અમદાવાદમાં ભારતીય ટીમની હાર અસંભવ? આંકડા આપી રહ્યા છે પુરાવા

એ તારીખ હતી 23 માર્ચ 2003. જોહાન્સબર્ગમાં વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ મેચ હતી. ત્યારે પહેલી વખત ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઇનલમાં એક-બીજા સામસામે હતા. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા રિકી પોન્ટિંગના 140 રનોની શાનદાર ઇનિંગની મદદથી 359 રનોનો પહાડ જેવો સ્કોર ઊભો કર્યો હતો. ત્યારે આ પ્રકારના લક્ષ્યનો પીછો કરવાનું લગભગ અસંભવ માનવામાં આવતું હતું. ભારતીય ટીમે રનચેઝ કરવાનું શરૂ કર્યુ. સચિને પહેલી જ ઓવરમાં ગ્લેન મેકગ્રાને ચોગ્ગો માર્યો, પરંતુ તેઓ પાંચમા બૉલ પર આઉટ થઈ ગયા.

ત્યારબાદ વિરેન્દર સેહવાગ (81) અને રાહુલ દ્રવિડ (47)ને છોડીને બધા બેટ્સમેન એક બાદ એક આઉટ થતા રહ્યા. આ પ્રકારે ભારતીય ટીમ એ મેચને 125 રનોથી હારી ગઈ. આ હારે ભારતીય ટીમને ત્યારે મોટું દર્દ આપ્યું હતું કેમ કે ભારતીય ટીમ આખા ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી હતી. તે એકમાત્ર લીગ મેચ પણ ઑસ્ટ્રેલિયા સામે જ હારી હતી. એ વર્લ્ડ કપ હારની તારીખ 23 માર્ચ 2003થી 19 નવેમ્બર 2023 ફાઇનલ વચ્ચે કુલ 7,547 દિવસનું અંતર છે. એવામાં ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023 ફાઇનલમાં મળેલી હારનું વ્યાજ સહિત હિસાબ ચૂકવવા ઉતરશે. એ ભારતીય ટીમમાં ત્યારે રાહુલ દ્રવિડ હતા, જે હવે ભારતીય ટીમના હેડ કોચ છે.

અજીત અગરકર પણ વર્ષ 2003ની વર્લ્ડ કપ ટીમમાં સામેલ હતા, જે વર્લ્ડ કપ 2023ની ભારતીય ટીમને પસંદ કરનારા ચીફ સિલેક્ટર છે. એવામાં અમદાવાદની ફાઇનલ મેચમાં આ બંને જ લોકોના મનમાં એ હાર જરૂર રહેશે. આમ સૌથી ખાસ વાત એ છે કે ભારતીય ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ મેચમાં ક્યારેય હારી નથી. કુલ મળીને ભારતીય ટીમે વર્લ્ડ કપની 3 મેચ આ વેન્યૂ પર રમી છે. આ ત્રણેયમાં જ ભારતીય ટીમને જીત મળી છે. ભારતે સૌથી પહેલા અમદાવાદમાં વર્લ્ડ કપ મેચ 26 ઓક્ટોબર 1987ના રોજ ઝીમ્બાબ્વે વિરુદ્ધ રમી હતી.

ઝીમ્બાબ્વેએ પહેલા બેટિંગ કરતા સીમિત 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે એ મેચને ત્યારે 7 વિકેટે જીતી લીધી લીધી હતી. ભારતીય ટીમની બીજી વર્લ્ડ કપ મેચ અમદાવાદમાં વર્ષ 2011ના વર્લ્ડ કપમાં રમાઈ હતી. ત્યારે વર્લ્ડ કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી હતી. 24 માર્ચના રોજ થયેલી એ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 6 વિકેટ ગુમાવીને 260 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે એ મેચ 5 વિકેટે જીતી હતી. એ મેચમાં વિરાટ કોહલીએ 24 રનોની ઇનિંગ રમી હતી.

તો હાલમાં જ ભારતે આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 14 ઓક્ટોબરના રોજ 7 વિકેટે હરાવી દીધી હતી. ભારતીય કેપ્ટન રોહિતે અમદાવાદમાં કુલ 6 વન-ડે મેચ રમી છે, જ્યાં તેના બેટથી 51.16ની એવરેજ અને 103.02ની સ્ટ્રાઈક રેટથી 307 રન આવ્યા છે. તે અમદાવાદમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રાહુલ દ્રવિડના રેકોર્ડ 342 રનોને તોડવા નજીક છે. 36 રન બનાવતા જ રોહિત આ વેન્યૂ પર વન-ડેમાં સૌથી વધુ રન બનવારો ખેલાડી બની જશે. તો કિંગ કોહલીની બેટ આ વેન્યૂ પર શાંત રહી છે. તેણે અહી કુલ 8 મેચોમાં 24ની એવરેજથી 192 રન બનાવ્યા છે.

ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયા વન-ડેમાં ઓવરઓલ હેડ ટૂ હેડ:

કુલ મેચ- 150

ભારતની જીત- 57

ઓસ્ટ્રેલિયાની જીત- 83

ટાઈ- 0

કોઈ પરિણામ નહીં- 10

ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયા વન-ડે વર્લ્ડ કપમાં:

કુલ મેચ 13

ભારતની જીત: 5

ઓસ્ટ્રેલિયાની જીત: 8

ટાઈ: 0

કોઈ પરિણામ નહીં: 0

ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયા અમદાવાદમાં હેડ ટૂ હેડ:

કુલ મેચ: 3

ભારતની જીત: 2

ઓસ્ટ્રેલિયાની જીતી: 1

ભારતનો ઓવરઓલ રેકોર્ડ (અમદાવાદમાં)

કુલ મેચ: 19

જીત: 11

હાર: 8

ભારતનો રેકોર્ડ વર્લ્ડ કપમાં (અમદાવાદમાં)

કુલ મેચ: 3

જીત: 3

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.