સેમસન ક્યા છે? સૂર્યાને આ સવાલ પૂછતા જવાબ એવો આપ્યો કે ફેન્સના દિલ જીતી લીધા

ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધ વનડે સીરિઝમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. ત્રણ મેચોની સ્થાનિક વનડે સીરિઝને ટીમ ઈન્ડિયા 3-0થી પોતાના નામે કરી છે. સીરિઝની ત્રીજી મેચ તિરુવનંતપુરમમાં રમાઈ હતી. જ્યાં વિરાટ કોહલી અને શુભમન ગિલે ધમાકેદાર પ્રદર્શન કરીને 50 ઓવરના અંતે 390 રનનો ખડકલો કરી દીધો હતો. પરંતુ આ મેચમાં ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનની દિવાનગી પણ જોવા મળી હતી.

ફેન્સે સંજુના નામના નારા લગાવ્યા હતા, જ્યારે સંજુ સેમસન શ્રીલંકા વિરુદ્ધની વનડે સીરિઝ માટે ભારતીય સ્ક્વોડમાં સામેલ નહીં હતો. એક સમય એવો પણ આવ્યો કે, જ્યારે બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરી રહેલા સૂર્યકુમાર યાદવને ફેન્સે પૂછૂ લીધું હતું કે, સંજુ સેમસન ક્યાં છે. તેની પર સૂર્યાએ જે જવાબ આપ્યો હતો, તેને સાંભળીને તમે પણ ખુશ થઈ જશો. સૂર્યાએ ફેન્સે જવાબ આપ્યો જેણે સ્ટેડિયમમાં બેઠેલા ફેન્સ સહિત તમામ લોકોના દિલ જીતી લીધા હતા.

અસલમાં તિરુવનંતપુરમ વનડે મેચમાં આ ઘટના શ્રીલંકા ટીમની બેટિંગ દરમિયાન ઘટી હતી. સૂર્યકુમાર બાઉન્ડ્રી પર ઊભો રહીને ફિલ્ડીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન સ્ટેન્ડમાં બેઠેલા કેટલાંક ફેન્સ સંજુ સેમસનના નામના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સૂર્યાએ તે ફેન્સની તરફ જોયું તો દર્શકોએ પૂછ્યું કે અમારો સંજુ ક્યા છે. સૂર્યાએ પોતાના કાન પર હાથ લગાવીને થોડા ધ્યાનથી તેમનો સવાલ સાંભળ્યો, તો ફેન્સે ફરીથી સવાલ પૂછ્યો કે અમારો સંજુ ક્યા છે.

આટલુ સાંભળ્યા પછી સૂર્યાએ પોતાની ચેસ્ટ પર બંને હાથથી દિલ બનાવીને ઈશારો કરતા કહ્યું કે સંજૂ અમારા દિલમાં છે. તેના પછી આંગળીથી દિલ તરફ ઈશારો કરતા કહ્યું કે, દિલની અંદર છે સંજૂ. આ જોઈને તેના ફેન્સ ઘણા ખુશ થઈ ગયા હતા. જણાવી દઈએ કે તિરુવનંતપુરમમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમે બેટિંગ કરતા 5 વિકેટના નુકસાન પર 390 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ નોટ નાઉટ રહીને 166 રન બનાવ્યા હતા.

જેમાં 13 ચોગ્ગાની સાથે 8 સિક્સ પણ સામેલ હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 22 ઓવરમાં 73 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. બોલર મોહમ્મદ સિરાઝે 32 રન આપીને સૌથી વધારે 4 વિકેટ લીધી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.