‘તેઓ ખૂબ જ ડરપોક છે અને મજબૂત નેતાઓને આગળ...’, કોંગ્રેસના પૂર્વ નેતા શકીલ અહમદે રાહુલ ગાંધી પર ગુસ્સો ઠાલવ્યો

કોંગ્રેસના પૂર્વ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહમદે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો છે. તેમણે રાહુલ ગાંધીને એક એવા નેતા ગણાવ્યા છે જે મજબૂત કોંગ્રેસ નેતાઓની હાજરીમાં અસુરક્ષિત અનુભવે છે. ન્યૂઝ18ને આપેલા ઈન્ટરવ્યૂમાં શકીલ અહમદે કહ્યું હતું કે, ‘કોંગ્રેસમાં જે પણ નેતા ઉચ્ચ હોદ્દા પર છે, તે બહારથી આવ્યા છે. રાહુલ ગાંધીએ જાણી જોઈને આવું કર્યું છે, જેથી જ્યારે પણ તેમને જોખમ અનુભવાય ત્યારે તેમને હાંકી કાઢે. મૂળ કોંગ્રેસી સાથે આવું કરવું મુશ્કેલ છે.

Shakeel-Ahmed2
x.com/amitmalviya

શકીલ અહમદે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી એક ડરપોક અને અસુરક્ષિત નેતા છે. તેઓ પાર્ટીમાં મજબૂત કોંગ્રેસી નેતાઓ ઇચ્છતા નથી, પરંતુ એવા લોકો ઇચ્છે છે જેમને સરળતાથી હાંકી કઢાય. તેઓ માત્ર એવા યુવા નેતાઓને આગળ વધારી રહ્યા છે જેઓ તેમના ગુણગાન ગાતા હોય અને જમીની સ્તરની સમજણનો અભાવ હોય. શકીલ અહમદે કહ્યું કે, ‘અસુરક્ષિતને હિન્દીમાં ડરપોક કહીશું, આ શબ્દો બોલતા સારું લાગતું નથી, પરંતુ કહેવું તો પડશે, કારણ કે મને તેમની બાબતે એવું જ લાગે છે.

શકીલ અહમદ કોંગ્રેસના અનુભવી નેતા રહ્યા છે. તેમણે કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ મહાસચિવ જેવા મહત્ત્વપૂર્ણ પદો સંભાળ્યા છે. તેમણે 2025ની બિહાર વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. શકીલ અહમદ 3 વખત ધારાસભ્ય અને બિહારથી 2 વખત સાંસદ પણ રહી ચૂક્યા છે. તેમણે SIR મુદ્દા પર રાહુલ ગાંધી પર પણ નિશાન સાધતા કહ્યું કે તેમનો મુદ્દો પૂરી રીતે ફેઇલ થઈ ચૂક્યો છે અને મુસ્લિમ સમુદાય પણ રાહુલ ગાંધીના આરોપો સાથે સહમત નથી.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઘણા વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ મુસ્લિમ નેતાઓ અને મુસ્લિમો સાથે ફોટો પડાવતા ડરે ​​છે કારણ કે તેમને હિન્દુ વોટ બેંક ગુમાવવાનો ડર રહે છે. રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર પર ટિપ્પણી કરતા શકીલ અહમદે કહ્યું કે, ‘જો કોચ પોતે બેટિંગ કરવાનું શરૂ કરી દેશે, તો ટીમ સારી બેટિંગ નહીં કરી શકે.

Shakeel-Ahmed2
x.com/amitmalviya

શકીલ અહમદના આ નિવેદનો બાદ, ભાજપે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસની અંદરની વાસ્તવિકતા હવે જાહેર થઈ રહી છે, અને રાહુલ ગાંધીના નેતૃત્વ પર  તેમની જ પાર્ટીના નેતા સવાલ ઉઠાવી રહ્યા છે. શકીલ અહેમદના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું કે, ‘કોંગ્રેસની અંદરનું સત્ય હવે ખૂલીને સામે આવી રહ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહમદે રાહુલ ગાંધીને અસુરક્ષિત નેતા ગણાવ્યા છે. તેમણે તેમને કાયર ગણાવ્યા અને કહ્યું કે રાહુલ કોંગ્રેસના મજબૂત નેતાઓને પસંદ કરતા નથી. શકીલ અહમદના મતે, જે નેતાઓ પોતાની વિચારસરણી અને જમીન સાથેના જોડાણને કારણે પાર્ટીમાં મજબૂત હોય છે તેઓ રાહુલ ગાંધીને અસ્વસ્થ કરે છે.

1606977054Amit_malviya1

માલવિયાએ કહ્યું કે, ‘આ જ કારણ છે કે કોંગ્રેસ સતત પોતાના નેતાઓને નબળા કરે છે અને પાયાના નેતૃત્વને આગળ વધવા દીધું નથી. આ નિવેદન માત્ર એક વ્યક્તિનું મંતવ્ય નથી, પરંતુ વર્ષોથી કોંગ્રેસમાં ચાલી રહેલા નેતૃત્વ સંકટ અને અસહિષ્ણુતાનો સ્પષ્ટ સંકેત છે.

About The Author

Related Posts

Top News

50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક સ્કૂટર

TVSએ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ તેની કિંમત ખૂબ જ ઓછી રાખી છે. આ સ્કૂટર 50,000...
Tech and Auto 
50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક  સ્કૂટર

હાઇવે પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા નફરતભર્યા સૂત્રો લખવા બદલ પોલીસે મહિલાને પકડી

સહારનપુરના બિહારીગઢ પોલીસ સ્ટેશને દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેની દિવાલો પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા વિવાદાસ્પદ સૂત્રો લખવા બદલ...
National 
હાઇવે પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા નફરતભર્યા સૂત્રો લખવા બદલ પોલીસે મહિલાને પકડી

કોઈ વસ્તુ તો મૂકી દો... સુરતમાંથી નકલી ઘી બનાવતી વધુ એક કંપની ઝડપાઈ, તેલમાંથી ઘી બનાવતા

ડાયમંડ નગરી સુરત હવે નકલી વસ્તુઓ બનાવવાનું હબ બનતું જઈ રહ્યું છે. શહેરમાંથી સતત નકલી ઘી, નકલી પાન-મસાલા,...
કોઈ વસ્તુ તો મૂકી દો... સુરતમાંથી નકલી ઘી બનાવતી વધુ એક કંપની ઝડપાઈ,  તેલમાંથી ઘી બનાવતા

IPLની ટીમની માલિક કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનરને 2.34 કરોડમાં ખરીદ્યો, સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ

ઇંગ્લેન્ડની ફ્રેન્ચાઇઝી લીગ, ‘ધ હંડ્રેડ’ માટે ખેલાડીઓની હરાજી બાદ સનરાઇઝર્સ લીડ્સ અચાનક વિવાદમાં ફસાઈ ગઈ છે. ગુરુવારે...
Sports 
IPLની ટીમની માલિક કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનરને 2.34 કરોડમાં ખરીદ્યો, સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.