તેલંગાણા ભાજપને ઝટકો, ઓવૈસીને ટક્કર આપનાર ભાજપ નેતા માધવી લતા ગિરફતાર

દુર્ગા પૂજાના વિસર્જન પછી દેશમાં ઘણી જગ્યાએથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના બહરાઈચ બાદ તેલંગાણાના સિકંદરાબાદમાં પણ વિરોધ પ્રદર્શન શરુ થઇ ગયું છે. મંદિરમાં તોડફોડ કરનારની વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરનાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે જેમાં ભાજપ નેતા માધવી લતા પણ શામિલ છે. માધવી લતાની ધરપકડ પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. કારણે તેમના સમર્થકોએ સિકંદરાબાદમાં હંગામો મચાવ્યો છે. તમને જણાવી દઈએ કે માધવી લતા લોકસભા ચુંટણી 2024માં હૈદરાબાદ બેઠક પર અસદુદ્દીન ઓવૈસી સામે ભાજપના મેન્ડેટ પર ચુંટણી લડ્યા હતા, જો કે તેમાં માધવી લતાને હારનો સામનો કરવો પડ્યો હતો.   

શું છે આખો મામલો?

સિકંદરાબાદના મુથ્યાલમ્મા મંદિરમાં કથિત રીતે તોડફોડનો મામલો સામે આવ્યો છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે એક અજાણી વ્યક્તિ દ્વારા મંદિરની પવિત્ર મૂર્તિને ખંડિત કરી દીધી છે અને મંદિરને અપવિત્ર કર્યું હોવાનો પણ તેના પર આરોપ છે. જો કે સ્થાનિક લોકોને આરોપીને પકડી પોલીસને સોંપી દીધો. પણ આ ઘટના સમગ્ર વિસ્તારમાં વાયુ વેગે ફેલાઈ ગઇ હતી. અને ઘણા લોકોએ તેની વિરુદ્ધ ધરણા પ્રદર્શન પણ શરુ કર્યા, જેમાં BJP નેતા માધવી લતા પણ હાજર હતા.

કેન્દ્રીય મંત્રીએ આપ્યું નિવેદન

કેન્દ્રીય મંત્રી અને તેલંગાણા BJP અધ્યક્ષ જી કિશન રેડ્ડીએ મુથ્યાલમ્મા મંદિરની મુલાકાત લઇ પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે આ ઘટનાને શરમજનક ગણાવતા કહું કે અમૂક લોકો ઇરાદાપૂર્વક બે સમુદાય વચ્ચે મતભેદો ઉભા કરવાની કોશિશ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તે અહીં ચોરી કરવા નહીં પણ હિંદુ સમાજને નીચા દેખાડવા આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે 12 ઓક્ટોબરે તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં પણ આવી એક ઘટના સામે આવી હતી. જેમાં દુર્ગા પૂજા પંડાલમાં એક વ્યક્તિએ દુર્ગા માતાની મૂર્તિને નુકશાન પહોંચાડવાની કોશિશ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. તેલંગાણા પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પાસે ઘર ન હતું અને તે ખૂબ ભૂખ્યો હતો. એટલે ખાવાની શોધમાં તે પંડાલમાં આવ્યો હતો અને પ્રસાદ લેવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે પંડાલમાં રહેલી દુર્ગા માતાની મૂર્તિ ભૂલથી ખંડિત થઇ ગઇ હતી.

Related Posts

Top News

સોનમની હેટ સ્ટોરી, પતિને પતાવવા આપી 20 લાખની...

રાજા રઘુવંશીની હત્યાના કેસ અત્યારે આખા દેશમાં ચર્ચાનો વિષય છે. રાજાની હત્યા પત્ની સોનમ અને અન્ય આરોપીઓ દ્વારા યોજનાબદ્ધ રીતે...
National 
સોનમની હેટ સ્ટોરી, પતિને પતાવવા આપી 20 લાખની...

શ્રેયસ ઐય્યરનું છલકાયું દર્દ, કેપ્ટન્સીને લઈને બોલ્યો- ‘22 વર્ષની ઉંમરમાં..’

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં શ્રેયસ ઐય્યરની કેપ્ટન્સી અને બેટિંગ સૌથી વધુ ચર્ચામાં રહી હતી. હવે તેને લઈને...
Sports 
શ્રેયસ ઐય્યરનું છલકાયું દર્દ, કેપ્ટન્સીને લઈને બોલ્યો- ‘22 વર્ષની ઉંમરમાં..’

શ્રી મનકામેશ્વર મંદિરમાં પેન્ટ-જીન્સ પહેરીને અભિષેક કરવા પર પ્રતિબંધ, મહિલાઓ માટે સાડી-સૂટ જરૂરી

યમુનાના કિનારે આવેલા પ્રાચીન શ્રી મનકામેશ્વર મહાદેવનો અભિષેક કરવા માટે ધોતી પહેરવી પડશે. ધોતી પહેર્યા વિના કોઈ પણ શ્રદ્ધાળું અભિષેક...
Art & Culture 
શ્રી મનકામેશ્વર મંદિરમાં પેન્ટ-જીન્સ પહેરીને અભિષેક કરવા પર પ્રતિબંધ, મહિલાઓ માટે સાડી-સૂટ જરૂરી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 11-06-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. જો વિવાહિત જીવનમાં કોઈ સંઘર્ષ ચાલી રહ્યો હતો, તો...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.