MIમાં બધું બરાબર નથી ચાલી રહ્યું! કેપ્ટનને ખેલાડીઓનો સપોર્ટ નથી મળી રહ્યો...; ક્રિકેટરનો ખુલાસો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનમાં, મુંબઈ ઈન્ડિયન્સ (MI) 9માંથી 7 મેચ હારી ચુકી છે, જેના કારણે પ્લેઓફમાં પહોંચવાનો તેમનો માર્ગ અત્યંત મુશ્કેલ બની ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના હાથે ખરાબ રીતે હાર્યા પછી, આખી ટીમ ટીકાકારોના નિશાના પર આવી ગઈ છે.

હવે, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ મુંબઈ ઈન્ડિયન્સની વર્તમાન પરિસ્થિતિ પર આકરી ટિપ્પણી કરતા એક ખુબ મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે, કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમનો વિશ્વાસ ગુમાવી દીધો છે અને ડ્રેસિંગ રૂમમાં એકતા નજર નથી આવતી.

Hardik-Pandya
navbharattimes.indiatimes.com

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 8 વિકેટની હારથી ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સની નબળાઈઓ છતી થઈ છે. ટીમ સતત ભૂલો કરી રહી છે અને મેદાન પર તેમની રમતમાં કોઈ સ્પષ્ટ યોજના નજર નથી આવતી. મનોજ તિવારીએ કહ્યું કે, આ ફક્ત હાર નથી, પરંતુ ટીમની અંદર મતભેદ હોવાનો સંકેત છે.

તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, કેપ્ટન તરીકે સૌથી મોટી જવાબદારી ટીમનો ભરોસો જીતવાનો હોય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતાં, એવું લાગે છે કે ખેલાડીઓ હાર્દિક પંડ્યાને સપોર્ટ નથી કરી રહ્યા. મનોજ તિવારીએ મીડિયા સૂત્રને કહ્યું, 'એક કેપ્ટનનું કામ દરેક ખેલાડીનો ભરોસો જીતવાનો હોય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ એ દર્શાવે છે કે કોઈ પણ ખેલાડી હાર્દિકને સંપૂર્ણ રીતે સપોર્ટ નથી કરી રહ્યો. તેને જે રીતનો સપોર્ટ મળવો જોઈએ તે નથી મળી રહ્યો.'

Hardik-Pandya1
m.dailyhunt.in

જોકે, મનોજ તિવારીએ તમામ દોષ હાર્દિક પંડ્યા પર નથી નાખ્યો. તિવારીના મતે, ખેલાડીઓનું પ્રદર્શન પણ એટલું જ નિરાશાજનક રહ્યું છે. સૂર્યકુમાર યાદવ સારું પ્રદર્શન કરી શક્યો નથી, જ્યારે તિલક વર્મા પણ બે ઇનિંગ્સ છોડીને પોતાની લય જાળવી રાખવામાં નિષ્ફળ ગયો છે. પરિણામે, ટીમનું સંતુલન સંપૂર્ણપણે બગડી ગયું છે. તિવારીએ કહ્યું, 'સૂર્યકુમાર યાદવ સતત સારું પ્રદર્શન કરી શક્યો નથી, અને તિલક વર્મા પણ એક કે બે મેચને છોડીને પોતાની લય જાળવી રાખવામાં નિષ્ફળ ગયો છે. જો ટીમના બાકી ખેલાડીઓ સારું પ્રદર્શન નહીં કરે, તો પરિણામો કેવી રીતે આવશે?'

મનોજ તિવારીએ મુંબઈ ઈન્ડિયન્સ અને CSK વચ્ચેની હરીફાઈ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, એક સમયે IPLની 'L ક્લાસિકો' તરીકે ઓળખાતી આ મેચ હવે વધુને વધુ એકતરફી બની રહી છે. તાજેતરના આંકડા પણ આ વાતની પુષ્ટિ કરે છે. CSKએ છેલ્લી 7 મેચોમાંથી 6 જીતી છે.

Hardik-Pandya2
m.dailyhunt.in

આ હારથી મુંબઈ ઈન્ડિયન્સની સ્થિતિ વધુ જોખમમાં મુકાઈ ગઈ છે. ટીમ પોઈન્ટ ટેબલમાં તે ખૂબ જ નીચે છે, અને તેમની પ્લેઓફની આશાઓ હવે માત્ર ગણતરીઓ સુધી મર્યાદિત રહી ગઈ છે. સતત હાર, ખેલાડીઓનું ખરાબ ફોર્મ અને તેમની કેપ્ટનશીપ અંગે ઉદ્ભવતા અનેક પ્રશ્નોએ MIની આ સીઝનને સંપૂર્ણપણે પાટા પરથી ઉતારી દીધી છે.

હવે, મુંબઈ ઈન્ડિયન્સ પાસે પાછા ફરવા માટે ખૂબ જ ઓછો સમય બચ્યો છે. જો ટીમ પ્લેઓફની આ દોડમાં ટકી રહેવા માંગતી હોય, તો તેણે દરેક મેચ જીતવી પડશે અને ટીમની અંદર ચાલી રહેલી સમસ્યાઓને ઝડપથી ઉકેલવી પડશે.

About The Author

Related Posts

Top News

MIમાં બધું બરાબર નથી ચાલી રહ્યું! કેપ્ટનને ખેલાડીઓનો સપોર્ટ નથી મળી રહ્યો...; ક્રિકેટરનો ખુલાસો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનમાં, મુંબઈ ઈન્ડિયન્સ (MI) 9માંથી 7 મેચ હારી ચુકી છે...
Sports 
MIમાં બધું બરાબર નથી ચાલી રહ્યું! કેપ્ટનને ખેલાડીઓનો સપોર્ટ નથી મળી રહ્યો...; ક્રિકેટરનો ખુલાસો

કયા રાજ્યમાં કોની સરકાર બનશે? ચૂંટણી પરિણામો પહેલા સટ્ટા બજાર ધમધમ્યું! પોલીમાર્કેટમાં 247 કરોડ દાવ પર

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી આવતીકાલે, 4 મેના રોજ શરૂ થશે. બપોર સુધીમાં...
Business 
કયા રાજ્યમાં કોની સરકાર બનશે? ચૂંટણી પરિણામો પહેલા સટ્ટા બજાર ધમધમ્યું! પોલીમાર્કેટમાં 247 કરોડ દાવ પર

પંચમહાલમાં શિક્ષણ વિભાગમાં 2.79 કરોડનું કૌભાંડ, કાગળ પર ખરીદી બતાવી ખોટા બિલો મૂકી રૂપિયા ઉપાડી લીધા

પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. ગોધરા પોલીસ-બી ડિવિઝનમાં નોંધાયેલી ફરિયાદમાં કહેવામાં...
Gujarat 
પંચમહાલમાં શિક્ષણ વિભાગમાં 2.79 કરોડનું કૌભાંડ, કાગળ પર ખરીદી બતાવી ખોટા બિલો મૂકી રૂપિયા ઉપાડી લીધા

ફોનમાં હવે જીવવું અશક્ય છે… કહી જજે જીવન ટુંકાવ્યું, IAS સાળી અને પત્ની પર આરોપ

"હવે જીવવું અશક્ય છે," આ શબ્દો દિલ્હીમાં કાર્યરત જજ અમન શર્માએ તેમના પિતા સાથેની અંતિમ ફોન કોલ દરમિયાન...
National 
ફોનમાં હવે જીવવું અશક્ય છે… કહી જજે જીવન ટુંકાવ્યું, IAS સાળી અને પત્ની પર આરોપ
Copyright (c) Khabarchhe All Rights Reserved.