બેટિંગ થોડી મુશ્કેલ છે પણ... હાર પછી ઋતુરાજ ગાયકવાડે કોને દોષ આપ્યો?

9 એપ્રિલ, શુક્રવારે રાત્રે લખનઉ સુપર જાયન્ટ્સના હાથે ચેન્નાઈ સુપર કિંગ્સે સિઝનની તેમની ત્રીજી હારનો સામનો કરવો પડ્યો. કેપ્ટન રુતુરાજ ગાયકવાડે આ હાર માટે બેટ્સમેન અને બોલર બંનેને જવાબદાર ઠેરવ્યા છે. ગાયકવાડનું કહેવું છે કે, પાવરપ્લે પછી બેટ્સમેનો સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યા નહોતા, જ્યારે બોલરો પાવરપ્લેમાં વિકેટ લઈ શક્યા નહોતા. CSK કેપ્ટનનું કહેવું છે કે, તેના બોલરોએ પાવરપ્લેમાં વિકેટ લેવાની જરૂર છે અને ટીમે આગામી મેચોમાં આના પર કામ કરવું પડશે.

IPL 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે આઠ વિકેટની હાર પછી ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે કહ્યું હતું કે, પાવરપ્લે પછી તેમના બેટ્સમેનો રનની ગતિ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના કારણે ટીમે 10 થી 15 રન ઓછા કર્યા હતા. સુપર કિંગ્સે આપેલા 177 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સુપર જાયન્ટ્સે છ બોલ બાકી રહેતા બે વિકેટે 180 રન બનાવીને જીત મેળવી હતી. કેપ્ટન KL રાહુલે 82 રન જ્યારે ક્વિન્ટન D કોકે 54 રન બનાવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 134 રન જોડ્યા હતા.

રુતુરાજ ગાયકવાડે મેચ પછી કહ્યું, 'અમે (ઈનિંગ) ખૂબ જ સારી રીતે સમાપ્ત કરી, તેનાથી વધુ કંઈ અપેક્ષા રાખી શકાઈ ન હતી. પરંતુ પાવરપ્લે પછી અમે 14મી-15મી ઓવર સુધી ઝડપી રન બનાવી શક્યા ન હતા. અમે સતત વિકેટ ગુમાવી અને 10-15 રન ઓછા બનાવ્યા. બેટિંગ કરવી થોડી અઘરી છે, પરંતુ ઈમ્પેક્ટ પ્લેયરના નિયમથી તમને એક વધારાનો બેટ્સમેન મળે છે. ત્યાર પછી, ઝાકળ આવતા, એવું લાગતું હતું કે 180-190 રન સારો સ્કોર બની શક્યો હોત.'

રુતુરાજ ગાયકવાડે કહ્યું કે, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ પાવરપ્લેમાં પોતાની બોલિંગમાં સુધારો કરવા માંગે છે. કેપ્ટન રુતુરાજે કહ્યું, એક ક્ષેત્ર જેમાં અમે સુધારો કરવા માંગીએ છીએ, તે પાવરપ્લેમાં વિકેટ લેવાનું છે. તેનાથી વિપક્ષી ટીમ દબાણમાં આવે છે. અમારે આના પર કામ કરવાની જરૂર છે.

અગાઉ, અડધી સદી ફટકારવા ઉપરાંત, રવિન્દ્ર જાડેજા (40 બોલમાં અણનમ 57, પાંચ ચોગ્ગા, એક છગ્ગા) મોઈન અલી (20 બોલમાં 30 રન, ત્રણ છગ્ગા) સાથે છઠ્ઠી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. જેના કારણે સુપર કિંગ્સે છ વિકેટે 176 રન બનાવ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીએ અંતમાં ફરી એકવાર ઝડપી ઇનિંગ રમી હતી, પરંતુ ટીમ મેચ વિનિંગ ટોટલ સુધી પહોંચી શકી નહોતી.

ચેન્નાઈને સાત મેચમાં ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ અત્યારે આઠ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. CSKને ઘરની બહાર ચારમાંથી ત્રણ હારનો સામનો કરવો પડ્યો છે. ટીમે હવે તેની આગામી મેચ મંગળવારે ઘરઆંગણે લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમવાની છે.

Related Posts

Top News

ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફૂડ સેફટીના કડક ઉલ્લંઘનને પગલે Zeptoની પેરન્ટ કંપની Kiranakart Technologies Pvt Ltdનું ફૂડ લાઇસન્સ...
Business 
ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

કોંગ્રેસે કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. તેમણે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં એક્ટર...
Politics  Gujarat 
કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?

ઓપરેશન સિંદૂર પછીના 20 દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 6 નિવેદનોને કારણે  વિપક્ષની ઉંઘહરામ થઇ ગઇ છે. વિપક્ષનું માનવું છે કે ...
National 
ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?

IPL ફાઇનલ: સેનાની ત્રણેય પાંખના પ્રમુખોનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સન્માન થશે

BCCIએ એક પ્રસંશનીય પગલું લીધું છે.IPL 2025ની ફાઇનલ મેચ ગુજરાતના અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવવાની છે અને...
Sports 
IPL ફાઇનલ: સેનાની ત્રણેય પાંખના પ્રમુખોનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સન્માન થશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.