TMCમાં છેલ્લો ખીલો? કલ્યાણ બેનર્જીએ મમતાને કહી દીધું- 'અભિષેક અથવા મને બે માંથી એકને પસંદ કરો'

પશ્ચિમ બંગાળમાં 15 વર્ષથી સત્તાનું સુકાન સંભાળનાર મમતા બેનર્જી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ મુશ્કેલીમાં છે. એક પછી એક નેતા TMCથી દૂર થઈ રહ્યા છે. 60થી વધુ ધારાસભ્યો બળવાખોર બન્યા છે. દિલ્હીમાં લોકસભાના સભ્યોએ પણ પાર્ટીમાં બળવો પોકાર્યો છે. જ્યારે, મમતા બેનર્જી અને તેમની પાર્ટી માટે સૌથી મોટો ફટકો કલ્યાણ બેનર્જીનું હાલમાં આપેલું નિવેદન છે.

Kalyan-Banerjee4
livehindustan.com

કલ્યાણ બેનર્જી, જેમને મમતા બેનર્જીએ તેમના 40 વર્ષના સાથીદાર કાકોલી ઘોષને મુખ્ય દંડક બનાવવા માટે પદ પરથી હટાવી દીધા હતા, તેઓ જ હવે બળવો પોકારવાની તૈયારીમાં છે. કલ્યાણ બેનર્જીએ TMCના વડા મમતા બેનર્જીને અલ્ટીમેટમ આપ્યું છે કે કાં તો તેઓ અભિષેકને પસંદ કરે અથવા મારા જેવા વફાદારને પસંદ કરે.

Kalyan-Banerjee
jansatta.com

કલ્યાણ બેનર્જીએ કહ્યું છે કે, મમતા બેનર્જીએ અભિષેક બેનર્જીને હટાવવી જોઈએ. અન્યથા અમે પાર્ટીમાં રહી શકીએ નહીં. તેણે અભિષેક બેનર્જી સામેના નકલી હસ્તાક્ષરના કેસથી પોતાને દૂર રાખવાની પણ જાહેરાત કરી અને કહ્યું કે અભિષેક બેનર્જીએ ક્યારેય મારા પર વિશ્વાસ કર્યો નથી અને ભવિષ્યમાં પણ મારા પર વિશ્વાસ કરશે નહીં. કલ્યાણ બેનર્જીએ કહ્યું કે હું ગઈ કાલે અભિષેકના કેસની તૈયારી કરી રહ્યો હતો અને અડધી રાત્રે મને કહેવામાં આવ્યું કે વકીલને બદલી નાંખવામાં આવ્યો છે.

Abhishek-Banerjee2
ndtv.in

તેમણે કહ્યું કે આ ખૂબ જ અપમાનજનક છે. અભિષેક બેનર્જીને ખબર નથી કે વરિષ્ઠોનું સન્માન કેવી રીતે કરવું. કલ્યાણ બેનર્જીએ અભિષેકને ઘમંડી કહ્યો અને કડક સ્વરમાં પૂછ્યું, તે કોણ છે? અભિષેક બેનર્જીના કારણે પાર્ટીને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે હું મમતા બેનર્જીની સાથે છું. પરંતુ દીદીએ હવે નક્કી કરવું પડશે કે તેમને પાર્ટી અને વફાદાર નેતા જોઈએ છે કે બાળક અને પરિવાર જોઈએ છે.

Kalyan-Banerjee3
aajtak.in

કલ્યાણ બેનર્જીની ગણતરી મમતા બેનર્જીના વિશ્વાસુ નેતાઓમાં થાય છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હાર પછી, કલ્યાણ બેનર્જી ઘણા મહત્વપૂર્ણ કેસોમાં કોર્ટમાં પણ TMC સંબંધિત કેસોની વકીલાત કરતા જોવા મળ્યા છે. કલ્યાણ બેનર્જી નકલી સહી સંબંધિત કેસમાં વકીલ હતા જેમાં અભિષેક બેનર્જી પણ આરોપી છે. કલ્યાણ બેનર્જીના બળવાખોર વલણને TMCમાં છેલ્લો ખીલો તરીકે જોવામાં આવી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

શું અનિલ અંબાણી નાદાર થવાના છે? કાર્યવાહી શરૂ કરવાની SBIની અરજી NCLTએ સ્વીકારી લીધી

ઉદ્યોગપતિ અનિલ અંબાણીને એક મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં મુંબઈ સ્થિત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ સ્ટેટ બેંક...
Business 
શું અનિલ અંબાણી નાદાર થવાના છે? કાર્યવાહી શરૂ કરવાની SBIની અરજી NCLTએ સ્વીકારી લીધી

'તદ્દન પાયાવિહોણી અફવાઓ...' કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસ સાથે થનારા વિલીનીકરણની વાતોને ફગાવી દીધી

કોંગ્રેસ પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે થનારી વિલીનીકરણ અંગેની અટકળોને ફગાવી દીધી છે, અને આવા અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા...
National 
'તદ્દન પાયાવિહોણી અફવાઓ...' કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસ સાથે થનારા વિલીનીકરણની વાતોને ફગાવી દીધી

જીમ, મોલ અને 14 પ્લોટ... અધિકારીની 11 કરોડની પ્રોપર્ટી મળી; બોલ્યો- પત્ની સિલાઈ કામ કરીને કમાય છે

મધ્યપ્રદેશના 'મિનિ મુંબઈ' ગણાતા ઇન્દોરમાં લોકાયુક્ત પોલીસે ભ્રષ્ટાચાર સામે એક મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. લોકાયુક્તની ટીમે મહિલા...
National 
જીમ, મોલ અને 14 પ્લોટ... અધિકારીની 11 કરોડની પ્રોપર્ટી મળી; બોલ્યો- પત્ની સિલાઈ કામ કરીને કમાય છે

સ્વ. ઘનશ્યામભાઈ કાછડિયા પરિવારને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ દ્વારા રૂ. 10 લાખની સહાય

સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ-સુરત પ્રેરિત “પાટીદાર પરિવાર સુરક્ષા કવચ” (PPSK) યોજના આજે સમાજના હજારો પરિવારો માટે મુશ્કેલીના સમયમાં આશા, સુરક્ષા...
Gujarat 
સ્વ. ઘનશ્યામભાઈ કાછડિયા પરિવારને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ દ્વારા રૂ. 10 લાખની સહાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.