પેટ કમિન્સને 20 કરોડમાં લેતા કાવ્યા મારનની મજાક ઉડેલી, હવે બધાની બોલતી થઇ બંધ!

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે જ્યારે હરાજી યોજાઈ હતી ત્યારે પેટ કમિન્સ માટે 20.5 કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી મળી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે પેટ કમિન્સને ખરીદ્યો હતો, જ્યારે સનરાઇઝર્સના માલિક કાવ્યા મારન પેટ કમિન્સ માટે બોલી લગાવી રહ્યા હતા, ત્યારે હરાજીના ટેબલ પર કુમાર સંગાકારા સાથે સંજીવ ગોએન્કા હસતા હતા. તેનું હાસ્ય કાવ્યા મારનને ઘણું દુઃખી કરતું હતું. કાવ્યાએ પણ નક્કી કરી લીધું હતું કે, હવે જે પણ થશે તે પેટ કમિન્સને ખરીદીને જ રહેશે. અંતે આવું જ બન્યું. એ જ પેટ કમિન્સ હવે સનરાઇઝર્સ હૈદરાબાદને ફાઇનલમાં લઈ ગયો છે.

સનરાઇઝર્સે હરાજીમાં RCBને પાછળ છોડીને પેટ કમિન્સને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. સનરાઇઝર્સની ટીમ છેલ્લી કેટલીક સીઝનથી સતત ફ્લોપ રહી હતી. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે ફ્રેન્ચાઈઝીને નવો લુક આપવાનો નિર્ણય કર્યો અને તેની શરૂઆત કેપ્ટન બદલવાથી થઈ. સનરાઇઝર્સે પેટ કમિન્સને કેપ્ટન બનાવ્યો હતો.

જેઓ હરાજીના ટેબલ પર બેસીને કાવ્યા મારનના આ નિર્ણયની મજાક ઉડાવતા હતા તેમને હવે જવાબ મળી ગયો છે. પેટ કમિન્સ કે જેના પર કાવ્યાએ 20.50 કરોડની દાવ લગાવ્યો હતો, તે હવે ટીમને ફાઇનલમાં લઈ ગયો છે. IPLમાં વિદેશી કેપ્ટન તરીકે કમિન્સે જે રીતે ટીમને ચલાવી તેના વખાણ કરી શકાય તેમ નથી. પેટ કમિન્સે માત્ર કેપ્ટનશિપ જ નહીં, બોલિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. પેટ કમિન્સ જે રીતે ટીમને સાથે લઈને ફાઇનલમાં પહોંચ્યો તે જોઈને કાવ્યા મારનને ઓક્શનના તેના નિર્ણય પર ગર્વ થઇ રહ્યો હશે. આ સાથે જે લોકો તેની મજાક ઉડાવીને તેની પર હસતા હતા તેઓ હવે બોલવાને લાયક જ નથી રહ્યા.

માત્ર સનરાઈઝર્સ જ નહીં, ચેન્નાઈ અને મુંબઈ પણ હરાજીના ટેબલ પર પેટ કમિન્સને ખરીદવા ઈચ્છતા હતા. CSK અને મુંબઈ વચ્ચે 4 કરોડ 80 લાખ રૂપિયા સુધીની બોલી લગાવવામાં આવી હતી. આ પછી RCBએ પ્રવેશ કર્યો. CSK અને RCB વચ્ચેની બોલી 7 કરોડ 60 લાખ રૂપિયા સુધી પહોંચી. આ પછી CSKએ તેમના પગલાં પાછાં ખેંચી લીધાં અને પછી સનરાઇઝર્સે પ્રવેશ કર્યો હતો, અને આખરે તેની બિડિંગ 20 કરોડ 50 લાખ રૂપિયા પર સમાપ્ત થઈ.

About The Author

Related Posts

Top News

વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

ઉદ્યોગસાહસિકતાના વાસ્તવિક ઇકોસિસ્ટમમાં, વિજય માલ્યા નામ તીક્ષ્ણ મંતવ્યો અને ધ્રુવીકરણકારી ચર્ચા પેદા કરે છે. પરંતુ કોર્ટરૂમ ડ્રામાથી આગળ એક મહત્વપૂર્ણ...
Opinion 
વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

આજકાલ હવાઈ મુસાફરીને સલામત માનવામાં આવે છે, પરંતુ તાજેતરના સમયમાં બોઇંગ વિમાનો વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે....
Science 
શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

દેવામાં ડુબેલા પાકિસ્તાનને એક વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં ગધેડાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને કારણે...
World 
પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?

અમદાવાદ એરપોર્ટ પરથી 12 જૂને એર ઇન્ડિયાના વિમાને ટેક ઓફ કર્યું અને લગભગ 2 જ મિનિટમાં વિમાન દુર્ઘટનાનો શિકાર બની...
World 
શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.