બળવાખોર TMC સાંસદોના વિલીનીકરણ અંગે વિવાદ; NCPIના સચિવ બોલ્યા- આ પ્રક્રિયા લોકતાંત્રિક નથી, હાઈકોર્ટ જઇશું

તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર સાંસદોએ જે એક ઓછી જાણીતી નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા’ (NCPI)માં વિલીનીકરણની જાહેરાત કરી છે, ત્યાં પણ આંતરિક વિખવાદ જોવા મળ્યા છે, જેમાં વિલીનીકરણની જાહેરાત બાદ આ વાત સામે આવી છે. વિલીનીકરણ અંગે નારાજગી વ્યક્ત કરતા NCPIના સચિવે જણાવ્યું હતું કે આ પ્રક્રિયા લોકતાંત્રિક નથી અને તેમની સાથે અગાઉથી પૂછવામાં પણ આવ્યું નથી. તેમણે વધુમાં ચેતવણી આપી હતી કે જો તેમના પ્રશ્નોના જવાબ ન મળે તો તેઓ કલકત્તા હાઈકોર્ટ પણ જશે.

NCPI સચિવ શાંતનુ ડેએ પક્ષના નેતૃત્વ પર આરોપ લગાવતા કહ્યું કે વિલીનીકરણ પહેલાં પદાધિકારીઓ સાથે કોઇ વાત કરવામાં આવી નથી. આવો નિર્ણય એકલા નહીં લઇ શકાય. પતિ-પત્નીએ પરસ્પર નિર્ણય લઇ લીધો. જે લોકોએ ત્રિપુરામાં જમીન પર કામ કર્યું. તેમને અવગણવામાં આવ્યા.

સચિવની નારાજગી બાદ પાર્ટીના પ્રમુખ પણ ચર્ચામાં આવી ગયા છે. NCPIના સ્થાપક ઉત્તિયા કુંડૂ અને તેમની પત્ની શેવાલી ચર્ચાના કેન્દ્રમાં છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ દંપતી લગભગ 8 વર્ષ પહેલાં જિલ્લામાંથી હાવડા જિલ્લાના સંકરેલાઇલમાં રહેવા આવ્યા હતા; જો કે, ઉત્તિયા કુંડૂને સુવેન્દુ અધિકારીના નજીકના છે.

NCPI2
ndtv.com

તો, શેવાલી કુંડૂએ જણાવ્યું હતું કે, હું આ પાર્ટીની સ્થાપક પ્રમુખ હતી, પરંતુ મેં પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ બાબતે પાર્ટીના નવા પ્રમુખ જ માહિતી આપી શકે છે; મને ખબર નથી કે નવા પ્રમુખ કોણ છે. અમે ત્રિપુરામાં NDA સાથે હતા. હાઈકોર્ટમાં મારી કાનૂની પ્રેક્ટિસને કારણે મેં (પાર્ટી પદ પરથી) રાજીનામું આપી દીધું હતું. હું આ મામલે (TMC સાંસદોનું NCPIમાં વિલીનીકરણ) ટિપ્પણી નહીં કરું. શાંતનુ ડે ન તો પાર્ટીના સ્થાપક છે કે ન તો મહાસચિવ; તેઓ 2023 પછી સભ્ય નથી રહ્યા.

વિલીનીકરણ પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા શાંતનુ ડેએ કહ્યું કે, જો મારા પ્રશ્નોના જવાબ નહીં મળે, તો હું કોલકાત્તા હાઈકોર્ટ અને ચૂંટણી પંચ જઇશ. આ વિલીનીકરણની પ્રક્રિયા લોકતાંત્રિક નથીહું ટૂંક સમયમાં આ બાબતે એક પ્રેસ કોન્ફરન્સ કરીને અનેક ખુલાસા કરીશ.

TMCના 20 બળવાખોર સાંસદોના NCPIમાં ભળી જશે તેવી જાહેરાતના એક દિવસ પછી, સચિવ શાંતનુ ડેએ જણાવ્યું હતું કે પાર્ટીના વડાએ અન્ય પદાધિકારીઓ સાથે કોઈ વિલીનીકરણ દરખાસ્ત પર ચર્ચા કરી નથી, અને સંકેત આપ્યો હતો કે આ નિર્ણયને સંગઠનાત્મક મંજૂરી મળી નથી.

