રાહુલ ગાંધીનો 'હલ્લા બોલ', ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં ભાજપ શાસિત રાજ્યોની 'ડબલ એન્જિન' સરકારો પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગને કારણે સામાન્ય જનતાનું જીવન તબાહ થઈ ગયું છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા દ્વારા ઉત્તરાખંડની અંકિતા ભંડારી હત્યાકાંડથી લઈને દેશના વિવિધ ભાગોમાં બની રહેલી દુર્ઘટનાઓનો ઉલ્લેખ કરી સરકારને ઘેરી છે.

સત્તાનું સંરક્ષણ અને અંકિતા ભંડારી કેસ

રાહુલ ગાંધીએ ઉત્તરાખંડના ચર્ચિત અંકિતા ભંડારી હત્યાકાંડનો ઉલ્લેખ કરતા સવાલ ઉઠાવ્યો કે, આજે પણ પ્રશ્ન એ જ છે કે સત્તાનું સંરક્ષણ ભાજપના કયા VIP ને બચાવી રહ્યું છે? કાયદો દરેક માટે સમાન ક્યારે બનશે? તેમણે વધુમાં ઉત્તર પ્રદેશના ઉન્નાવ કાંડનો ઉલ્લેખ કરી જણાવ્યું કે કેવી રીતે સત્તાના અહંકારમાં ગુનેગારોને બચાવવામાં આવ્યા હતા.

Indore-Water-Tragedy4
navbharattimes.indiatimes.com

ભ્રષ્ટાચાર અને સ્વાસ્થ્ય સાથે ચેડા

તેમણે ઇન્દોરમાં ઝેરી પાણી પીવાથી થયેલા મોત અને ગુજરાત, હરિયાણા તેમજ દિલ્હીમાં 'કાળા પાણી'ની સમસ્યા પર ચિંતા વ્યક્ત કરી. સરકારી હોસ્પિટલોમાં નવજાત શિશુઓને મારતા ઉંદરો અને ઉધરસની સિરપ (Cough Syrup) થી થતા બાળકોના મોતને તેમણે ભ્રષ્ટાચારનું સીધું પરિણામ ગણાવ્યું.

1664002343ankita1

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે અબજોપતિઓના સ્વાર્થ માટે કુદરતી સંસાધનોનો નાશ કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળા હોય કે અન્ય જંગલો, નિયમોને નેવે મૂકીને પહાડો કાપવામાં આવી રહ્યા છે, જેના બદલે જનતાને માત્ર પ્રદૂષણ અને આપત્તિઓ મળી રહી છે.

વિકાસના દાવાઓ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, પુલ ધરાશાયી થાય છે, રસ્તાઓ બેસી જાય છે અને ટ્રેન અકસ્માતોમાં પરિવારો નાશ પામે છે, પરંતુ ભાજપ સરકાર માત્ર ફોટો-ઓપ અને ટ્વિટમાં વ્યસ્ત છે.

તેમણે અંતમાં ઉમેર્યું કે મોદીજીનું 'ડબલ એન્જિન' માત્ર અબજોપતિઓ માટે ચાલી રહ્યું છે. સામાન્ય ભારતીય માટે આ ભ્રષ્ટાચારની સરકાર વિકાસ નહીં, પરંતુ તબાહીની રફ્તાર છે, જે દરરોજ કોઈને કોઈનું જીવન કચડી રહી છે.

About The Author

Related Posts

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.