પોન્ટિંગે WTC ફાઇનલમાં આ 2 ભારતીય ખેલાડીઓથી સાવચેત રહેવાની આપી સલાહ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગે કહ્યું કે, કાંગારુ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં કયા બે ભારતીય ખેલાડીઓથી સાવચેત રહેવાની જરૂર છે. આ બંને ખેલાડીઓનો ઓસ્ટ્રેલિયન ટીમ વિરુદ્ધ રેકોર્ડ શાનદાર રહ્યો છે. રિકી પોન્ટિંગે જણાવ્યું હતું કે, વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં ભારતીય ટીમના મહત્ત્વના ખેલાડી હશે. ચેતેશ્વર પૂજારાનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રેકોર્ડ ખૂબ જ શાનદાર રહ્યો છે. તેણે કોઈ અન્ય ટીમ કરતા વધુ કાંગારુઓ વિરુદ્ધ રન બનાવ્યા છે. 35 વર્ષીય પૂજારાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 24 ટેસ્ટ મેચોમાં પાંચ સદી ફટકારી છે અને આ સદીની મદદથી કુલ 2033 રન બનાવ્યા છે.

વિરાટ કોહલીનો પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ રેકોર્ડ તગડો રહ્યો છે. વિરાટ કોહલીએ કાંગારુ ટીમ વિરુદ્ધ 24 ટેસ્ટ મેચોમાં 1979 રન બનાવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ 186 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર પણ છે.

રિકી પોન્ટિંગે કહ્યું કે, વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા ભારતીય ટીમના પ્રમુખ બેટ્સમેન હશે અને ઓસ્ટ્રેલિયાએ આ બંનેને વહેલામાં વહેલા આઉટ કરવાની યોજના બનાવવી પડશે. ICC રિવ્યુમાં રિકી પોન્ટિંગે કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન ટીમ વિરાટ કોહલી વિશે વાત કરી રહી છે. તેઓ ચેતેશ્વર પૂજારા વિશે પણ વાત કરી રહ્યા છે. પૂજારા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલા પણ ખતરનાક સાબિત થઈ ચુક્યો છે અને ઇંગ્લેન્ડની પિચનું વર્તન ઓસ્ટ્રેલિયાઈ પિચ જેવુ હશે. કાંગારુ બોલર્સ જાણે છે કે, ચેતેશ્વર પૂજારાને આઉટ કરવો પડશે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ખુલાસો કરતા કહ્યું હતું કે, વિરાટ કોહલીએ તેને કહ્યું કે તે પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં પાછો આવી ગયો છે. રિકી પોન્ટિંગે કહ્યું, ઓસ્ટ્રેલિયન ટીમ જાણે છે કે, વિરાટ કોહલી છેલ્લાં કેટલાક અઠવાડિયાઓમાં સંભવતઃ પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં પાછો આવી ચુક્યો છે. જોકે, તેણે T20 ક્રિકેટમાં પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે મને કહ્યું કે, તે પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં પાછો આવી ચુક્યો છે અને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા માટે આ કડક ચેતવણીની જેમ છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.