કે.એલ. રાહુલને મળ્યો ગૌતમ ગંભીરનો સાથ, સમર્થનમાં કહી દીધી આ વાત

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન કે.એલ. રાહુલની બેટ ઘણા સમયથી શાંત છે. રાહુલના ખરાબ ફોર્મના કારણે સતત પ્લેઇંગ ઇલેવનમાં તેની જગ્યા પર સવાલ ઉઠી રહ્યા છે. ઘણા દિગ્ગજોએ તેને ટીમાંથી બહાર કરવાની પણ વાત કહી છે. આ દરમિયાન કે.એલ. રાહુલને પૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરનો સાથ મળ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના મેન્ટર ગૌતમ ગંભીરને આશા છે કે કે.એલ. રાહુલ સારું પ્રદર્શન કરશે.

ગૌતમ ગંભીરે કહ્યું કે, જે લોકોએ રાહુલના ખરાબ પ્રદર્શ પર પ્રહાર કર્યો છે તેઓ એ વાતથી અજાણ છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કેટલી મુશ્કેલ હોય શકે છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, ખેલાડીનું સમર્થન કરવું આવશ્યક છે અને તેમણે કે.એલ. રાહુલના સમર્થન માટે કેપ્ટન રોહિત શર્માના વખાણ કર્યા. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ગૌતમ ગંભીરે કહ્યું કે, ક્યારેક ક્યારેક તમે કોઇની પ્રતિભાનું સમર્થન કરો છો. હું રોહિત શર્માના વખાણ કરું છું કે તેનું સમર્થન કરી રહ્યો છે.

રોહિત શર્મા પણ શરૂઆતી દિવસમાં એવી જ સ્થિતિમાં હતો, જ્યારે તે વધારે રન બનાવી શકતો નહોતો, પરંતુ તેને ઘણા ચાંસ મળ્યા અને હવે જુઓ તે ક્યાં છે એટલે તે કે.એલ. રાહુલ બાબતે જાણે છે અને હું રોહિત શર્માના નિર્ણયનું સમર્થન કરું છું. ગૌતમ ગંભીરે કહ્યું કે, આપણે આ સીરિઝમાં 2-0થી આગળ છીએ, પાછળ નથી. મારું માનવું છે કે તેને આગામી 2 ટેસ્ટમાં ચાન્સ આપવો જોઈએ અને તે સારું પ્રદર્શન કરશે.

બીજી ટેસ્ટ બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે, રાહુલની બેટિંગ બાબતે ઘણી વાત થઇ છે, પરંતુ ટીમ મેનેજમેન્ટના રૂપમાં અમે હંમેશાં કોઇ પણ વ્યક્તિની ક્ષમતા જોઇએ છીએ, ન કે માત્ર ભૂતકાળમાં કરવામાં આવેલા પ્રદર્શનને જોઇએ છીએ. જો એ વ્યક્તિમાં ક્ષમતા છે તો તેને એક ચાંસ મળશે. ઇંગ્લેન્ડમાં રમવું કોઇ સરળ કામ હોતું નથી અને તેણે શાનદાર પ્રદર્શન કર્યું. અહીં સુધી કે સેન્ચુરિયનમાં પણ શાનદાર પ્રદર્શન હતું. બંને પ્રદર્શનોના કારણે ભારતે બંને મેચ જીતી હતી. છતા તેની ક્ષમતા બાબતે વાત કરવામાં આવી છે, પરંતુ અમારી તરફથી એ સ્પષ્ટ હતું કે તેને મેદાન પર પોતાની રમત રમવાની જરૂરિયાત છે.

તેમાં કોઇ શંકા નથી કે જ્યારે તમે આ પ્રકારની પીચો પર રમી રહ્યા છો તો તમારે રન બનાવવાની પોતાની રીત શોધવાની જરૂરિયાત છે.અમે એ જોતા નથી કે કોઇ ખેલાડીના રૂપમાં શું કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કે.એલ. રાહુલ લાંબા સમયથી પોતાના બેટથી મોટી ઇનિંગ રમી શક્યો નથી. તેણે છેલ્લી વખત વર્ષ 2021ના અંતમાં દક્ષિણ આફ્રિકામાં સદી બનાવી હતી. સતત તેનું પ્રદર્શન ખરાબ રહેવાના કારણે રાહુલે ટેસ્ટમાં પોતાની કેપ્ટન્સી ગુમાવી દીધી છે. જો કે, તેને ઈન્દોર અને અમદાવાદ ટેસ્ટ સ્ક્વોડમાં જગ્યા મળી છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે તે પ્લેઇંગ ઇલેવનમાં પોતાની જગ્યા યથાવત રાખી શકે છે કે નહીં.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.