ભારતીય ટીમનો હેડ કોચ બનશે મહેન્દ્ર સિંહ ધોની? પૂર્વ ક્રિકેટરે કર્યો મોટો દાવો

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધાને 5 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. જોકે, ધોની અત્યારે પણ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમે છે. ધોનીએ પોતાની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ માટે T20 વર્લ્ડ કપ, વન-ડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ધોની એકમાત્ર ભારતીય કેપ્ટન છે જેણે ત્રણેય ICC ટ્રોફી જીતી છે. તો, પૂર્વ ક્રિકેટરે ધોનીને લઈને વાત કરી છે, જે ભારતીય ટીમના હેડ કોચને લઈને છે. ગૌતમ ગંભીર હાલમાં આ ભૂમિકામાં છે. ચાલો જાણીએ કે પૂર્વ દિગ્ગજ ખેલાડીએ તેને લઈને શું કહ્યું છે.

akash
indiatvnews.com

પૂર્વ ક્રિકેટર અને વર્તમાન કોમેન્ટેટર આકાશ ચોપડાએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ‘આ એક મોટી વાત છે. મને નથી લાગતું કે તેને રસ છે. કોચિંગ એક મુશ્કેલ કામ છે. કોચિંગ તમને એટલા જ વ્યસ્ત રાખે છે, જેટલા તમે રમતી વખતે વ્યસ્ત હતા. ક્યારેક-ક્યારેક તેનાથી પણ વધુ હોય છે. તમારો પરિવાર છે અને તમે કહો છો કે તમે આખી જિંદગી એ જ કર્યું છે. તમે પોતાનું જીવન સુટકેસ બહાર વિતાવ્યું છે અને હવે તમે તે કામ કરવા માગતા નથી. આ જ કારણ છે કે ઘણા ખેલાડીઓ કોચિંગમાં આવતા નથી. જો તેઓ આમ કરે પણ છે તો 2 મહિનાનો IPL કાર્યકાળ છે. જોકે, તમે પૂર્ણ-કાલિન ભારતીય ટીમ હેડ કોચ બનો છો, તો તે વર્ષમાં 10 મહિનાની પ્રતિબદ્ધતા છે. મને ખબર નથી કે ધોની પાસે આટલો સમય હશે કે નહીં. જો તેની પાસે આટલો સમય  હશે તો મને આશ્ચર્ય થશે.

dhoni
indiatoday.in

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી હેઠળ ભારતીય ટીમે વર્ષ 2007માં T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2011માં, ભારતીય ટીમે વન-ડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. વર્ષ 2013માં, ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. એટલું જ નહીં, તેણે IPL ટીમ CSKને પણ 5 વખત ટ્રોફી અપાવી છે.

About The Author

Related Posts

Top News

મધ્ય પ્રદેશ: ભાજપના ધારાસભ્યની ઇનોવા કાર ફાયર બ્રિગેડના પાણીથી ધોવાતા રાજકીય વિવાદ સળગ્યો

મધ્ય પ્રદેશના સિંગરોલીથી ભાજપના ધારાસભ્ય રામનિવાસ શાહના સરકારી બંગલા બહાર તેમની ટોયોટા ઇનોવા કારને ફાયર બ્રિગેડના વાહન વડે ધોવામાં આવી...
Politics 
મધ્ય પ્રદેશ: ભાજપના ધારાસભ્યની ઇનોવા કાર ફાયર બ્રિગેડના પાણીથી ધોવાતા રાજકીય વિવાદ સળગ્યો

વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા નહીં હોય, સરકારે આ નિર્ણય કેમ લીધો?

ભારતની 2027ની વસ્તી ગણતરી દરમિયાન પહેલીવાર એક કામ નહીં કરવામાં આવે. કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો છે, જેની નોટિફિકેશન...
National 
વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા નહીં હોય, સરકારે આ નિર્ણય કેમ લીધો?

હવે દર વર્ષે DGCA દ્વારા તમામ પાઈલટનો ડોપ ટેસ્ટ કરવામાં આવશે; તૈયારીઓ શરૂ

નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાયલટોની સુરક્ષાને લઈને મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. મંત્રાલય વર્ષમાં એક વખત તમામ પાઇલટ્સનો ફરજિયાત...
National 
હવે દર વર્ષે DGCA દ્વારા તમામ પાઈલટનો ડોપ ટેસ્ટ કરવામાં આવશે; તૈયારીઓ શરૂ

દેવદત્ત પડિક્કલને પડતો મૂકવો હવે અશક્ય, શું ODI ટીમમાં પણ એન્ટ્રી મળશે?

શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને એક નવો સ્ટાર મળ્યો છે. વાત થઇ રહી છે દેવદત્ત પડિક્કલની, જેણે શ્રીલંકા સામે...
Sports 
દેવદત્ત પડિક્કલને પડતો મૂકવો હવે અશક્ય, શું ODI ટીમમાં પણ એન્ટ્રી મળશે?

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.