ગુજરાતમાં કેમ હારી કોંગ્રેસ? ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટમા સામે આવ્યા આ કારણ

ગુજરાતમાં હારના કારણોને શોધવા માટે બનાવવામાં આવેલી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ પોતાનો રિપોર્ટ તૈયાર કરી લીધો છે. ત્રણ સભ્યની કમિટી સીલબંધ કવરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાનો રિપોર્ટ સોંપશે. ગત વર્ષે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ રાજ્યની સત્તામાંથી છેલ્લાં 27 વર્ષોથી બહાર કોંગ્રેસે નેતા વિપક્ષનું પદ પણ ગુમાવવુ પડ્યુ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નિતીન રાઉતની આગેવાનીમાં એક ટીમ બનાવી હતી. ટીમમાં નેતાઓ, ઉમેદવારો, કાર્યકર્તાઓ અને લોકો સાથે સંવાદ કરતા એક મોટો રિપોર્ટ તૈયાર કર્યો છે. ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ હારના કારણો શોધવાની સાથોસાથ તેના સમાધાન પણ રિપોર્ટમાં જણાવ્યા છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રિપોર્ટમાં સમન્વય ના હોવો હારનું સૌથી મોટું કારણ માનવામાં આવ્યું છે. કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસની વચ્ચે સારું સમન્વય ના હોવાના કારણે કોંગ્રેસ 2022 વિધાનસભા ચૂંટણીમાં ખરાબરીતે હાર્યું અને પાર્ટી 77થી ડાયરેક્ટ 17 પર આવી ગઈ. જેને પગલે તેણે નેતા વિપક્ષનું પદ ગુમાવવુ પડ્યું છે. AICCને સોંપવામાં આવનારા રિપોર્ટ કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વની વચ્ચે તાલમેળ ના હોવાથી પાર્ટી પર ખરાબ અસર પડી. તેને પગલે પાર્ટી ચૂંટણી તો લડી પરંતુ, કોઈ મુમેન્ટ્સ ના બનાવી શકી. પાર્ટીની એક તરફ કેન્દ્રીય ટીમ અને પ્રદેશની વચ્ચે સમન્વય નહોતો, તો આ સ્થિતિ પ્રદેશ ટીમ અને જિલ્લા ટીમોની વચ્ચે રહી. આ પાર્ટી સંપૂર્ણરીતે લથડિયા ખાઇ ગઈ. પાર્ટીના ઉમેદવાર ઘણા મોરચા પર એકલા પડી ગયા. કમિટીએ આ તમામ નિષ્કર્ષ ઘણા ચરણના ક્ષેત્રવાર પ્રવાસ કર્યા બાદ કાઢ્યા છે.

પાર્ટીએ ચૂંટણી દરમિયાન થઈ રહેલા નુકસાનની ભરપાઈ માટે કોઈ રણનીતિ ના બનાવી. પાર્ટીને નુકસાન થતુ રહ્યું છે અને નેતા કહેતા રહ્યા જેને જવુ છે તે ચાલ્યા જાય. તેના કારણે ઘણા નેતાઓએ પાર્ટી છોડી. તેનાથી સામાન્ય જનમાનસમાં કોંગ્રેસની છબિ નબળી પડી. તેનાથી પણ નુકસાન થયુ. જવાબદાર નેતાઓએ ડેમેજ કંટ્રોલ કરવામાં રસ ના દાખવ્યો. આ ઉપરાંત, ફેક્ટ ફાઇન્ડિંગ સમિતિને જે અન્ય વાતો મહત્ત્વની લાગી છે. તેમા મેનપાવર અને ફંડની અછત સામેલ છે. BJP ની સામે ચૂંટણી લડતી વખતે ઉમેદવારોને પર્યાપ્ત સુવિધાઓ ના મળી શકી. તેને પગલે ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં પાછળ રહી ગયા. ઉમેદવારોને પાર્ટી તરફથી ધનરાશિ ના મળી. તેના અભાવમાં તેમનો ચૂંટણી પ્રચાર પ્રભાવિત થયો અને તેઓ સમય પર પ્રચાર ના કરી શક્યા. કોંગ્રેસને માત્ર 17 સીટો મળી. આ રાજ્યમાં કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું. ચૂંટણીમાં તમામ મોટા નેતા હારી ગયા. મહિલા ઉમેદવાર તરીકે માત્ર ગેનીબેન ઠાકોર જીતી શક્યા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.