ભારત-પાક વચ્ચે સેમિ. રમાયેલી એ પંજાબના સ્ટેડિયમમાં વર્લ્ડ કપની એકપણ મેચ નહિ રમાય

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વન-ડે વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતમાં થવાનું છે. તેનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં થશે. આ અગાઉ મોહાલી ક્રિકેટ સ્ટેડિયમને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ મુજબ, મોહાલીમાં વર્લ્ડ કપની એક પણ મેચ નહીં રમાય. અહીં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. આ કારણે મોહાલી સ્ટેડિયમને વર્લ્ડ કપ વેન્યૂમાંથી હટાવી શકાય છે. જો કે, તેને લઈને અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાઈ શકે છે. મોહાલી ક્રિકેટ સ્ટેડિયમ વર્લ્ડ કલ 2023 માટે વેન્યૂની રેસમાંથી બહાર થઈ ગયું છે. એક સ્પોર્ટ્સ વેબસાઈટના રિપોર્ટ મુજબ, મોહાલીમાં પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA)ના આઈ.એસ. બિન્દ્રા સ્ટેડિયમમાં સંભવતઃ એક પણ મેચ નહીં રમાય. રિપોર્ટ મુજબ, કન્સ્ટ્રક્શન વર્કના કારણે મેચ નહીં રમાઈ શકે. જો કે, અત્યાર સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી તેને લઈને કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. વન-ડે વર્લ્ડ કપ 2023 દરમિયાન કુલ 48 મેચ રમાવાની છે.

આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે રમાઈ શકે છે. તેના માટે ભારતના 12 શહેરોને પસંદ કરી શકાય છે. તેમાં અમદાવાદનું નામ પહેલા નંબર પર છે. અહીં ફાઇનલ મેચ રમાઈ શકે છે. તેની સાથે-સાથે બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાળા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, રાજકોટ અને મુંબઈનું નામ પણ સામેલ છે. મોહાલીમાં બનેલું પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA)નું આઈ.એસ. બિન્દ્રા સ્ટેડિયમ શોર્ટલિસ્ટ કરવામાં આવેલા સ્ટેડિયમમાં જગ્યા બનાવી શક્યું નથી. અહીં હાલના દિવસોમાં ખાલિસ્તાની આંદોલન ચાલી રહ્યું છે. એ સિવાય પાર્કિંગની સમસ્યા અને ભ્રષ્ટાચારના આરોપ પણ મોટા કારણ છે.

હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ મુજબ, PCA સચિવ દિલશેર ખન્નાએ કહ્યું કે, BCCI તરફથી અમને સત્તાવાર રૂપે કશું જ કહેવામાં આવ્યું નથી એટલે હું તેના પર ટિપ્પણી નહીં કરી શકું.  આ સ્ટેડિયમે અત્યાર સુધી 4 ICC વર્લ્ડ કપ મેચો અને ICC T20 વર્લ્ડ કપ મેચોની મેજબાની કરી છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2011 દરમિયાન કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ સાથે પણ આવું જ થયું હતું. વર્ષ 2011ના વર્લ્ડ કપ દરમિયાન ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કામ ચાલી રહ્યું હતું. આ કારણે અહીં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી મેચ શિફ્ટ કરવામાં આવી હતી. આ મેચ બેંગ્લોરના એમ. ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી.

Top News

ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ટેરિફ અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીને લઈને કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે તણાવ હજુ પણ...
World 
ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે US ચૂંટણીઓમાં મોટા પાયે ફેરફાર કરતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા આદેશ સાથે...
World 
ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.