વિરાટે ખરેખર ટ્રેન અકસ્માત માટે દાન કર્યા 30 કરોડ? જાણો શું છે હકીકત

ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત રૂવાટા ઊભા કરી દેનારો રહ્યો. આ અકસ્માત એટલો મોટો રહ્યો કે તેની ગણતરી ભારતના સૌથી મોટા રેલ અકસ્માતમાં થવા લાગી. તેનું કારણ છે તેમાં મૃતકો અને ઇજાગ્રસ્તોની સંખ્યા. લંડનથી વિરાટ કોહલીએ પણ ટ્વીટ કરીને આ મોટા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને હવે એવા સમાચાર વહેતા થયા છે કે, તેણે આ ટ્રેન અકસ્માતના રીલિફ ફંડમાં દાન પણ કર્યું છે, પરંતુ સવાલ એ છે કે શું તેમાં કોઈ હકીકત છે?

શું હકીકતમાં વિરાટ કોહલીએ ઓરિસ્સા ટ્રેન અકસ્માત માટે મદદનો હાથ વધારતા રૂપિયા દાન કર્યા છે? અને જો કર્યા છે તો કેટલા? તો આવો આ આખા મામલે તપાસ કરીએ અને એ જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે આ સમાચારોમાં કેટલો દમ છે. એવા સમાચાર છે કે વિરાટ કોહલીએ ઓરિસ્સા રેલ અકસ્માતના રીલિફ ફંડમાં 30 કરોડ રૂપિયા દાન કર્યા છે. હવે પહેલી વસ્તુ કે એવું અમે જરાય કહી રહ્યા નથી. આ વાતો સોશિયલ મીડિયા પર સામે આવી છે, પરંતુ શું છે કે દરેક વખત સોશિયલ મીડિયા પર જે ખબરો હોય છે, તે એવી હોતી નથી જે આપણને દેખાય છે. એટલે આ ખબરને પણ પચાવી શકવું મુશ્કેલ થઈ રહ્યું છે.

ભલે સોશિયલ મીડિયા પર સામે આવેલી આ તસવીરમાં વિરાટ કોહલીને મોટો દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તે મોટો ખેલાડી છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ તેના રૂપિયા દાન કરનારા સમાચારોમાં કોઈ હકીકત નથી. એક તો તેના કોઈ પૂરતા અને યોગ્ય પુરાવા નથી. ન તો તેની તરફથી તેના પર કોઈ નિવેદન આપવામાં આવ્યું છે કે ટ્વીટ કરવામાં આવ્યું છે. અહી સુધી કે કોઈ સત્તાવાર નિવેદન પણ મળ્યું નથી, જે એવો દાવો કરે છે કે વિરાટ કોહલીએ એવું કંઈક કર્યું છે.

બરાબર એવા જ સમાચાર મહેન્દ્ર સિંહ ધોનને લઈને પણ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે કે તે મહિલા પહેલવાનો સાથે છે અને જરૂરિયાત પડવા પર તે પોતાના મેડલ પરત કરી દેશે, પરંતુ આ સમાચારોની પણ જ્યારે અમે તપાસ કરી તો પરિણામ કંઈ ખાસ ન મળ્યું. સોશિયલ મીડિયા પર ધોની સાથે જોડાયેલા એવા સમાચારોમાં પણ દમ નથી. ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ હાલમાં જ IPL ફાઇનલ બાદ મુંબઈની કોકિલાબેન હૉસ્પિટલમાં ઘૂંટણની સર્જરી કરાવી છે અને તેની સાથે જોડાયેલી હકીકત બસ એટલી છે કે તે હાલમાં પોતાની ઈજામાંથી બહાર આવી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.