ભારતની હોમ ટીમ સામે 142 રનથી હારી નેધરલેન્ડ વર્લ્ડકપ ટીમ, 7 ખેલાડી શૂન્ય પર આઉટ

બેંગલુરુમાં વર્લ્ડ કપની તૈયારી કરી રહેલી નેધરલેન્ડની ટીમને સોમવારે મોટો ઝટકો લાગ્યો હતો. અલૂરના KSCA મેદાન પર 50-ઓવરની પ્રેક્ટિસ મેચમાં, ભારતની ઘરેલુ ટીમે 142 રનથી પરાજય આપ્યો હતો. આ ટીમ બીજું કોઈ નહીં પણ કર્ણાટકની હતી, જેણે તાજેતરમાં એશિયન ગેમ્સ માટે પસંદ કરાયેલી ભારતીય પુરૂષ ટીમને હરાવી હતી. 265 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમ 123 રનમાં આઉટ થઈ ગઈ હતી.

કર્ણાટકના સ્ટ્રાઈક બોલર વેધવત કરિઅપ્પા અને V કૌશિકે બોલ વડે એવી ધમાલ મચાવી કે નેધરલેન્ડના ટોચના 7 બેટ્સમેનો ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા. વેધવતે 8 રનમાં 4 અને V કૌશિકે 10 રનમાં 4 વિકેટ લીધી હતી. 5 ઓવર પછી ટીમનો સ્કોર 7 વિકેટે 3 રન હતો. આ ત્રણ રન પણ બેટમાંથી આવ્યા ન હતા. શારિજ અહેમદ 7 અને આર્યન દત્ત 18એ ઓછી લડત આપી હતી. 14 ઓવર પછી ટીમનો સ્કોર 9 વિકેટે 36 રન થઈ ગયો હતો.

 

રેયાન ક્લેઈન (49) અને પોલ વાન મીકેરેનની જોડીએ 10મી વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી. આ બંનેએ કર્ણાટકના બોલરો પર પ્રહારો કર્યા હતા. વરસાદ આવે તે પહેલા સ્પિનર શુભાંગ હેગડેએ વેન મીકેરેનને આઉટ કરીને ભાગીદારીનો અંત લાવ્યો હતો. આ પહેલા કર્ણાટકના ઓપનિંગ બેટ્સમેન દેવદત્ત પડિકલે ઈજામાંથી પરત ફરીને શાનદાર અડધી સદી (56) ફટકારી હતી, જ્યારે અનુભવી R. સમર્થે 79 બોલમાં 81 રન બનાવ્યા હતા.

નેધરલેન્ડના મુખ્ય કોચ રેયાન કૂકે બેટ્સમેનોની નિષ્ફળતાનો સ્વીકાર કર્યો હતો. 'વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયા પછી અમે રમી તે પહેલી મેચ હતી અને અમે એક કઠિન ટીમ સામે રમી રહ્યા હતા. તેથી મેચ પ્રેક્ટિસનો અભાવ હતો. મેચમાંથી અમને ઘણું શીખવા મળ્યું. વિક્રમજીત સિંહની ચાર વિકેટ, કાયલનું ઓલરાઉન્ડ પ્રદર્શન અને પોલ (વેન મીકરેન) સાથે તેની છેલ્લી વિકેટની ભાગીદારી દર્શાવે છે કે, અમે 11 નંબર સુધી બેટિંગ કરી શકીએ છીએ.'

નેધરલેન્ડની આ પહેલી પ્રેક્ટિસ મેચ હતી, જેમાં તેને ભારતની હોમ ટીમ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ક્રિકેટ નેધરલેન્ડે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ હાર પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે એક પોસ્ટ કરી અને લખ્યું, 'આજે અમે કર્ણાટક સામે 142 રને હાર્યા છીએ. આ અભિયાનની આ સારી શરૂઆત નથી, પરંતુ અમે અમારો ઉત્સાહ જાળવી રાખીશું, અને એક દિવસ પછી તે જ વિરોધી ટીમ સામે જોરદાર રીતે પરત ફરીશું.'

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.