ભારતની જીત છતા આ ખેલાડી પર ગુસ્સે થયા વેંકટેશ પ્રસાદ, બોલ્યા-તેનાથી તો ગિલ..

ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે કે.એલ. રાહુલના ખરાબ ફોર્મ અને ટેસ્ટ ક્રિકેટમાં આપવામાં આવી રહેલા ચાંસ પર સવાલ ઉઠાવ્યા. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, કે.એલ. રાહુલની પ્રતિભા અને ક્ષમતા માટે મારા મનમાં ખૂબ સન્માન છે પરંતુ દુઃખની વાત છે કે તેમાં પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યું છે. 46 ટેસ્ટ અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 8 વર્ષથી વધારે રહ્યા બાદ 34ની ટેસ્ટ એવરેજ સાધારણ છે. ભારતીય ટીમે નાગપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એકતરફી જીત હાંસલ કરી લીધી.

ભારતે એક ઇનિંગ અને 132 રનોથી મેચ જીતી. આ જીત છતા દેશના પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદ નારાજ છે. વેંકટેશ પ્રસાદે કે.એલ. રાહુલના પ્રદર્શન અને તેને આપવામાં આવતા ચાન્સ પર સવાલ ઉઠાવ્યા. વેંકટેશ પ્રસાદે એક બાદ એક કેટલીક ટ્વીટ કરીને ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન કે.એલ. રાહુલના ટીમમાં રહેવા પર સવાલ ઊભા કરી દીધા. કે.એલ. રાહુલે પહેલી ટેસ્ટ મેચમાં નિરાશાજનક પ્રદર્શન કરતા પહેલી ઇનિંગમાં માત્ર 20 રન બનાવાયા હતા. વેંકટેશ પ્રસાદે ટ્વીટ કરતા કહ્યું કે, ઘણા લોકો એવા ચાંસ આપવામાં આવ્યા છે.

ખાસ ત્યારે જ્યારે ટોપ ફોર્મમાં ઘણા બધા ખેલાડી ચાંસ મેળવવ માટે રાહ જોઈ રહ્યા છે. શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે, સરફરાઝ ઘરેલુ ક્રિકેટં શાનદાર રન બનાવી રહ્યો છે અને કેટલાક એવા ખેલાડી છે જે કે.એલ. રાહુલ પહેલા ચાન્સના હકદાર છે. કે.એલ. રાહુલથી અનેક ગણા સારા મયંક અગ્રવાલ અને હનુમા વિહારી છે. વેંકટેશ પ્રસાદે લખ્યું કે, તેનાથી પણ ખરાબ છે કે રાહુલને ઉપકેપ્ટન બનાવી દીધો. જો અશ્વિન પણ નહીં તો પૂજારા અને જાડેજાને આ ભૂમિકા આપવી જોઈતી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ 4 મેચોની ટેસ્ટ સીરિઝમાં 1-0થી આગળ છે. સીરિઝની બીજી મેચ દિલ્હીમાં રમવાની છે.  જો મેચની વાત કરીએ તો ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયા ટીમ માત્ર 177 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી, જવાબમાં ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 400 રનનો સ્કોર બનાવી લીધો જેના કારણે ભારતને 223 રનની લીડ મળી, પરંતુ બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ રવિચંદ્રન અશ્વિન અને જાડેજા સામે વિવશ દેખાઈ, તે માત્ર 91 રન બનાવીને જ ઓલઆઉટ થઈ ગઈ. અને ભારતીય ટીમે 3 જ દિવસમાં ટેસ્ટ મેચ પોતાના નામે કરી લીધી.

About The Author

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.