રેલવે સ્ટેશન પર ભારતીય વિદ્યાર્થીઓ પાસે 100-100 ડોલર પડાવાતા હતા

યુક્રેનમાંથી બચીને ભારત પરત આવેલા રીધમે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, ખારકીવથી રશિયન બોર્ડર માત્ર 50 કિલોમીટર દુર છે. 24 ફેબ્રુઆરીએ સવારે અમે જમવાનુ બનાવી રહ્યા હતા અને બોમ્બ ધડાકાના અવાજ સંભળાયા હતા. એ પછી અમે નજર સામે ધડાકા થતા અને ધુમાડા ઉઠતા જોયા હતા. 24 ફેબ્રુઆરી બાદ યુદ્ધ વધારે ભીષણ બન્યુ હોવાથી અને ખારકીવથી મેં અને મારી સાથે ભણતા બીજા ચાર વિદ્યાર્થીઓએ કોઈ પણ સંજોગોમાં ખારકીવ છોડવાનો નિર્ણય લઈ લીધો હતો.

27 ફેબ્રુઆરીએ રશિયન આર્મી ખારકીવમાં એન્ટર પણ થઈ ચુકી હતી. 28 ફેબ્રુઆરીએ અમે રેલવે સ્ટેશન જવા માટે ટેક્સી કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ટેક્સી નહીં મળતા ચાલતા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેનું કહેવુ હતુ કે, રેલવે સ્ટેશન પર ભારતીય વિદ્યાર્થીઓની ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી હતી. વિદ્યાર્થીઓ 100 ડોલર આપે તો જ તેમને સ્ટેશનમાં એન્ટ્રી મળતી હતી. અમે રેલવે સ્ટેશનની ફરતેની 10 ફૂટ લાંબી દિવાલ કુદીને પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા અને લીવ જતી ટ્રેન પકડી હતી.

ટ્રેનમાં ભીડ એટલી હતી કે, દરેક સીટ પર પાંચ-પાંચ લોકોને બેસવુ પડતુ હતુ. અમે ખારકીવ છોડયુ એ પછી ખબર પડી હતી કે, રેલવે સ્ટેશન પર ટ્રેનોમાં ભારતીય વિદ્યાર્થીઓને બેસવા દેવાતા નથી અને યુક્રેનના લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે. રીધમના કહેવા પ્રમાલે લીવ પહોંચ્યા બાદ ત્યાંથી હંગેરી બોર્ડર ક્રોસ કરી હતી અને ભારત સરકારે ત્યાં બીજી વ્યવસ્થા કરી હતી.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.