ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હોય કે તેમનું બોર્ડ, મોટા ભાગે કોઈક ને કોઈ વિવાદને કારણે ચર્ચામાં બન્યા રહે છે. આવો જ એક વિવાદ વર્ષ 2024માં જોવા મળ્યો હતો, જ્યારે ગેરી કર્સ્ટન અને પછી જેસન ગિલેસ્પીએ થોડા મહિનામાં જ હેડ કોચ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગયા વર્ષે ટેસ્ટ ટીમના હેડ કોચ તરીકે ગિલેસ્પીની નિમણૂક કરી હતી. ત્યારે ગેરી કર્સ્ટનને લિમિટેડ ઓવર્સ ફોર્મેટમાં હેડ કોચની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, બંનેએ 6 મહિનાની અંદર જ આ પદ છોડી દીધું હતું. તો હવે, કર્સ્ટને હેડ કોચ પદ છોડવાના પોતાના નિર્ણય અંગે પહેલીવાર નિવેદન આપ્યું છે, જેમાં તેમણે PCBની કામ કરવાની રીતનો પૂરો કાચો ચિઠ્ઠો ખોલી દીધો છે.

IAS-Pamela-Satpathy2
x.com/pamelasatpathy

 

ગેરી કર્સ્ટને વિઝડન પોડકાસ્ટને આપેલા પોતાના નિવેદનમાં પાકિસ્તાની ટીમના હેડ કોચનું પદ છોડવા પાછળના કારણ અંગે વાત કરતા કહ્યું હતું કે, ‘મને પોતાનું કામ યોગ્ય રીતે કરવા દેવામાં આવતું નહોતું, જેમાં ટીમની અંદર બાહ્ય લોકોની વધારે દખલઅંદાજી હતી. શરૂઆતના કેટલાક મહિના મારા માટે ખૂબ જ તણાવપૂર્ણ હતા, ત્યારબાદ મને સમજાઈ ગયું કે કોચના રૂપમાં મને અહીં વધુ તાકત મળવાની નથી. મને સિલેક્શન પેનલમાંથી હટાવી દેવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તમારે માત્ર ટીમને કોચિંગ આપવાનું છે, પરંતુ ટીમ પસંદ કરવામાં મારી કોઈ ભૂમિકા નહીં રહે. એક કોચના રૂપમાં, જ્યારે તમારી ટીમ પર કોઈ સકારાત્મક અસર હોતી નથી તો તમારા માટે વસ્તુઓ ખૂબ મુશ્કેલ થઈ જાય છે.

Gary-Kirsten1
cricketwinner.com

 

કર્સ્ટને પોતાના આ નિવેદનમાં પાકિસ્તાન ટીમના ખેલાડીઓનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનનાં ખેલાડી કદાચ દુનિયાની બીજી કોઈ ટીમની તુલનમાં વધારે પ્રદર્શનનો દબાવ અનુભવે છે. જ્યારે ટીમને હારનો સામનો કરવો પડે છે, તો ત્યાં આખો માહોલ જ એકદમ અલગ જોવા મળે છે. જોકે, કિર્સ્ટને કહ્યું કે તેઓ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં કોચના રૂપમાં પાછા ફરી શકે છે પરંતુ યોગ્ય પરિસ્થિતિઓમાં અને કોઈ પણ બાહ્ય હસ્તક્ષેપ વિના.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.