IPL પહેલા પ્રેક્ટિસમાં ધૂઆંધાર બેટિંગ કરતા જોવા મળ્યો ધોની, જુઓ વીડિયો

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન 31મી માર્ચથી શરૂ થઈ રહી છે. લીગની શરૂઆત અમદાવાદના PM નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેના હાઈ વોલ્ટેજ મુકાબલા સાથે થશે.

41 વર્ષના મહેન્દ્ર સિંહ ધોનીએ પણ આ મેચની તૈયારી શરૂ કરી દીધી છે. તે સિઝનના પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં ઉતર્યો હતો. રવિવારે તેનો પ્રેક્ટિસ કરતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં ધોનીએ બે બોલનો સામનો કર્યો હતો અને બંનેને ટાઈમિંગ કરતો જોવા મળ્યો હતો.

આ વીડિયો પોસ્ટ કરીને CSKએ લખ્યું, 'શુક્રવારની લાગણી સાથે ખરેખર કંઈ જ મેળ ખાતું નથી.' સોશિયલ મીડિયાના ફેન્સ આના પર ફની જવાબો આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, મહેરબાની કરીને એવું ન કહો કે, આ ધોનીની છેલ્લી સીઝન છે. અન્ય યુઝરે લખ્યું, MS ધાનીની લાંબી સિક્સ ફરીથી જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.

આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીનું ચેન્નાઈ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

ધોનીની આ છેલ્લી IPL હોઈ શકે છે. ગત સિઝનમાં એક મેચ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે શું તે સંન્યાસ લેવા જઈ રહ્યો છે. તો ધોનીએ આના જવાબમાં કહ્યું હતું કે, જ્યારે પણ હું નિવૃત્તિ લઈશ ત્યારે મારા ઘરેલું ચાહકોની વચ્ચે નિવૃત્તિ લઈશ. આ વખતે CSK 14મી મેના રોજ તેમના હોમ ગ્રાઉન્ડ પર લીગ સ્ટેજની છેલ્લી મેચ રમશે. ટીમે તેની છેલ્લી હોમ મેચ 7 મે 2019ના રોજ રમી હતી. આવી સ્થિતિમાં, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, ધોની તે મેચ પછી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે, જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2019માં ODI વર્લ્ડ કપની સેમિફાઇનલમાં રમી હતી.

ભારતીય લીગમાં MI પછી CSK ટીમ સૌથી સફળ ટીમ છે. MIએ 5 ટાઇટલ જીત્યા છે, જ્યારે CSKએ ધોનીની કેપ્ટન્સીમાં 4 ટાઇટલ જીત્યા છે. CSK ટીમે ધોનીની કેપ્ટન્સીમાં 2010માં પહેલો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ 2011 અને 2018માં ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ચેમ્પિયન બની હતી અને છેલ્લી વખત તેણે 2021માં ટાઈટલ જીત્યું હતું. ત્યારે પણ ધોની જ CSKનો કેપ્ટન હતો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.