IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કહે છે કે, છેલ્લા કેટલાક મહિનામાં સમયનું ચક્ર તેના માટે સંપૂર્ણ 360 ડિગ્રીનો વળાંક લઈ ચૂક્યું છે, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિઓમાં હાર ન માનવાની ભાવનાને કારણે તે મેદાન પર અડગ રહ્યો. ગયા વર્ષે, હાર્દિક પંડ્યાને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યા પછી ચાહકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.

જોકે, આ પછી તેણે ભારતના T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી વિજયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. IPL 2025ની તૈયારી કરી રહેલા આ ઓલરાઉન્ડરને આશા છે કે, આ વખતે તેને મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોનો પ્રેમ મળશે.

Hardik Pandya
hindi.news18.com

હાર્દિક પંડ્યાએ 22 માર્ચથી શરૂ થઈ રહેલા IPL 2025 પહેલા એક સ્પોર્ટ્સ ચેનલને કહ્યું, ‘હું ક્યારેય હાર માનતો નથી. મારી કારકિર્દીમાં એવો પણ સમય આવ્યો જ્યારે મારું ધ્યાન જીતવા કરતાં રમતમાં ટકી રહેવા પર હતું.' તેણે વધુમાં કહ્યું કે, 'મને સમજાયું કે મારી સાથે ગમે તે થઈ રહ્યું હોય, ક્રિકેટ હંમેશા મારો સાચો મિત્ર બની રહેશે. મેં મારી જાતને ટેકો આપ્યો અને જ્યારે મારી સખત મહેનત રંગ લાવી, ત્યારે તે મારી કલ્પના કરતાં પણ વધારે હતું.'

હાર્દિકે કહ્યું, 'આ છ મહિનાના સમયગાળામાં, અમે વર્લ્ડ કપ જીત્યો અને ઘરે પાછા ફરતી વખતે મને મળેલા પ્રેમ અને સમર્થનથી હું અભિભૂત થઈ ગયો. સમયનું ચક્ર મારા માટે સંપૂર્ણ 360 ડિગ્રી ફેરવાઈ ગયું હતું.' 31 વર્ષીય ખેલાડીને વિશ્વાસ હતો કે, જો તે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરતો રહેશે, તો તે વધુ મજબૂત રીતે પાછો આવશે. તેણે કહ્યું, 'મને ખબર નહોતી કે આ ક્યારેય થશે, પરંતુ જેમ કહેવાય છે તેમ, ભાગ્યની પોતાની યોજનાઓ હતી અને મારા કિસ્સામાં, અઢી મહિનામાં બધું બદલાઈ ગયું.'

Hardik Pandya
aajtak.in

હાર્દિક પંડ્યાએ જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ શમી સાથે મળીને નવી બોલિંગ સાથે ભારતની તાજેતરની ચેમ્પિયન્સ ટ્રોફી જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે ગયા વર્ષે USAમાં ભારતની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતો. IPLની છેલ્લી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લા સ્થાને રહ્યું હતું, પરંતુ હાર્દિક માને છે કે, આ વખતે તેની ટીમ એકદમ સંતુલિત છે અને પરિસ્થિતિને બદલવા માટે સક્ષમ છે.

હાર્દિક પંડ્યાએ કહ્યું, 'હું લગભગ 11 વર્ષથી IPL રમી રહ્યો છું. દરેક સીઝનમાં તમારી અંદર એક નવી ઉર્જા અને સકારાત્મક લાગણી ઉત્પન્ન કરે છે. ટીમ તરીકે છેલ્લી સીઝન અમારા માટે ચોક્કસપણે પડકારજનક હતી, પરંતુ અમે તેમાંથી ઘણું શીખ્યા. હાર્દિકે કહ્યું, 'અમે 2025 માટે અમારી ટીમને તૈયાર કરતી વખતે અમને મળેલા શિક્ષણનું વિશ્લેષણ કર્યું અને તેનો અમલ કર્યો. આ વખતે અમારી પાસે ખૂબ જ અનુભવી ટીમ છે. અમારી પાસે એવા ખેલાડીઓ છે, જેમણે ઉચ્ચ સ્તરે ક્રિકેટ રમ્યું છે અને આ ઉત્સાહજનક છે.'

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.