‘તેઓ ખૂબ જ ડરપોક છે અને મજબૂત નેતાઓને આગળ...’, કોંગ્રેસના પૂર્વ નેતા શકીલ અહમદે રાહુલ ગાંધી પર ગુસ્સો ઠાલવ્યો

કોંગ્રેસના પૂર્વ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહમદે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો છે. તેમણે રાહુલ ગાંધીને એક એવા નેતા ગણાવ્યા છે જે મજબૂત કોંગ્રેસ નેતાઓની હાજરીમાં અસુરક્ષિત અનુભવે છે. ન્યૂઝ18ને આપેલા ઈન્ટરવ્યૂમાં શકીલ અહમદે કહ્યું હતું કે, ‘કોંગ્રેસમાં જે પણ નેતા ઉચ્ચ હોદ્દા પર છે, તે બહારથી આવ્યા છે. રાહુલ ગાંધીએ જાણી જોઈને આવું કર્યું છે, જેથી જ્યારે પણ તેમને જોખમ અનુભવાય ત્યારે તેમને હાંકી કાઢે. મૂળ કોંગ્રેસી સાથે આવું કરવું મુશ્કેલ છે.

Shakeel-Ahmed2
x.com/amitmalviya

શકીલ અહમદે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી એક ડરપોક અને અસુરક્ષિત નેતા છે. તેઓ પાર્ટીમાં મજબૂત કોંગ્રેસી નેતાઓ ઇચ્છતા નથી, પરંતુ એવા લોકો ઇચ્છે છે જેમને સરળતાથી હાંકી કઢાય. તેઓ માત્ર એવા યુવા નેતાઓને આગળ વધારી રહ્યા છે જેઓ તેમના ગુણગાન ગાતા હોય અને જમીની સ્તરની સમજણનો અભાવ હોય. શકીલ અહમદે કહ્યું કે, ‘અસુરક્ષિતને હિન્દીમાં ડરપોક કહીશું, આ શબ્દો બોલતા સારું લાગતું નથી, પરંતુ કહેવું તો પડશે, કારણ કે મને તેમની બાબતે એવું જ લાગે છે.

શકીલ અહમદ કોંગ્રેસના અનુભવી નેતા રહ્યા છે. તેમણે કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ મહાસચિવ જેવા મહત્ત્વપૂર્ણ પદો સંભાળ્યા છે. તેમણે 2025ની બિહાર વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. શકીલ અહમદ 3 વખત ધારાસભ્ય અને બિહારથી 2 વખત સાંસદ પણ રહી ચૂક્યા છે. તેમણે SIR મુદ્દા પર રાહુલ ગાંધી પર પણ નિશાન સાધતા કહ્યું કે તેમનો મુદ્દો પૂરી રીતે ફેઇલ થઈ ચૂક્યો છે અને મુસ્લિમ સમુદાય પણ રાહુલ ગાંધીના આરોપો સાથે સહમત નથી.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઘણા વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ મુસ્લિમ નેતાઓ અને મુસ્લિમો સાથે ફોટો પડાવતા ડરે ​​છે કારણ કે તેમને હિન્દુ વોટ બેંક ગુમાવવાનો ડર રહે છે. રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર પર ટિપ્પણી કરતા શકીલ અહમદે કહ્યું કે, ‘જો કોચ પોતે બેટિંગ કરવાનું શરૂ કરી દેશે, તો ટીમ સારી બેટિંગ નહીં કરી શકે.

Shakeel-Ahmed2
x.com/amitmalviya

શકીલ અહમદના આ નિવેદનો બાદ, ભાજપે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસની અંદરની વાસ્તવિકતા હવે જાહેર થઈ રહી છે, અને રાહુલ ગાંધીના નેતૃત્વ પર  તેમની જ પાર્ટીના નેતા સવાલ ઉઠાવી રહ્યા છે. શકીલ અહેમદના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું કે, ‘કોંગ્રેસની અંદરનું સત્ય હવે ખૂલીને સામે આવી રહ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહમદે રાહુલ ગાંધીને અસુરક્ષિત નેતા ગણાવ્યા છે. તેમણે તેમને કાયર ગણાવ્યા અને કહ્યું કે રાહુલ કોંગ્રેસના મજબૂત નેતાઓને પસંદ કરતા નથી. શકીલ અહમદના મતે, જે નેતાઓ પોતાની વિચારસરણી અને જમીન સાથેના જોડાણને કારણે પાર્ટીમાં મજબૂત હોય છે તેઓ રાહુલ ગાંધીને અસ્વસ્થ કરે છે.

1606977054Amit_malviya1

માલવિયાએ કહ્યું કે, ‘આ જ કારણ છે કે કોંગ્રેસ સતત પોતાના નેતાઓને નબળા કરે છે અને પાયાના નેતૃત્વને આગળ વધવા દીધું નથી. આ નિવેદન માત્ર એક વ્યક્તિનું મંતવ્ય નથી, પરંતુ વર્ષોથી કોંગ્રેસમાં ચાલી રહેલા નેતૃત્વ સંકટ અને અસહિષ્ણુતાનો સ્પષ્ટ સંકેત છે.

About The Author

Related Posts

Top News

જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

ડિસેમ્બર 2025માં કોળી બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાની ઘટના સામે આવી હતી. આ મામલે લોકડાયરા...
Gujarat 
જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?

વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂનાગઢના માળિયા હાટીનાના ગડુ ગામ ખાતે આયોજિત એક સભમાં જૂતુ ફેંકવાનો પ્રયાસ...
Gujarat 
શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?

વાઇબ્રન્ટમાં લાખો કરોડના MoU તો થાય છે પણ રોકાણ કેટલું આવે છે?

છેલ્લાં 22 વર્ષથી ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરમાં યોજાતું હતું. પરંતુ આ વખતે રાજકોટમાં યોજાયું છે અને તેને વાઇબ્રન્ટ ગુજરાત...
Business 
વાઇબ્રન્ટમાં લાખો કરોડના MoU તો થાય છે પણ રોકાણ કેટલું આવે છે?

SBI ચેરમેને જણાવ્યું લોકો હવે FD અને બેન્કમાં પૈસા રાખતા કેમ ખચકાય છે

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ના ચેરમેન સી.એસ. સેટ્ટીએ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં એક મોટું નિવેદન...
Business 
SBI ચેરમેને જણાવ્યું લોકો હવે FD અને બેન્કમાં પૈસા રાખતા કેમ ખચકાય છે

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.