બેટિંગ થોડી મુશ્કેલ છે પણ... હાર પછી ઋતુરાજ ગાયકવાડે કોને દોષ આપ્યો?

9 એપ્રિલ, શુક્રવારે રાત્રે લખનઉ સુપર જાયન્ટ્સના હાથે ચેન્નાઈ સુપર કિંગ્સે સિઝનની તેમની ત્રીજી હારનો સામનો કરવો પડ્યો. કેપ્ટન રુતુરાજ ગાયકવાડે આ હાર માટે બેટ્સમેન અને બોલર બંનેને જવાબદાર ઠેરવ્યા છે. ગાયકવાડનું કહેવું છે કે, પાવરપ્લે પછી બેટ્સમેનો સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યા નહોતા, જ્યારે બોલરો પાવરપ્લેમાં વિકેટ લઈ શક્યા નહોતા. CSK કેપ્ટનનું કહેવું છે કે, તેના બોલરોએ પાવરપ્લેમાં વિકેટ લેવાની જરૂર છે અને ટીમે આગામી મેચોમાં આના પર કામ કરવું પડશે.

IPL 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે આઠ વિકેટની હાર પછી ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે કહ્યું હતું કે, પાવરપ્લે પછી તેમના બેટ્સમેનો રનની ગતિ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના કારણે ટીમે 10 થી 15 રન ઓછા કર્યા હતા. સુપર કિંગ્સે આપેલા 177 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સુપર જાયન્ટ્સે છ બોલ બાકી રહેતા બે વિકેટે 180 રન બનાવીને જીત મેળવી હતી. કેપ્ટન KL રાહુલે 82 રન જ્યારે ક્વિન્ટન D કોકે 54 રન બનાવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 134 રન જોડ્યા હતા.

રુતુરાજ ગાયકવાડે મેચ પછી કહ્યું, 'અમે (ઈનિંગ) ખૂબ જ સારી રીતે સમાપ્ત કરી, તેનાથી વધુ કંઈ અપેક્ષા રાખી શકાઈ ન હતી. પરંતુ પાવરપ્લે પછી અમે 14મી-15મી ઓવર સુધી ઝડપી રન બનાવી શક્યા ન હતા. અમે સતત વિકેટ ગુમાવી અને 10-15 રન ઓછા બનાવ્યા. બેટિંગ કરવી થોડી અઘરી છે, પરંતુ ઈમ્પેક્ટ પ્લેયરના નિયમથી તમને એક વધારાનો બેટ્સમેન મળે છે. ત્યાર પછી, ઝાકળ આવતા, એવું લાગતું હતું કે 180-190 રન સારો સ્કોર બની શક્યો હોત.'

રુતુરાજ ગાયકવાડે કહ્યું કે, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ પાવરપ્લેમાં પોતાની બોલિંગમાં સુધારો કરવા માંગે છે. કેપ્ટન રુતુરાજે કહ્યું, એક ક્ષેત્ર જેમાં અમે સુધારો કરવા માંગીએ છીએ, તે પાવરપ્લેમાં વિકેટ લેવાનું છે. તેનાથી વિપક્ષી ટીમ દબાણમાં આવે છે. અમારે આના પર કામ કરવાની જરૂર છે.

અગાઉ, અડધી સદી ફટકારવા ઉપરાંત, રવિન્દ્ર જાડેજા (40 બોલમાં અણનમ 57, પાંચ ચોગ્ગા, એક છગ્ગા) મોઈન અલી (20 બોલમાં 30 રન, ત્રણ છગ્ગા) સાથે છઠ્ઠી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. જેના કારણે સુપર કિંગ્સે છ વિકેટે 176 રન બનાવ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીએ અંતમાં ફરી એકવાર ઝડપી ઇનિંગ રમી હતી, પરંતુ ટીમ મેચ વિનિંગ ટોટલ સુધી પહોંચી શકી નહોતી.

ચેન્નાઈને સાત મેચમાં ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ અત્યારે આઠ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. CSKને ઘરની બહાર ચારમાંથી ત્રણ હારનો સામનો કરવો પડ્યો છે. ટીમે હવે તેની આગામી મેચ મંગળવારે ઘરઆંગણે લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમવાની છે.

About The Author

Top News

તોલે દોઢ લાખનું સોનું તો આમપણ જનતા નથી ખરીદી શકવાની, ચૂંટણી પૂરી થતા જ ‘સંકટ’ યાદ આવ્યું! અખિલેશ યાદવના પ્રહારો

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ દેશમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી સાત...
National 
તોલે દોઢ લાખનું સોનું તો આમપણ જનતા નથી ખરીદી શકવાની, ચૂંટણી પૂરી થતા જ ‘સંકટ’ યાદ આવ્યું! અખિલેશ યાદવના પ્રહારો

MGએ લોન્ચ કરી Majestor; સેગમેન્ટમાં સૌથી મોટી, જબરદસ્ત ફીચર્સ, પણ કિંમત પણ વધુ છે

મોરિસ ગેરેજ એટલે કે, MG મોટર્સે, ભારતીય બજારમાં તેની નવી ફ્લેગશિપ SUV, Majestorને સત્તાવાર રીતે લોન્ચ કરી...
Tech and Auto 
MGએ લોન્ચ કરી Majestor; સેગમેન્ટમાં સૌથી મોટી, જબરદસ્ત ફીચર્સ, પણ કિંમત પણ વધુ છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 31-05-2026 વાર- રવિવાર મેષ -  પાણીજન્ય રોગમાં ધ્યાન રાખવું,  બચતની ચિંતા છોડી પુષ્કળ ભક્તિમાં આજે હનુમાનજીને મીઠી વસ્તુ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?

શું તમારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પૈસા ચૂકવવા પડશે? મેટાએ એક મોટી જાહેરાત કરી છે જેની સીધી અસર...
Tech and Auto 
શું છે વોટ્સએપ પ્લસ અને ઇન્સ્ટાગ્રામ 'પ્લસ'? શું હવે તમારે પૈસા ચૂકવવા પડશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.