અભિષેક, સૂર્યા, સેમસન નહીં, પણ ભારતની હાર પાછળ અસલી ગુનેગાર કોણ છે? ગંભીરની પ્રતિક્રિયાએ જણાવી દીધું

ન્યૂઝીલેન્ડે ચોથી T20માં ભારતને 50 રનથી હરાવીને સીરિઝની પહેલી જીત મેળવી. ભારતની હારનું સૌથી મોટું કારણ ભારતીય બેટ્સમેનોનું નબળું પ્રદર્શન તો હતું જ, પરંતુ એક બીજું મહત્ત્વનું પરિબળ પણ હતું જેણે મેચને પલટી નાખી. ચોથી T20માં રિંકૂ સિંહને ચોથા નંબર પર બેટિંગ કરવાની તક આપવામાં આવી હતી. રિંકૂએ ગંભીરની રણનીતિને થોડા સમય માટે સાચી સાબિત કરી, પરંતુ જે રીતે તેણે સેટલ થયા બાદ પોતાની વિકેટ ગુમાવી, તેનાથી ન માત્ર ફેન્સ જ નહીં, પરંતુ કોચ ગૌતમ ગંભીર પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ જ કારણ છે કે રિંકૂ સિંહના આઉટ પર ગંભીરની પ્રતિક્રિયાએ સ્પષ્ટ કરી દીધું કે વાસ્તવિક ગુનેગાર કોણ છે.

રિંકૂ સિંહે મેચમાં 30 બૉલમાં 39 રનની ઇનિંગ રમી. જેકરી ફાઉલ્ક્સે તેને LBW આઉટ કર્યો. હકીકતમાં, રિંકૂએ મિડલ સ્ટમ્પવાળા બૉલ સ્વીપ શોટ મારવાનો પ્રયાસ કર્યો, જે એક મોટી ભૂલ હતી. આજ કારણ છે કે, રિંકૂએ જે બોલ મિસ કર્યો અને પેડ પર વાગ્યો. ત્યારબાદ અમ્પાયરે બૉલરની અપીલ પર રિંકૂને આઉટ આપી દીધો.

rinku1
ndtv.in

આઉટ થયા બાદ રિંકૂને સમજાયું કે તેના ખોટા શૉટથી ભારતને હાર તરફ દોરી થશે. આ જ કારણ હતું કે રિંકૂ સિંહ પોતાના પર ખૂબ નારાજ હતો. બીજી તરફ, ગંભીર પૂરી રીતે હેરાન હતા. જે ખોટા શૉટ પર રિંકુ આઉટ થયો, તેને જોઈને ગંભીરના ચહેરા પર નારાજગી હતી. તેમની પ્રતિક્રિયા બતાવી રહી હતી કે તેઓ રિંકૂંના આઉટ થવાની રીતથી નારાજ છે.

dube
BCCI

ભલે ભારત મેચ હારી, પરંતુ  શિવમ દુબેએ 23 બોલમાં 65 રનની ઇનિંગ રમીને ટીમને 165 રન સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દુબે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપથી અડધી સદી ફટકારનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો. તેણે 15 બૉલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેના 65 રનમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે સીમિત 20 ઓવરમાં 7 વિકેટે 215 રન બનાવ્યા, પરંતુ ભારત 18.4 ઓવરમાં 165 રનમાં સમેટાઇ ગયું ગયું. ભારતને 50 રનથી હારનો સામનો કરવો પડ્યો.

About The Author

Top News

Redmi Note 15 Pro અને Pro Plus ભારતમાં લોન્ચ, 200 MP કેમેરા, 6580 mAh બેટરી, જાણો કિંમત

Redmi Note 15 Pro સીરિઝ 5Gને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ સીરિઝમાં Redmi Note 15 Pro 5G અને ...
Tech and Auto 
Redmi Note 15 Pro અને Pro Plus ભારતમાં લોન્ચ, 200 MP કેમેરા, 6580 mAh બેટરી, જાણો કિંમત

સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર કેમ રોક લગાવી? હવે શું થશે?

સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ભેદભાવ રોકવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો પર ગુરુવારે...
National 
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર કેમ રોક લગાવી? હવે શું થશે?

અભિષેક, સૂર્યા, સેમસન નહીં, પણ ભારતની હાર પાછળ અસલી ગુનેગાર કોણ છે? ગંભીરની પ્રતિક્રિયાએ જણાવી દીધું

ન્યૂઝીલેન્ડે ચોથી T20માં ભારતને 50 રનથી હરાવીને સીરિઝની પહેલી જીત મેળવી. ભારતની હારનું સૌથી મોટું કારણ ભારતીય બેટ્સમેનોનું નબળું...
Sports 
અભિષેક, સૂર્યા, સેમસન નહીં, પણ ભારતની હાર પાછળ અસલી ગુનેગાર કોણ છે? ગંભીરની પ્રતિક્રિયાએ જણાવી દીધું

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી...
Opinion 
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.