જર્મનીમાં રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યો પ્રહાર, ED-CBIને હાથો બનાવવાનો આરોપ

લોકસભામાં વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જર્મનીના બર્લિનમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રની ભાજપ સરકાર પર કટાક્ષ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ રાજકીય વિરોધીઓને નિશાન બનાવવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)નો ઉપયોગ કરી રહી છે. ભાજપે ગાંધીની ટિપ્પણીઓની નિંદા કરતા તેમને ભારત વિરોધી અને તેમના વ્યવહારને બાલિશ ગણાવ્યું.

ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે બર્લિનની પ્રતિષ્ઠિત હર્ટી સ્કૂલમાં આયોજિત એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અમારા સંસ્થાકીય માળખા પર કબજો કરવામાં આવી રહ્યો છે. તેના પર સંપૂર્ણ હુમલો થઈ રહ્યો છે. આપણી ગુપ્તચર એજન્સીઓ ED અને CBIને હથિયાર બનાવી દેવામાં આવી છે. ED અને CBI પાસે ભાજપ સામે કોઈ કેસ નથી અને મોટાભાગના રાજકીય કેસ એ લોકો સામે છે, જે તેમનો વિરોધ કરે છે.

rahul-gandhi1
thelallantop.com

રાહુલ ગાંધી ગયા અઠવાડિયે જર્મનીની 5 દિવસની યાત્રાએ ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે જો કોઈ ઉદ્યોગપતિ કોંગ્રેસને સમર્થન કરે છે, તો તેને ધમકીઓ મળે છે. રાહુલે આરોપ લગાવ્યો કે ભારતની સંસ્થાઓ હવે યોગ્ય રીતે કામ કરી રહી નથી.

ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ સંસ્થાકીય માળખું બનાવ્યું હતું, અને પાર્ટીએ તેને ક્યારેય પોતાનું નહીં, પણ રાષ્ટ્રનું માન્યું હતું. રાહુલે કહ્યું કે, ‘ભાજપ તેને એ રીતે જોતી નથી. તેઓ સંસ્થાકીય માળખાને પોતાનું માને છે. તેઓ તેનો ઉપયોગ પોતાની રાજકીય તાકત વધારવા માટે એક હથિયાર તરીકે કરે છે. રાહુલે એમ પણ કહ્યું કે ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે અને તેને રોકવાની સખત જરૂર છે. અમે એક એવું વિપક્ષી તંત્ર બનાવીશું, જે સફળ થશે. અમે ભાજપ સામે લડી રહ્યા નથી, પરંતુ તેમના દ્વારા કબજે કરાયેલા ભારતીય સંસ્થાકીય માળખા માટે લડી રહ્યા છીએ.

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇકોનોમિક મોડેલ પર પણ આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ અને RSSએ માત્ર કોઈ પણ ફેરફાર કર્યા વિના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની જૂની નીતિઓને આગળ ધપાવી છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે મોદી સરકારનું ઇકોનોમિક મોડલ હવે પૂરી રીતે ડેડ એન્ડ પર પહોંચી ચૂક્યું છે અને હવે કોઈ પરિણામ આપી નહીં શકે.

રાહુલે દાવો કર્યો કે ભારતમાં ઘણા લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરે છે, પરંતુ દેશની એક ખૂબ મોટી વસ્તી તેમની વિચારધારા અને વિઝનથી પૂરી રીતે અસહમત છે. તેમનું કહેવું છે કે આ વિઝન ખોટું છે અને દેશમાં ઊંડા સામાજિક તણાવ પેદા કરવાનું ગંભીર જોખમ બની શકે છે.

rahul-gandhi2
thelallantop.com

ભાજપની પ્રતિક્રિયા

મંગળવાર 23 ડિસેમ્બરના રોજ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા અને સવાલ ઉઠાવ્યો કે શું ભારતને ખરેખર પ્રેમ કરનાર કોઈ પણ વ્યક્તિ દેશની નિષ્ફળતા ઇચ્છશે? X પર એક પોસ્ટમાં પ્રદીપ ભંડારીએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી, પોતાના વૈચારિક સંરક્ષક, જ્યોર્જ સોરોસ સાથે મળીને ભારતીય લોકતંત્રમાં અરાજકતા અને અશાંતિ ફેલાવવા માંગે છે.

તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વિદેશ જઈને ભારત વિરોધી તાકતોને એકજૂથ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભંડારીએ વધુમાં આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ભારતીય લોકશાહીને નફરત કરે છે. કોંગ્રેસ ભારતની પ્રગતિને નફરત કરે છે અને રાહુલ ગાંધીની કોંગ્રેસ અરાજકતા ઇચ્છે છે.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.