WTC ફાઈનલમાંથી બહાર થયેલા કે.એલ.રાહુલની જગ્યાએ આ ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ પહેલા ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના ઓપનર અને વિકેટકીપર તરીકે પસંદ કરાયેલા KL રાહુલ ઓસ્ટ્રેલિયા સામેની મહત્વપૂર્ણ મેચમાંથી બહાર થઈ ગયો છે. BCCIએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દરમિયાન ઈજાગ્રસ્ત લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટનના સ્થાને વિકેટકીપરના નામની જાહેરાત કરી છે. KL રાહુલના સ્થાને BCCIએ ઈશાન કિશનનું નામ પસંદ કર્યું છે.

BCCIએ સોમવારે, 8 મેના રોજ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં ફેરફારની જાહેરાત કરી હતી. IPL દરમિયાન ઈજાગ્રસ્ત KL રાહુલની જગ્યાએ ઈશાન કિશનની પસંદગી કરવામાં આવી છે. જ્યારે, ઋતુરાજ ગાયકવાડ, મુકેશ કુમાર અને સૂર્યકુમાર યાદવને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ફિલ્ડિંગ કરતી વખતે KL રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે મેદાન પર બેટિંગ કરવા ઉતર્યો પરંતુ છેલ્લા નંબરે. આ ઈજાથી તે મુંબઈમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. ઈશાન કિશન હાલ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે.

IPL 2023માંથી બહાર થયા બાદ KL રાહુલે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કર્યું. આ પોસ્ટમાં, તેણે તેની ઈજા વિશે નવીનતમ અપડેટ આપી. KL રાહુલે લખ્યું છે કે, મેડિકલ ટીમની સલાહ મુજબ હું મારી ઈજાની સર્જરી કરાવીશ, આ સર્જરી ટૂંક સમયમાં થઈ શકે છે. જો કે, મારું ધ્યાન ઝડપથી સજા થવા અને સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા પર છે. જોકે આ સમય મારા માટે આસાન નિર્ણય નહોતો, પરંતુ હું જાણું છું કે સંપૂર્ણ રીતે સ્વસ્થ થવાનો આ યોગ્ય સમય છે.

ભારતીય ટીમમાં KL રાહુલને બીજા વિકેટકીપર તરીકે રાખવામાં આવ્યો હતો. KS ભરત મુખ્ય વિકેટકીપરની ભૂમિકા ભજવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઈશાન કિશનની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. KS ભરતે શ્રેણીની ચારેય મેચ રમી હતી.

ભારતે સતત બીજી વખત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતીય ટીમને પાછલી વખતે ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ રનર્સ અપ બનીને સંતોષ માનવો પડ્યો હતો. આ વખતે ભારતનો સામનો ઓસ્ટ્રેલિયન ટીમ સાથે થવાનો છે. 7 થી 11 જૂન સુધી બંને ટીમ ઈંગ્લેન્ડમાં ઓવલના મેદાનમાં રમવા માટે ઉતરશે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.