દ્રવિડે આ ખેલાડીના વખાણ કરતા કહ્યું- બધા પ્લેયર્સ તેનું સન્માન કરે છે

વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી માત્ર ભારતીય ટીમ જ અજેય રહી છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ વર્લ્ડ કપની ટ્રોફી જીતવાથી માત્ર 2 પગલાં દૂર છે. ટૂર્નામેન્ટમાં ટીમના શાનદાર પ્રદર્શન પાછળ કેપ્ટન રોહિત શર્માનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. તેણે ઇવેન્ટમાં શાનદાર કેપ્ટન્સી સાથે ખેલાડી તરીકે પણ લાજવાબ પ્રદર્શન દેખાડ્યું છે. 

ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ રોહિત શર્માના ભરપેટ વખાણ કરતા નજરે પડી રહ્યા છે. રવિવારે થનારી મેચ અગાઉ શનિવારની સાંજે થયેલી પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ ક્રિકેટર અને ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડને ટૂર્નામેન્ટમાં રોહિત શર્માના યોગદાનને લઈને સવાલ પૂછવામાં આવ્યો. તેના જવાબમાં દ્રવિડે કહ્યું કે, એક લીડર તરીકે મેદાનની અંદર અને બહાર તેમણે બાકી ખેલાડીઓ માટે એક ઉદાહરણ રજૂ કર્યું છે.

 
 
 
View this post on Instagram

A post shared by Team India (@indiancricketteam)

જે પ્રકારે તેણે ઘણી મહત્ત્વની મેચોમાં ભારતીય ટીમને શરૂઆત અપાવી, તેનાથી બાકી ખેલાડીઓ માટે કામ ખૂબ સરળ થઈ ગયું હતું. એ જોવામાં સરળ લાગે છે, પરંતુ કોચિંગ સ્ટાફ તરીકે જ્યારે અમે તેની બાબતે ગંભીરતાથી જોઈએ છીએ, તો ખબર પડે છે કે તેની ઈનિંગ્સ કેટલી અસરકારક રહી છે. અત્યાર સુધી ખેલાડી અને લીડર તરીકે જબરદસ્ત રહ્યો છે અને તેણે દરેક અવસર પર આગળ રહીને આખી ટીમનું નેતૃત્વ કર્યું છે. દ્રવિડે આ દરમિયાન રોહિત શર્માની કેપ્ટન્સીને લઈને પણ વાત કરી.

તેમણે કહ્યું કે, રોહિત શર્માનું કેપ્ટન તરીકે છેલ્લા કેટલાક સમયથી રેકોર્ડ ખૂબ સારો રહ્યો છે, જે પ્રકારે બધા ખેલાડી અને કોચિંગ સ્ટાફ મેમ્બર્સ તેનું સન્માન કરે છે, એ મામલે ખૂબ સારો અનુભવ છે. રોહિત પોતાની જિંદગીમાં જે પણ સફળતા હાંસલ કરી રહ્યો છે તે તેનો સાચો હકદાર છે. મને વિશ્વાસ છે કે તે એવી જ રીતે ચાલુ રાખશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.