રાહુલ ગાંધીનો 'હલ્લા બોલ', ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં ભાજપ શાસિત રાજ્યોની 'ડબલ એન્જિન' સરકારો પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગને કારણે સામાન્ય જનતાનું જીવન તબાહ થઈ ગયું છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા દ્વારા ઉત્તરાખંડની અંકિતા ભંડારી હત્યાકાંડથી લઈને દેશના વિવિધ ભાગોમાં બની રહેલી દુર્ઘટનાઓનો ઉલ્લેખ કરી સરકારને ઘેરી છે.

સત્તાનું સંરક્ષણ અને અંકિતા ભંડારી કેસ

રાહુલ ગાંધીએ ઉત્તરાખંડના ચર્ચિત અંકિતા ભંડારી હત્યાકાંડનો ઉલ્લેખ કરતા સવાલ ઉઠાવ્યો કે, આજે પણ પ્રશ્ન એ જ છે કે સત્તાનું સંરક્ષણ ભાજપના કયા VIP ને બચાવી રહ્યું છે? કાયદો દરેક માટે સમાન ક્યારે બનશે? તેમણે વધુમાં ઉત્તર પ્રદેશના ઉન્નાવ કાંડનો ઉલ્લેખ કરી જણાવ્યું કે કેવી રીતે સત્તાના અહંકારમાં ગુનેગારોને બચાવવામાં આવ્યા હતા.

Indore-Water-Tragedy4
navbharattimes.indiatimes.com

ભ્રષ્ટાચાર અને સ્વાસ્થ્ય સાથે ચેડા

તેમણે ઇન્દોરમાં ઝેરી પાણી પીવાથી થયેલા મોત અને ગુજરાત, હરિયાણા તેમજ દિલ્હીમાં 'કાળા પાણી'ની સમસ્યા પર ચિંતા વ્યક્ત કરી. સરકારી હોસ્પિટલોમાં નવજાત શિશુઓને મારતા ઉંદરો અને ઉધરસની સિરપ (Cough Syrup) થી થતા બાળકોના મોતને તેમણે ભ્રષ્ટાચારનું સીધું પરિણામ ગણાવ્યું.

1664002343ankita1

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે અબજોપતિઓના સ્વાર્થ માટે કુદરતી સંસાધનોનો નાશ કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળા હોય કે અન્ય જંગલો, નિયમોને નેવે મૂકીને પહાડો કાપવામાં આવી રહ્યા છે, જેના બદલે જનતાને માત્ર પ્રદૂષણ અને આપત્તિઓ મળી રહી છે.

વિકાસના દાવાઓ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, પુલ ધરાશાયી થાય છે, રસ્તાઓ બેસી જાય છે અને ટ્રેન અકસ્માતોમાં પરિવારો નાશ પામે છે, પરંતુ ભાજપ સરકાર માત્ર ફોટો-ઓપ અને ટ્વિટમાં વ્યસ્ત છે.

તેમણે અંતમાં ઉમેર્યું કે મોદીજીનું 'ડબલ એન્જિન' માત્ર અબજોપતિઓ માટે ચાલી રહ્યું છે. સામાન્ય ભારતીય માટે આ ભ્રષ્ટાચારની સરકાર વિકાસ નહીં, પરંતુ તબાહીની રફ્તાર છે, જે દરરોજ કોઈને કોઈનું જીવન કચડી રહી છે.

About The Author

Related Posts

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.