યા હતા, તેને દલિત વિરોધી ગણાવ્યું હતું. ફરિયાદીનો આરોપ છે કે રાહુલ ગાંધીની ટિપ્પણીઓથી અનુસૂચિત જાતિ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે, 8 ઓગસ્ટના રોજ હલ્દ્વાનીમાં કોંગ્રેસની રેલી યોજાઈ હતી. ત્યારબાદ, એક હિન્દુ સંગઠને રામલીલા મેદાનમાં 'શુદ્ધિકરણ વિધિ' યોજી હતી. આયોજકોએ દાવો કર્યો હતો કે રામલીલા મેદાનમાં ફેલાયેલી ગંદકી અને ત્યાં ઉઠાવવામાં આવેલા કથિત સાંપ્રદાયિક સૂત્રોચ્ચારના વિરોધમાં શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. તો, કોંગ્રેસ પાર્ટીએ આ શુદ્ધિકરણને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની દલિત ઓળખ સાથે જોડતા વિરોધ કર્યો હતો.

rahul gandhi
indianexpress.com

ત્યારબાદ આ મુદ્દાને લઈને રાજકીય નિવેદનબાજી વધુ તીવ્ર બની ગઇ હતી. રાહુલ ગાંધીએ પણ શુદ્ધિકરણ વિધિની ટીકા કરી અને તેને દલિત વિરોધી ગણાવી. આ જ ટિપ્પણીઓના આધારે હવે હલ્દ્વાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

ફરિયાદી અમિત કુમારે રાહુલ ગાંધી પર અનુસૂચિત જાતિ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદના આધારે, પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી છે અને આ મામલાની તપાસ શરૂ કરી છે.

About The Author

Related Posts

Top News

નેપાળના પૂરમાં ડૂબેલો બેંકનો ખજાનો '50 કરોડ રૂપિયાનું સોનું' 8 કલાકની મહેનત પછી મળ્યું, નોટના બંડલો તો...

નેપાળમાં આવેલા પૂરમાં જાનમાલ સહિત સંપત્તિ અને કિંમતી ચીજવસ્તુઓને ખુબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ભોટેકોશી નદીમાં આવેલા ભયંકર પૂરથી...
World 
નેપાળના પૂરમાં ડૂબેલો બેંકનો ખજાનો '50 કરોડ રૂપિયાનું સોનું' 8 કલાકની મહેનત પછી મળ્યું, નોટના બંડલો તો...

મૌલવીનો વાહિયાત લવારો, બોલ્યો- ‘મહિલાઓએ પોતાના ઘરો સુધી જ સીમિત રહેવું જોઇએ’

કેરળના ગ્રાન્ડ મુફ્તી શેખ અબુબકર અહમદના એક નિવેદને નવી બહેસ છેડી દીધી છે. કોચીમાં આયોજિત 'હબ્બુલ રસૂલ' કોન્નફ્રન્સમાં...
National 
મૌલવીનો વાહિયાત લવારો, બોલ્યો- ‘મહિલાઓએ પોતાના ઘરો સુધી જ સીમિત રહેવું જોઇએ’

અભિજીત દીપકેની 5 સપ્ટેમ્બરની રેલી પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો, CJIએ કહ્યું- એવું કોઈ કારણ નથી કે...

સુપ્રીમ કોર્ટે અભિજીત દિપકેના નેતૃત્વ હેઠળ CJP (કોકરોચ જનતા પાર્ટી)ની 5 સપ્ટેમ્બરની રેલીને પણ મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે...
National 
અભિજીત દીપકેની 5 સપ્ટેમ્બરની રેલી પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો, CJIએ કહ્યું- એવું કોઈ કારણ નથી કે...

સુરતના વરાછામાં રહેણાંક વિસ્તારોમાં ચાલતી કમર્શિયલ પ્રવૃત્તિથી કંટાળીને સ્થાનિકો રસ્તા પર ઉતર્યા, કહ્યું- નોટિસ નહીં કાર્યવાહી કરો

સુરત સરથાણા ઝોનમાં સ્થાનિક રહેવાસીઓનો રોષ હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે તેનું કારણ છે રહેણાંક વિસ્તારોમાં વધી રહેલી...
Gujarat 
સુરતના વરાછામાં રહેણાંક વિસ્તારોમાં ચાલતી કમર્શિયલ પ્રવૃત્તિથી કંટાળીને સ્થાનિકો રસ્તા પર ઉતર્યા, કહ્યું- નોટિસ નહીં કાર્યવાહી કરો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.