કોર્ટ મેરેજના 3 વર્ષ બાદ આ તારીખે નતાશા અને હાર્દિક ફરીથી કરશે લગ્ન

બોલિવૂડ અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટેનકોવિક અને તેનો ક્રિકેટર પતિ હાર્દિક પંડ્યા ઈન્ડસ્ટ્રીના સુપર કૂલ કપલ્સમાંથી એક છે. બંનેને એક પુત્ર પણ છે. તેઓ ઘણીવાર એકબીજા સાથે ફોટા અને વીડિયો શેર કરે છે અને કપલ્સને ગોલ પણ આપે છે. પતિ-પત્ની બન્યાના ત્રણ વર્ષ પછી નતાશા અને હાર્દિક ફરીથી લગ્ન કરવાના છે. બંનેએ ખાનગી લગ્નના 3 વર્ષ પૂર્ણ કર્યા છે અને હવે તેઓ ફરીથી વેલેન્ટાઈન ડે પર મોટા લગ્નનું આયોજન કરી રહ્યા છે.

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી-મૉડલ નતાશા સ્ટેનકોવિક પંડ્યા પરંપરાગત રીતે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેઓએ પહેલા સાધારણ કોર્ટ મેરેજ કર્યા હતા અને હવે તે ભવ્ય લગ્ન કરશે. સમાચાર એકદમ પાક્કા છે કે, પ્રેમીપંખીડાઓ રાજસ્થાનના ઉદયપુરમાં વેલેન્ટાઇન ડે (14 ફેબ્રુઆરી)ના રોજ લગ્નની પ્રતિજ્ઞા લેશે અને ફરી એકવાર એકબીજા સાથે જીવન અને મૃત્યુ સુધી રહેવાની પ્રતિજ્ઞા લેશે.

એક વિશ્વસનીય સ્ત્રોત શેર કરે છે, 'તે સમયે તેઓએ કોર્ટ મેરેજ કર્યા હતાં. જ્યારે તે બન્યું ત્યારે બધું ઉતાવળે થયું હતું. ત્યારથી તેમના મગજમાં ભવ્ય લગ્નનો વિચાર આવ્યો. તે બધા તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

તાજેતરના અહેવાલો મુજબ, લગ્ન સમારોહ 13 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 16મી સુધી ચાલશે. જ્યારે સફેદ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે લગ્ન પહેલાની ઉજવણી જેવી કે હલ્દી, મહેંદી અને સંગીતનું આયોજન ખૂબ ધામધૂમથી કરવામાં આવશે. સમારોહની તૈયારીઓ ગયા વર્ષે નવેમ્બરમાં શરૂ થઈ ગઈ હતી. એવું પણ જાણવા મળ્યું છે કે, કન્યા લગ્ન માટે સફેદ ડોલ્સે અને ગબ્બાના ગાઉન પહેરશે. તેના લુક વિશે ખાસ કઈ ખબર નથી.

હાર્દિક અને નતાશાએ 31 મે 2020ના રોજ કોર્ટમાં લગ્ન કર્યા હતા. જુલાઇ 2020માં આ દંપતીના જીવનમાં તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો હતો. બંને ખુશીથી જીવન માણી રહ્યા છે.

હાર્દિક અને નતાશાની પહેલી મુલાકાત એક નાઈટ ક્લબમાં થઈ હતી. ત્યારે નતાશાને ખબર નહોતી કે હાર્દિક એક ક્રિકેટર છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન હાર્દિકે પોતે આ વાત જણાવી હતી. તેણે કહ્યું હતું, નતાશાને ખબર નહોતી કે હું કોણ છું. અમે એકબીજા સાથે વાત કરી અને ધીરે ધીરે નજીક આવ્યા. હાર્દિક અને નતાશા ઘણી પાર્ટીઓમાં પણ સાથે દેખાવા લાગ્યા હતા. જો કે, 2020 પહેલા, બંનેએ ક્યારેય તેમના સંબંધોનો ખુલ્લેઆમ ખુલાસો કર્યો ન હતો. હાર્દિકને લાગ્યું કે, નતાશા એકમાત્ર એવી વ્યક્તિ છે જેની સાથે તે આખી જિંદગી વિતાવી શકે છે. આ પછી હાર્દિકે નતાશાનો પરિચય તેના પરિવાર સાથે કરાવ્યો અને એક વર્ષમાં જ હાર્દિકે સંબંધો પર મહોર મારી દીધી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.