રોહિત શર્માને કારણે IPL કોમેન્ટ્રીમાંથી બહાર થયો હતો ઈરફાન પઠાણ? પૂર્વ ક્રિકેટરે કરી દીધો ખુલાસો

ઇરફાન પઠાણ છેલ્લા કેટલાક વર્ષોથી કોમેન્ટ્રીમાં એક મોટું નામ બની ચૂક્યું છે. આ જ કારણ છે કે જ્યારે તેને IPL 2025ની કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવામાં આવ્યો ત્યારે બધાને ખૂબ જ હેરાની થઈ હતી. બાદમાં મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેટલાક ખેલાડીઓની ટીકા કરવાને કારણે ઇરફાનને પેનલમાંથી બહાર કરવામાં આવ્યો હતો. રોહિત શર્માનું નામ પણ તેમાં સામેલ હતું. ઇરફાન પઠાણે હવે પોતે જણાવ્યું છે કે, શું હકીકતમાં ભારતીય કેપ્ટનની ટીકા કરવાને કારણે તેને પેનલમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

Pathan
crictracker.com

લલ્લનટોપને આપેલા ઈન્ટરવ્યૂમાં  ઇરફાન પઠાણને પૂછવામાં આવ્યું હતું કે, કોની ટીકા કરવાને કારણે તેને કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવામાં આવ્યો હતો? ઇરફાને તેનો જવાબ આપતા કહ્યું કે, ‘જુઓ, મારું માનવું છે કે કોમેન્ટ્રેટર્સનું કામ છે કે જે દેખાય છે તેનાથી આગળની કહાની બતાવે, જે ચાલી રહ્યું છે, કેમ ચાલી રહ્યું છે, જે થઈ રહ્યું છે તે કેમ થઈ રહ્યું છે. શું થઈ શકે છે, શા માટે અને કેવી રીતે થઈ શકે છે. કોમેન્ટ્રેટરનું આજ કામ છે. જો ખેલાડી સારું પ્રદર્શન કરે છે, તો તેની પ્રશંસા કરવી. જો આવું ન કરી શકે, તો તેની ટીકા કરવી. કોમેન્ટ્રેટરની જવાબદારી ખેલાડી માટે નહીં, પરંતુ ફેન્સ માટે છે.

Pathan
hindustantimes.com

ત્યારબાદ ઇરફાને રોહિત શર્મા પર ખૂલીને વાત કરી. ઇરફાને કહ્યું કે, તેણે માત્ર ફેન્સ સમક્ષ સત્ય રજૂ કર્યું. રોહિત શર્મા સફેદ બૉલનો શાનદાર ખેલાડી છે. જોકે, તે વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં તેની 6ની સરેરાશ હતી. તો અમે કહ્યું કે જો રોહિત કેપ્ટન ન હોત, તો પ્લેઇંગ ઇલેવનમાં તેની જગ્યા બનતી નથી. ઇરફાને અહીં એમ પણ કહ્યું કે લોકોને લાગે છે કે તે રોહિતને જરૂર કરતા વધુ બેક કરે છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ દરમિયાન ઇરફાને રોહિતનું ઇન્ટરવ્યૂ લીધું હતું. જેમાં રોહિતે કહ્યું હતું કે તે સંન્યાસ નહીં લે. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે ઇરફાન રોહિતને ખૂબ બેક કરે છે. જોકે, ઇરફાનનું માનવું છે કે તે માત્ર બ્રોડકાસ્ટર તરીકે પોતાનું કામ કરે છે.

ઇરફાને કહ્યું કે, ‘લોકો વાત કરે છે કે, અમે રોહિતને ઓવર ધ ટોપ સપોર્ટ કર્યો છે. સ્વાભાવિક છે કે, જો કોઈ તમારી બ્રોડકાસ્ટિંગ ચેનલ પર આવશે, તો તમે તેની સાથે ખરાબ વર્તન નહીં કરો. જેમ તમે મને આમંત્રણ આપ્યું છે. હું આવ્યો છું, એટલે તમે નમ્રતા બતાવશો. બતાવવું પણ જોઈએ. જ્યારે રોહિત આવ્યો હતો, ત્યારે તે અમારો મહેમાન હતો. તે વાત એવી રીતે રજૂ કરવામાં આવી હતી કે અમે સપોર્ટ કરી રહ્યા છીએ. પરંતુ અમે જ એ લોકો હતા, જેમણે કહ્યું હતું કે તેની જગ્યા બનતી નથી. જોકે, આ વાત ન ચાલી. ઇન્ટરવ્યૂવાળી વાત વધુ ચાલી. રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેણે પોતે જ સીરિઝની છેલ્લી મેચમાંથી હટવાનો નિર્ણય લીધો હતો.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.