મમતા બેનર્જીએ મહત્ત્વપૂર્ણ બેઠક રદ કરવી પડી; 80માંથી 60 ધારાસભ્યો ગેરહાજર; TMCએ આપ્યું આ કારણ

રવિવારે પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટો ઘટનાક્રમ જોવા મળ્યો હતો. નવા ચૂંટાયેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્યોની એક મહત્ત્વપૂર્ણ બેઠક રદ કરવામાં આવી. આ બેઠક પાર્ટીના વડા મમતા બેનર્જીની અધ્યક્ષતામાં યોજાવાની હતી; જોકે, ધારાસભ્ય જૂથના 3 ચતુર્થાંશ એટલે કે 80માંથી 60 ધારાસભ્યો હાજર રહી શક્યા નહીં. આ બેઠક મમતા બેનર્જીના નિવાસસ્થા કોલકાતાના કાલીઘાટમાં યોજાવાની હતી. TMC પ્રવક્તા કુણાલ ઘોષે ધારાસભ્યોની ગેરહાજરીને કટોકટીની પરિસ્થિતિને ગણાવી. તેમણે જણાવ્યું હતું કે શનિવારે TMCના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પર હુમલો અને રવિવારે પાર્ટીના સાંસદ કલ્યાણ બેનર્જી પર કથિત હુમલા બાદ આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. ઘણા ધારાસભ્યો હાલમાં જમીન પર પરિસ્થિતિને સંભાળવામાં વ્યસ્ત છે, જેના કારણે તેઓ હાજર રહી શક્યા નથી.

તેમણે વધુમાં કહ્યું કે, આ બેઠક અગાઉથી નક્કી કરવામાં આવી હતી. જોકે, અમારા નેતાઓ પરના હુમલાઓને પગલે, અમારા ધારાસભ્યો હાલમાં જમીન લેવલના વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેને કારણે અમારા પક્ષના કાર્યકરો સામે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. ગેરહાજર ધારાસભ્યોએ વિધાનસભા પક્ષને પહેલેથી જ હાજર રહેવાની તેમની અસમર્થતા અંગે જાણ કરી દીધી હતી અને વિનંતી કરી હતી કે બેઠક હાલ પૂરતી મુલતવી રાખવામાં આવે.

kunal ghosh
facebook.com/IndiaToday

કુણાલ ઘોષે જણાવ્યું હતું કે, આ વાજબી વિનંતીને ધ્યાનમાં રાખીને, તૃણમૂલ વિધાનસભા પક્ષે હાલમાં બેઠક રદ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે બપોરે 3:00 વાગ્યાના નિર્ધારિત શરૂઆતના સમય સુધીમાં લગભગ 20 ધારાસભ્યો સ્થળ પર પહોંચી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓછી હાજરી હોવા છતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાજર રહેલા ધારાસભ્યો સાથે વાતચીત કરી હતી. તેમ છતા ઔપચારિક બેઠક યોજાઈ શકી નહોતી. TMCએ એ પણ સંકેત આપ્યો હતો કે બેઠક પછીની તારીખ માટે ફરીથી નક્કી કરવામાં આવશે, અને તમામ ધારાસભ્યોને અગાઉથી યોગ્ય રીતે જાણ કરવામાં આવશે. દરમિયાન, TMCએ તેના આગામી રાજકીય કાર્યક્રમો માટે એક નવો રોડમેપ પણ તૈયાર કર્યો છે. આગામી 48 કલાકમાં વિરોધ પ્રદર્શનોને વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

TMC પ્રવક્તાએ જાહેરાત કરી કે પાર્ટીના નેતાઓને 1 જૂનના રોજ ગ્રામીણ વિસ્તારોમાં બ્લોક સ્તરે અને શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડમાં વિરોધ રેલીઓનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. આ રેલીઓમાં અભિષેક બેનર્જી, કલ્યાણ બેનર્જી અને અન્ય પાર્ટી કાર્યકરો પર થયેલા હુમલાઓની નિંદા કરવામાં આવશે. બેલેઘાટાએ TMC ધારાસભ્યએ કોલકાતામાં એક દિવસના પ્રતીકાત્મક ધરણા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે.

mamata benerjee
facebook.com/MamataBanerjeeOfficial

ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી મંગળવારે આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરશે. આ ધરણા એસ્પ્લેનેડ ખાતે રાણી રાશ્મોની રોડ પર યોજાશે. પાર્ટીનું કહેવું છે કે આ વિરોધ ચૂંટણી પછીની હિંસા અને બુલડોઝર દ્વારા રાજ્યમાં ફેરિયાઓને બહાર કાઢવા સામે હશે. TMCએ વધુમાં જાહેરાત કરી કે ભવિષ્યના રાજકીય કાર્યક્રમો અંગેની વિગતો 2 જૂનના રોજ વિરોધ મંચ પરથી જાહેર કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

મમતા બેનર્જીએ મહત્ત્વપૂર્ણ બેઠક રદ કરવી પડી; 80માંથી 60 ધારાસભ્યો ગેરહાજર; TMCએ આપ્યું આ કારણ

રવિવારે પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટો ઘટનાક્રમ જોવા મળ્યો હતો. નવા ચૂંટાયેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્યોની એક મહત્ત્વપૂર્ણ...
Politics 
મમતા બેનર્જીએ મહત્ત્વપૂર્ણ બેઠક રદ કરવી પડી; 80માંથી 60 ધારાસભ્યો ગેરહાજર; TMCએ આપ્યું આ કારણ

નદીમાં ડૂબતી એક છોકરીને બચાવવા એક પછી એક 5 કૂદી પડ્યા; બધા ડૂબી ગયા, પણ છોકરી બચી ગઈ!

આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં શનિવારે સાંજે જે બન્યું તે બહાદુરી, માનવતા અને દુર્ઘટનાની દિલને હલાવી નાખે તેવી વાર્તા છે. અહીં...
National 
નદીમાં ડૂબતી એક છોકરીને બચાવવા એક પછી એક 5 કૂદી પડ્યા; બધા ડૂબી ગયા, પણ છોકરી બચી ગઈ!

નેપાળની નવી સરકારે 100 વચનોમાંથી 12 જ પૂરા કર્યા, 30 દિવસમાં 2 મંત્રીના રાજીનામા, Gen-Z ગુસ્સે

નેપાળના વડાપ્રધાનત્રી બાલેન શાહે પદ સંભાળ્યાને માત્ર બે મહિના થયા છે, છતા તેમની સરકાર અંગે પ્રશ્નો ઉભા થવા લાગ્યા...
World 
નેપાળની નવી સરકારે 100 વચનોમાંથી 12 જ પૂરા કર્યા, 30 દિવસમાં 2 મંત્રીના રાજીનામા, Gen-Z ગુસ્સે

પંજાબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકતરફી જીત AAPને શું વિધાનસભામાં ફાયદો અપાવશે?

પંજાબના નાગરિક સંસ્થા ચૂંટણીના પરિણામોએ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણની દિશા અંગે સંકેતો આપ્યા છે. ચૂંટણી પરિણામોમાં શાસક...
Politics 
પંજાબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકતરફી જીત AAPને શું વિધાનસભામાં ફાયદો અપાવશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.