શું હવે RCB માટે IPL નહીં રમે વિરાટ કોહલી?

શું વિરાટ કોહલી હવે IPLમાં RCB માટે નહીં રમે? શું વિરાટ કોહલી IPLમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે? શું વિરાટ કોહલી RCBને બદલે IPLમાં કોઈ અલગ ટીમ માટે રમતો જોવા મળશે? શું વિરાટ કોહલી IPLમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે? શું વિરાટ કોહલીએ RCB સાથે સંબંધો તોડી નાખ્યા છે? જો તમને પણ આ પ્રશ્ન હોય અથવા તમે ક્યાંક આવું સાંભળ્યું કે વાંચ્યું હોય, તો આ લેખ તમારા માટે છે. તમને આ બધા પ્રશ્નોના જવાબ અહીં મળી જશે.

એક અહેવાલ સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિરાટ કોહલીએ RCB સાથે કોમર્શિયલ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરી દીધો છે. ત્યારબાદ વિરાટના RCBથી અલગ થવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયાથી લઈને સમાચાર જગત સુધી વાતો થવા લાગી, પરંતુ કોઈએ અસલી વાસ્તવિકતા ન જણાવી. ખેર, અહીં અમે તમને આ બાબત વિશે સત્ય જણાવીશું.

virat1
BCCI

તમને જણાવી દઈએ જોઈએ કે, વિરાટ કોહલી RCB છોડી રહ્યો નથી. તેણે માત્ર કોમર્શિયલ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે. આનો અર્થ એ નથી કે વિરાટ RCB છોડી રહ્યો છે. વિરાટ હજુ નિવૃત્તિ લેવાનો નથી. તે IPL 2026માં RCB માટે રમતા જોવા મળશે.

virat
livemint.com

શું હોય છે કોમર્શિયલ કોન્ટ્રાક્ટ, જેના પર વિરાટ કોહલીએ સહી કરવાનો ઇનકાર કર્યો?

તમારી માહિતી માટે જણાવી દઈએ કે, કોમર્શિયલ કોન્ટ્રાક્ટ અને ખેલાડીનો કોન્ટ્રાક્ટ બે અલગ-અલગ બાબતો છે. જો વિરાટ RCBથી અલગ થવું હોત, તો તેણે પોતાનો ખેલાડીનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હોત, પરંતુ તેણે કોમર્શિયલ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે. આનો અર્થ એ થયો કે તે કોઈ બ્રાન્ડ સાથે જોડાવાનો ઇનકાર કરી રહ્યો હશે. ફ્રેન્ચાઇઝી વિવિધ સ્પોન્સરશિપ લે છે, જેમાં જણાવાયું છે કે તેમના ખેલાડીઓ લીગ દરમિયાન તેમના માટે વીડિયો અથવા જાહેરાતો કરશે. એવામાં તેને સ્પોન્સરશિપ તરીકે મોટી રકમ મળે છે. જો કે, વિરાટ કોઈપણ બ્રાન્ડ સાથે જોડાવા માગતો નથી, જેના કારણે તેણે કોમર્શિયલ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે. જો કે, કોઈ રિપોર્ટમાં ખુલાસો થયો નથી કે વિરાટે કઈ બ્રાન્ડ સાથે જોડાવાનો ઇનકાર કર્યો છે.

About The Author

Related Posts

Top News

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે
Copyright (c) Khabarchhe All Rights Reserved.