ધોનીએ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મળેલી હાર પાછળનું જણાવ્યું ખાસ કારણ

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને ફરી એક વખત રાજસ્થાન રોયલ્સ (RR) સામે હારનો સામનો કરવો પડ્યો. રાજસ્થાન રોયલ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં બીજી વખત ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી છે. તો ટીમને મળેલી હારને લઈને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે આ હાર પાછળનું મોટું કારણ બતાવ્યું છે. મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ બાદ કહ્યું કે, રાજસ્થાન રોયલ્સે ઘણા બધા રન બનાવી દીધા હતા અને અહીં પર પાર સ્કોર હતો.

જયપુરમાં રમાયેલી IPL 2023ની 37 મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 32 રનોથી હરાવી દીધી. પહેલા બૅટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ સીમિત 20 ઓવરમાં માત્ર 6 વિકેટ ગુમાવીને 170 રનનો સ્કોર જ બનાવી શકી. આ જીત સાથે જ રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ્સ ટેબલમાં પહેલા સ્થાન પર પહોંચી ગઈ છે. તો ચેન્નાઈ સુપર કિંગ્સને નેટ રનરેટમાં નુકસાન થયું છે અને આ જ કારણે ટીમ 10 પોઇન્ટ્સ હોવા છતા ત્રીજા નંબર પર સરકી ગઈ છે.

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ માન્યું કે, પીચના હિસાબે રાજસ્થાન રોયલ્સે વધારે રન બનાવી દીધા હતા. તેણે કહ્યું કે, એ પારથી વધારે સ્કોર હતો. પહેલી 6 ઓવરમાં અમે ઘણા બધા રન આપી દીધા. જો કે, એ સમયે પીચ પણ બેટિંગ માટે ખૂબ સારી હતી. એ સિવાય આજે જ્યારે તેઓ ઇનિંગને ફિનિશ કરી રહ્યા હતા તો કેટલાક શોટ્સ એવા રહ્યા જે બેટન કિનારો લઈને બાઉન્ડ્રી બહાર જતા રહ્યા. એવા શોટ્સથી 20-25 રન રન બની ગયા અને અંતમાં જઈને એ રન ખૂબ ભારે પડી ગયા. યશસ્વી જયસ્વાલે તેના માટે શાનદાર બેટિંગ કરી. અમારા બોલરો વિરુદ્ધ રન બનાવવાનું સરળ હતું કેમ કે અમારે શરૂઆતમાં એવું આંકલન કરવું જોઈતું હતું કે, આ પીચ પર કઈ લેન્થ યોગ્ય છે.

સંજુ સેમસને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. સામાન્ય રીતે આ સીઝનમાં મોટા ભાગની ટીમો રન ચેઝ કરવાનું પસંદ કરે છે, પરંતુ સેમસને ટારગેટ સેટ કરવાનો નિર્ણય લીધો, જે સાચો સાબિત થયો અને તેની ટીમને એક મોટી જીત મળી. તેના પર સંજુ સેમસને કહ્યું કે, આપણે માત્ર એક રસ્તા પર નહીં ચાલી શકીએ. જો તમે ચેન્ના સ્વામી કે વાનખેડેમાં રમી રહ્યા છો તો પછી તમે ચેઝ કરી શકો છો, પરંતુ અહીની કન્ડિશન જોતા મેં ચાંસ લીધો અને પહેલા બેટિંગ કરી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.