સચિવ શાંતનુ ડે, જેમની પાર્ટી અચાનક વિલીનીકરણને કારણે ચર્ચામાં આવી છે, તેમના આ દાવા પછી પક્ષ સંગઠનમાં સ્પષ્ટ મતભેદ જોવા મળી રહ્યા છે. જો કે, વિલીનીકરણ અંગેના આ નાટકીય રાજકીય ઘટનાક્રમે એક ઓછી જાણીતી પાર્ટીને રાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બનાવી દીધી છે.

NCPI
indiatoday.in

શાંતનુએ જણાવ્યું કે NCPIની રાજકીય પ્રવૃત્તિઓ ત્રિપુરા સુધી મર્યાદિત છે, અને પાર્ટી ક્યારેય પશ્ચિમ બંગાળમાં સક્રિય રહી નથી. જો કે, પાર્ટીને 2023માં પશ્ચિમ બંગાળમાં રજિસ્ટર કરવામાં આવી હતી, પરંતુ ત્યાં પાર્ટી ક્યારેય કાર્યરત રહી નથી. ચૂંટણી પંચના રેકોર્ડ મુજબ, 2023ની ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં NCPIએ ફક્ત ત્રણ બેઠકો (અંબાસા, ચાવામાનુ અને કૈલાશહર) પર ચૂંટણી લડી હતી; જ્યારે કરમચરા બેઠક માટે તેના ઉમેદવારનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું, જેના કારણે તેઓ તે મતવિસ્તારમાંથી ચૂંટણી લડી શક્યા નહોતા.

અગાઉ, 20 બળવાખોર TMC લોકસભા સાંસદોએ સ્પીકર ઓમ બિરલાને મળ્યા પછી ભાજપના નેતૃત્વ હેઠળના NDAને સમર્થન આપતા NCPIમાં તેમના વિલિનીકરણની જાહેરાત કરી હતી. બળવાખોર TMC સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે તે સમયે જણાવ્યું હતું કે, TMC સાંસદોના બે તૃતીયાંશ સાંસદોએ સ્પીકરને પત્ર લખીને અલગ બેઠક વ્યવસ્થાની માંગ કરી છે. અમે NCPIમાં વિલિનીકરણ કરીશું અને NDAને સમર્થન આપીશું.

About The Author

Top News

બેંકો આખું ખાતું ફ્રીઝ નહીં કરી શકશે; ગ્રાહકોને રાહત, થશે મોટો ફાયદો

ડિજિટલ ઇન્ડિયાના યુગમાં, સાયબર છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. સાયબર છેતરપિંડીનો ભોગ બનનાર કોઈપણ વ્યક્તિને અનેક મુશ્કેલીઓનો સામનો...
Business 
બેંકો આખું ખાતું ફ્રીઝ નહીં કરી શકશે; ગ્રાહકોને રાહત, થશે મોટો ફાયદો

કેન્દ્રની પોલીસીને કારણે દેશભરમાં સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં: એસોસિયેશન

સાઉથ ગુજરાત સોલાર એસોસેયિશન દ્વારા મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની નવી પોલીસીને કારણે સોલાર...
Gujarat 
કેન્દ્રની  પોલીસીને કારણે દેશભરમાં સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં: એસોસિયેશન

ટ્રેનમાં યુવકના મોત મામલે રાહુલ ગાંધીએ વીડિયો શેર કરીને સરકાર પર પ્રહારો કર્યા, રેલવેએ કહ્યું, અફવાઓ ન ફેલાવો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્રેનમાં એક યુવાનના કથિત મૃત્યુનો વીડિયો શેર કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ...
National 
ટ્રેનમાં યુવકના મોત મામલે રાહુલ ગાંધીએ વીડિયો શેર કરીને સરકાર પર પ્રહારો કર્યા, રેલવેએ કહ્યું, અફવાઓ ન ફેલાવો

સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અનોખી સિદ્ધિ, હર્ષ સંઘવીના ચહેરાવાળો 10.07 કેરેટનો હીરો તૈયાર

સુરત. વિશ્વભરમાં ડાયમંડ ટેકનોલોજી ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવતા લેક્સસ ગ્રુપ અને આઈ એસ જી જે (ISGJ) જ્વેલરી કોલેજે મળીને...
Gujarat 
સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અનોખી સિદ્ધિ, હર્ષ સંઘવીના ચહેરાવાળો 10.07 કેરેટનો હીરો તૈયાર
Copyright (c) Khabarchhe All Rights Reserved.