પાકિસ્તાન પર કબ્જો કરવો હોય તો કિક્રેટર, કલાકારો પર પ્રતિંબંધ લગાવો: વી કે સિંહ

જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના દિવસોમાં અનંતનાગ સહિત અનેક સ્થળોએ સેના અને પોલીસ પર આતંકી હુમલા થયા છે. અનંતનાગ એન્કાઉન્ટરમાં આર્મીના એક કર્નલ અને મેજર અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક DSP શહીદ થયા છે, જેના પછી દેશમાં આક્રોશનો માહોલ છે.એન્કાઉન્ટર પાછળ પાકિસ્તાની ષડયંત્ર પણ સામે આવી રહ્યું છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય મંત્રી વીકે સિંહે પાકિસ્તાનન બહિષ્કાર કરવા પર ભાર મૂક્યો છે.

પૂર્વ ભારતીય સેનાના પ્રમુખ જનરલ વી કે સિંહે ગુરુવારે કહ્યું કે આપણે વિચારવાની જરૂર છે, કારણ કે જ્યાં સુધી પાકિસ્તાનને એકલું પાડી દેવામાં નહીં આવે ત્યાં સુધી આ પડોશી દેશ આપણી સાથે સામાન્ય સંબંધો રાખવા પર વિચાર કરશે નહીં. જો આપણે તેની પર પ્રેસર ઉભું કરવું હશે તો તેનો બહિષ્કાર કરવો પડશે. વી કે સિંહે કહ્યું કે પાકિસ્તાનના ક્રિકેટરો, કલાકારો બધા પર ભારતમાં આવવા પર પ્રતિબંધ મુકી દેવો જોઇએ.

વી કે સિંહ ગુરુવારે મધ્ય પ્રદેશના ઇંદોર પહોંચ્યા હતા. તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીના પ્રચાર કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. વી કે સિંહે ANIને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જમ્મૂ-કાશ્મીરમાં નાની મોટી આતંકવાદી ઘટનાઓ બનતી રહેવાની, એને પુરે પુરી ખતમ કરવામાં સમય લાગશે, કારણ કે એક દેશ દેવાળિયો થઇ જવા છતા ભારતના આંતરિક મામલામાં ઘુસણખોરી કરવાની ચેષ્ટાને મગજમાંથી બહાર નથી કાઢી શકતો.

વી કે સિંહે કહ્યું કે પાકિસ્તાને એ સમજવાની જરૂર છે કે સામાન્ય સંબંધો ત્યાં સુધી નહીં બની સકે, જ્યા સધી તમે તમારા વ્યવહાર સામાન્ય ન કરી લો. સિંહે કહ્યું કે, જ્યારે આ દેશ છિન્ન ભિન્ન થઇ જશે તો આતંકવાદ આપોઆપ ખતમ થઇ જશે.

જનરલ વી કે સિંહે દાવો કર્યો કે જ્મ્મૂ-કાશ્મીરમાં સામાન્ય નાગરિક હવે પહેલા કરતા વધારે ખુશ છે. તેમણે કહ્યુ કે, આતંકવાદીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને લોકોને હવે અલગતાવાદી તત્વો દ્વારા ગેરમાર્ગે દોરાતા નથી. આ સરહદી રાજ્ય દેશના અન્ય ભાગોથી અલગ છે તેવી ગેરસમજ પણ ભૂંસાઈ ગઈ છે. વીકે સિંહે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ડસ્ટ્રીઝ અને ટૂરિઝમનો વિકાસ ઝડપી ગતિએ થઈ રહ્યો છે. જો તમે એક સામાન્ય કાશ્મીરી નાગરિકને પૂછો, તો તે તમને કહેશે કે તે આ વિકાસથી ખૂબ જ ખુશ છે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.