ખૂબ દુઃખી છું...’, એશિયા કપ 2025ની ટીમમાં આ 2 ખેલાડીઓને સામેલ ન કરવા પર અશ્વિને ઉઠાવ્યા સવાલ

ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી રવિચંદ્રન અશ્વિને એશિયા કપ 2025 માટે શ્રેયસ ઐય્યર અને યશસ્વી જાયસ્વાલની ભારતીય ટીમમાં પસંદગી ન થવા પર નિરાશા વ્યક્ત કરી છે. ભારતે 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા એશિયા કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

શુભમન ગિલની ટીમમાં વાપસી થઈ છે અને તેને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે સૂર્યકુમાર યાદવ ટીમનો કેપ્ટન રહેશે. IPL 2025માં રનોનો વરસાદ કરનાર શ્રેયસ ઐય્યરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેણે વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયા સામે પોતાની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

ashwin3
crictracker.com

રવિચંદ્રન અશ્વિને શ્રેયસ ઐય્યરને ટીમમાં જગ્યા ન આપવા પર પૂછ્યું છે કે તેની શું ભૂલ છે. પોતાની યુટ્યુબ ચેનલ એશ કી બાતપર બોલતા અશ્વિને કહ્યું કે, ‘શ્રેયસ ઐય્યર અને યશસ્વી જાયસ્વાલની આંખોમાં આંસુ છે, તે મુંબઈમાં વરસાદ બનીને પડ્યા છે. સિલેક્શન એક એવું કામ છે જેમાં કોઈ તો બહાર રહેશે જ. જ્યારે તમે તેમની સાથે વાત કરો છો, ત્યારે તમે તેમના ચહેરાઓની નિરાશા અને દુઃખ અનુભવી શકો છો. આશા છે કે કોઈએ શ્રેયસ અને જાયસ્વાલ સાથે વાત કરી હશે.

અશ્વિને કહ્યું કે, ‘હું શ્રેયસ ઐય્યર અને યશસ્વી જાયસ્વાલ માટે ખૂબ જ દુઃખી છું. આ બંને માટે સારું નથી.’  અશ્વિને શ્રેયસ ઐય્યરને લઈને આગળ કહ્યું કે, ‘તે ટીમમાંથી બહાર ગયો. તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવીને શાનદાર બેટિંગ કરી. તેણે તમને જીત અપાવી. જો જવાબ એ છે કે ગિલ શાનદાર ફોર્મમાં છે, તો શ્રેયસ ઐય્યર પણ શાનદાર ફોર્મમાં છે.

ashwin
sports.ndtv.com

જાયસ્વાલે ઓવલમાં મુશ્કેલ પીચ પર બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી. તે પણ સારા ફોર્મમાં છે. તમે આનો જવાબ કેવી રીતે આપી શકોઅશ્વિને આગળ કહ્યું કે, ‘શ્રેયસ ઐય્યરનો વાંક શું છે? તેણે KKR સાથે ટ્રોફી જીતી છે. ત્યારબાદ તેણે 2014 બાદ પહેલી વખત પંજાબને IPL ફાઇનલમાં પહોંચાડી. શાનદાર બેટિંગ સાથે.  તેણે શોર્ટ બોલની સમસ્યા પર કાબૂ મેળવ્યો. IPLમાં તે કાગીસો રબાડા અને જસપ્રીત બૂમરાહ જેવા બેટ્સમેનોને સરળતાથી હિટ કરી રહ્યો હતો. હું તેના અને યશસ્વી જાયસ્વાલ માટે ખૂબ જ દુઃખી છું.

About The Author

Related Posts

Top News

શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB...
Sports 
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.