ભારત-પાક વચ્ચે સેમિ. રમાયેલી એ પંજાબના સ્ટેડિયમમાં વર્લ્ડ કપની એકપણ મેચ નહિ રમાય

On

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વન-ડે વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતમાં થવાનું છે. તેનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં થશે. આ અગાઉ મોહાલી ક્રિકેટ સ્ટેડિયમને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ મુજબ, મોહાલીમાં વર્લ્ડ કપની એક પણ મેચ નહીં રમાય. અહીં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. આ કારણે મોહાલી સ્ટેડિયમને વર્લ્ડ કપ વેન્યૂમાંથી હટાવી શકાય છે. જો કે, તેને લઈને અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાઈ શકે છે. મોહાલી ક્રિકેટ સ્ટેડિયમ વર્લ્ડ કલ 2023 માટે વેન્યૂની રેસમાંથી બહાર થઈ ગયું છે. એક સ્પોર્ટ્સ વેબસાઈટના રિપોર્ટ મુજબ, મોહાલીમાં પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA)ના આઈ.એસ. બિન્દ્રા સ્ટેડિયમમાં સંભવતઃ એક પણ મેચ નહીં રમાય. રિપોર્ટ મુજબ, કન્સ્ટ્રક્શન વર્કના કારણે મેચ નહીં રમાઈ શકે. જો કે, અત્યાર સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી તેને લઈને કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. વન-ડે વર્લ્ડ કપ 2023 દરમિયાન કુલ 48 મેચ રમાવાની છે.

આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે રમાઈ શકે છે. તેના માટે ભારતના 12 શહેરોને પસંદ કરી શકાય છે. તેમાં અમદાવાદનું નામ પહેલા નંબર પર છે. અહીં ફાઇનલ મેચ રમાઈ શકે છે. તેની સાથે-સાથે બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાળા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, રાજકોટ અને મુંબઈનું નામ પણ સામેલ છે. મોહાલીમાં બનેલું પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA)નું આઈ.એસ. બિન્દ્રા સ્ટેડિયમ શોર્ટલિસ્ટ કરવામાં આવેલા સ્ટેડિયમમાં જગ્યા બનાવી શક્યું નથી. અહીં હાલના દિવસોમાં ખાલિસ્તાની આંદોલન ચાલી રહ્યું છે. એ સિવાય પાર્કિંગની સમસ્યા અને ભ્રષ્ટાચારના આરોપ પણ મોટા કારણ છે.

હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ મુજબ, PCA સચિવ દિલશેર ખન્નાએ કહ્યું કે, BCCI તરફથી અમને સત્તાવાર રૂપે કશું જ કહેવામાં આવ્યું નથી એટલે હું તેના પર ટિપ્પણી નહીં કરી શકું.  આ સ્ટેડિયમે અત્યાર સુધી 4 ICC વર્લ્ડ કપ મેચો અને ICC T20 વર્લ્ડ કપ મેચોની મેજબાની કરી છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2011 દરમિયાન કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ સાથે પણ આવું જ થયું હતું. વર્ષ 2011ના વર્લ્ડ કપ દરમિયાન ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કામ ચાલી રહ્યું હતું. આ કારણે અહીં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી મેચ શિફ્ટ કરવામાં આવી હતી. આ મેચ બેંગ્લોરના એમ. ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી.

Top News

ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

છેવટે, કોણ ધનવાન બનવા નથી માંગતું? પણ એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તે સ્તર સુધી પહોંચે. બચત...
Business 
ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હરિયાણાના હિસારની રહેવાસી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બોરા અને તેના પતિ દીપક હુડ્ડા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. પોલીસમાં...
National 
દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અંગત વકીલ એલિના હુબ્બાને ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે...
World 
હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

કોમેડિયન કુણાલ કામરાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં, તે ઘણા દિવસ સુધી ચર્ચામાં રહ્યો હતો, સોશિયલ મીડિયા...
Entertainment 
આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

Opinion

કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
(ઉત્કર્ષ પટેલ) કિશોરભાઈ વાંકાવાલા એ ગુજરાતના રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક એવું નામ છે જે સુરત શહેરના નાગરિકોના હૃદયમાં આજે...
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
સુરતના રક્ષક: અનુપમસિંહ ગેહલોત-પરિવારના સદસ્યની જેમ સુરતીઓની કાળજી લેતા સાચા સંરક્ષક
હાર્દિક પટેલઃ આંદોલન સાથે અનેક ભૂલો કરી છતા સમાજ અને ભાજપે બધું ભૂલી આવકાર આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.