ધોનીએ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મળેલી હાર પાછળનું જણાવ્યું ખાસ કારણ

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને ફરી એક વખત રાજસ્થાન રોયલ્સ (RR) સામે હારનો સામનો કરવો પડ્યો. રાજસ્થાન રોયલ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં બીજી વખત ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી છે. તો ટીમને મળેલી હારને લઈને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે આ હાર પાછળનું મોટું કારણ બતાવ્યું છે. મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ બાદ કહ્યું કે, રાજસ્થાન રોયલ્સે ઘણા બધા રન બનાવી દીધા હતા અને અહીં પર પાર સ્કોર હતો.

જયપુરમાં રમાયેલી IPL 2023ની 37 મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 32 રનોથી હરાવી દીધી. પહેલા બૅટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ સીમિત 20 ઓવરમાં માત્ર 6 વિકેટ ગુમાવીને 170 રનનો સ્કોર જ બનાવી શકી. આ જીત સાથે જ રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ્સ ટેબલમાં પહેલા સ્થાન પર પહોંચી ગઈ છે. તો ચેન્નાઈ સુપર કિંગ્સને નેટ રનરેટમાં નુકસાન થયું છે અને આ જ કારણે ટીમ 10 પોઇન્ટ્સ હોવા છતા ત્રીજા નંબર પર સરકી ગઈ છે.

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ માન્યું કે, પીચના હિસાબે રાજસ્થાન રોયલ્સે વધારે રન બનાવી દીધા હતા. તેણે કહ્યું કે, એ પારથી વધારે સ્કોર હતો. પહેલી 6 ઓવરમાં અમે ઘણા બધા રન આપી દીધા. જો કે, એ સમયે પીચ પણ બેટિંગ માટે ખૂબ સારી હતી. એ સિવાય આજે જ્યારે તેઓ ઇનિંગને ફિનિશ કરી રહ્યા હતા તો કેટલાક શોટ્સ એવા રહ્યા જે બેટન કિનારો લઈને બાઉન્ડ્રી બહાર જતા રહ્યા. એવા શોટ્સથી 20-25 રન રન બની ગયા અને અંતમાં જઈને એ રન ખૂબ ભારે પડી ગયા. યશસ્વી જયસ્વાલે તેના માટે શાનદાર બેટિંગ કરી. અમારા બોલરો વિરુદ્ધ રન બનાવવાનું સરળ હતું કેમ કે અમારે શરૂઆતમાં એવું આંકલન કરવું જોઈતું હતું કે, આ પીચ પર કઈ લેન્થ યોગ્ય છે.

સંજુ સેમસને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. સામાન્ય રીતે આ સીઝનમાં મોટા ભાગની ટીમો રન ચેઝ કરવાનું પસંદ કરે છે, પરંતુ સેમસને ટારગેટ સેટ કરવાનો નિર્ણય લીધો, જે સાચો સાબિત થયો અને તેની ટીમને એક મોટી જીત મળી. તેના પર સંજુ સેમસને કહ્યું કે, આપણે માત્ર એક રસ્તા પર નહીં ચાલી શકીએ. જો તમે ચેન્ના સ્વામી કે વાનખેડેમાં રમી રહ્યા છો તો પછી તમે ચેઝ કરી શકો છો, પરંતુ અહીની કન્ડિશન જોતા મેં ચાંસ લીધો અને પહેલા બેટિંગ કરી.

Top News

ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ટેરિફ અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીને લઈને કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે તણાવ હજુ પણ...
World 
ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે US ચૂંટણીઓમાં મોટા પાયે ફેરફાર કરતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા આદેશ સાથે...
World 
ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.